TET-TAT પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ, ડિગ્રીઓ સાથે વિડિઓ બનાવી ભરતી માટે સરકારને વિનંતી કરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-21 10:04:19

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. અલગ અલગ રીતે તેમણે વિરોધ કર્યો. ઉમેદવારોનો અવાજ સંભળાય માટે વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારોનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકાર અમે ભણી ગણીને ડિગ્રીઓનો ઢગલો કરી દઈએ છતાંય અમને નોકરી ન મળે તો આ ડિગ્રીઓની શું અમે આરતી ઉતારીયે? ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે.   

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

સૌ ભણો અને સૌ આગળ વધો આ સૂત્ર આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ સૂત્રની પાછળ કદાચ એ લખવાનું ભુલાઈ ગયું લાગે છે કે સૌ ભણી તો લે પણ આગળ કેવી રીતે વધવું? ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ કથળી રહી છે. શાળામાં બાળકો છે પરંતુ ભણાવા માટે શિક્ષકો નથી. એક તરફ શિક્ષકોની ખોટ છે પરંતુ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી. ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે આંદોલનો કર્યા. 


જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે કેટલીય વાર આ લોકોને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે પણ પોલીસ પણ શું કરે એ પણ આદેશનું પાલન કરે છે. હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને વીડિયો બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.