TET-TAT પાસ ઉમેદવારોનો અનોખી રીતે વિરોધ, ભગવાન રામ સામે પ્રાર્થના કરી ભરતીની માંગણી કરી!


  • Published By :
  • Published Date : 2024-01-22 15:22:24

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે રાજ્યમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ પ્રકારે વિરોધ તે કરી રહ્યા છે. ઉત્તરાયણ વખતે પતંગ લખીને ઉમેદવારોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે શિક્ષકોની કાયમી ભરતી થાય. 


ભગવાન રામને ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કરી પ્રાર્થના 

22 જાન્યુઆરીનો દિવસ એટલે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ. દેશ માટે સૌથી મોટો ઐતિહાસિક દિવસ માની શકાય. આ દિવસે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ભગવાન રામને તેમની ભરતી થાય તે માટે પ્રાર્થના કરી હતી. અને ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપો તેવું પણ કહ્યું હતું.  

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને અલગ ફોટોસ અને વીડિયો બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.


સોશિયલ મીડિયાના સહારે ઉમેદવારો!

ટેટ ટાટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. અને હવે આ ઉમેદવારો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરવા સોશિયલ મીડિયાના સહારે છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .