TET-TAT પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ, ડિગ્રીઓ સાથે વિડિઓ બનાવી ભરતી માટે સરકારને વિનંતી કરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-21 10:04:19

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. અલગ અલગ રીતે તેમણે વિરોધ કર્યો. ઉમેદવારોનો અવાજ સંભળાય માટે વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારોનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકાર અમે ભણી ગણીને ડિગ્રીઓનો ઢગલો કરી દઈએ છતાંય અમને નોકરી ન મળે તો આ ડિગ્રીઓની શું અમે આરતી ઉતારીયે? ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે.   

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

સૌ ભણો અને સૌ આગળ વધો આ સૂત્ર આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ સૂત્રની પાછળ કદાચ એ લખવાનું ભુલાઈ ગયું લાગે છે કે સૌ ભણી તો લે પણ આગળ કેવી રીતે વધવું? ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ કથળી રહી છે. શાળામાં બાળકો છે પરંતુ ભણાવા માટે શિક્ષકો નથી. એક તરફ શિક્ષકોની ખોટ છે પરંતુ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી. ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે આંદોલનો કર્યા. 


જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે કેટલીય વાર આ લોકોને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે પણ પોલીસ પણ શું કરે એ પણ આદેશનું પાલન કરે છે. હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને વીડિયો બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.