TET-TAT પાસ ઉમેદવારોનો અનોખી રીતે વિરોધ, ભગવાન રામ સામે પ્રાર્થના કરી ભરતીની માંગણી કરી!


  • Published By :
  • Published Date : 2024-01-22 15:22:24

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે રાજ્યમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ પ્રકારે વિરોધ તે કરી રહ્યા છે. ઉત્તરાયણ વખતે પતંગ લખીને ઉમેદવારોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે શિક્ષકોની કાયમી ભરતી થાય. 


ભગવાન રામને ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કરી પ્રાર્થના 

22 જાન્યુઆરીનો દિવસ એટલે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ. દેશ માટે સૌથી મોટો ઐતિહાસિક દિવસ માની શકાય. આ દિવસે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ભગવાન રામને તેમની ભરતી થાય તે માટે પ્રાર્થના કરી હતી. અને ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપો તેવું પણ કહ્યું હતું.  

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને અલગ ફોટોસ અને વીડિયો બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.


સોશિયલ મીડિયાના સહારે ઉમેદવારો!

ટેટ ટાટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. અને હવે આ ઉમેદવારો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરવા સોશિયલ મીડિયાના સહારે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.