Jamawatની ઓફિસ પહોંચ્યા TET-TAT પાસ ઉમેદવારો, ઠાલવી પોતાની વેદના, સાંભળો શું કહ્યું ઉમેદવારોએ?


  • Published By :
  • Published Date : 2023-11-11 15:28:29

ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે પરંતુ મૃદુ અને મક્કમ ગણાતી સરકાર આ નિર્ણય પર મક્ક્મ દેખાઈ રહી છે. અલગ અલગ રીતે તેમણે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. ગાંધીનગર ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો પરંતુ ઉમેદવારો સાથે એવી રીતે પોલીસે વર્તન કર્યું જાણે કે તેઓ કોઈ આતંકવાદીઓ હોય. ઉમેદવારોને ઢસેડી ઢસેડીને લઈ લઈ જવાયા હતા. 

જમાવટની ઓફિસે પહોંચ્યા ટેટ-ટાટ પાસ ઉમેદવારો 

યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં ઘણા સમયથી આવ્યા છે. ન માત્ર યુવરાજસિંહ પરંતુ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આવી છે. પાર્ટી  દ્વારા અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો સંવાદ કરવા પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તે જોઈ પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ઉમેદવારોના કપડા પોલીસે ફાડી નાખ્યા હતા ઉપરાંત અનેક ઉમેદવારોને ઈજા પણ પહોંચી છે. ફેક્ચર થયું અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવરાજસિંહે આ ઘટના બાદ વીડિયો શેર કર્યો હતો અને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. 

યુવરાજસિંહે સરકાર પર કર્યા આકરા પ્રહાર  

જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ અનેક વખત પોતાની વ્યથા જમાવટ થકી જનતા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારો જમાવટની ઓફિસે પહોંચ્યા હતા અને પોતાની વાત રાખી હતી. ઉમેદવારોએ આ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી વાત પણ કહી હતી. આખા ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોનો રોષ જોવા મળી રહ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે દાદાના ઈશારે વિદ્યાર્થીઓ પર દમન કરવામાં આવ્યું.                



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.