Jamawatની ઓફિસ પહોંચ્યા TET-TAT પાસ ઉમેદવારો, ઠાલવી પોતાની વેદના, સાંભળો શું કહ્યું ઉમેદવારોએ?


  • Published By :
  • Published Date : 2023-11-11 15:28:29

ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે પરંતુ મૃદુ અને મક્કમ ગણાતી સરકાર આ નિર્ણય પર મક્ક્મ દેખાઈ રહી છે. અલગ અલગ રીતે તેમણે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. ગાંધીનગર ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો પરંતુ ઉમેદવારો સાથે એવી રીતે પોલીસે વર્તન કર્યું જાણે કે તેઓ કોઈ આતંકવાદીઓ હોય. ઉમેદવારોને ઢસેડી ઢસેડીને લઈ લઈ જવાયા હતા. 

જમાવટની ઓફિસે પહોંચ્યા ટેટ-ટાટ પાસ ઉમેદવારો 

યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં ઘણા સમયથી આવ્યા છે. ન માત્ર યુવરાજસિંહ પરંતુ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આવી છે. પાર્ટી  દ્વારા અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો સંવાદ કરવા પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તે જોઈ પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ઉમેદવારોના કપડા પોલીસે ફાડી નાખ્યા હતા ઉપરાંત અનેક ઉમેદવારોને ઈજા પણ પહોંચી છે. ફેક્ચર થયું અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવરાજસિંહે આ ઘટના બાદ વીડિયો શેર કર્યો હતો અને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. 

યુવરાજસિંહે સરકાર પર કર્યા આકરા પ્રહાર  

જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ અનેક વખત પોતાની વ્યથા જમાવટ થકી જનતા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારો જમાવટની ઓફિસે પહોંચ્યા હતા અને પોતાની વાત રાખી હતી. ઉમેદવારોએ આ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી વાત પણ કહી હતી. આખા ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોનો રોષ જોવા મળી રહ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે દાદાના ઈશારે વિદ્યાર્થીઓ પર દમન કરવામાં આવ્યું.                



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી