TET-TAT પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ, ડિગ્રીઓ સાથે વિડિઓ બનાવી ભરતી માટે સરકારને વિનંતી કરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-21 10:04:19

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. અલગ અલગ રીતે તેમણે વિરોધ કર્યો. ઉમેદવારોનો અવાજ સંભળાય માટે વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારોનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકાર અમે ભણી ગણીને ડિગ્રીઓનો ઢગલો કરી દઈએ છતાંય અમને નોકરી ન મળે તો આ ડિગ્રીઓની શું અમે આરતી ઉતારીયે? ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે.   

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

સૌ ભણો અને સૌ આગળ વધો આ સૂત્ર આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ સૂત્રની પાછળ કદાચ એ લખવાનું ભુલાઈ ગયું લાગે છે કે સૌ ભણી તો લે પણ આગળ કેવી રીતે વધવું? ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ કથળી રહી છે. શાળામાં બાળકો છે પરંતુ ભણાવા માટે શિક્ષકો નથી. એક તરફ શિક્ષકોની ખોટ છે પરંતુ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી. ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે આંદોલનો કર્યા. 


જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે કેટલીય વાર આ લોકોને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે પણ પોલીસ પણ શું કરે એ પણ આદેશનું પાલન કરે છે. હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને વીડિયો બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.