TET-TAT પાસ ઉમેદવારોનો અનોખી રીતે વિરોધ, ભગવાન રામ સામે પ્રાર્થના કરી ભરતીની માંગણી કરી!


  • Published By :
  • Published Date : 2024-01-22 15:22:24

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે રાજ્યમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ પ્રકારે વિરોધ તે કરી રહ્યા છે. ઉત્તરાયણ વખતે પતંગ લખીને ઉમેદવારોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે શિક્ષકોની કાયમી ભરતી થાય. 


ભગવાન રામને ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કરી પ્રાર્થના 

22 જાન્યુઆરીનો દિવસ એટલે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ. દેશ માટે સૌથી મોટો ઐતિહાસિક દિવસ માની શકાય. આ દિવસે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ભગવાન રામને તેમની ભરતી થાય તે માટે પ્રાર્થના કરી હતી. અને ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપો તેવું પણ કહ્યું હતું.  

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને અલગ ફોટોસ અને વીડિયો બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.


સોશિયલ મીડિયાના સહારે ઉમેદવારો!

ટેટ ટાટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. અને હવે આ ઉમેદવારો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરવા સોશિયલ મીડિયાના સહારે છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.