Jamawatની ઓફિસ પહોંચ્યા TET-TAT પાસ ઉમેદવારો, ઠાલવી પોતાની વેદના, સાંભળો શું કહ્યું ઉમેદવારોએ?


  • Published By :
  • Published Date : 2023-11-11 15:28:29

ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે પરંતુ મૃદુ અને મક્કમ ગણાતી સરકાર આ નિર્ણય પર મક્ક્મ દેખાઈ રહી છે. અલગ અલગ રીતે તેમણે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. ગાંધીનગર ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો પરંતુ ઉમેદવારો સાથે એવી રીતે પોલીસે વર્તન કર્યું જાણે કે તેઓ કોઈ આતંકવાદીઓ હોય. ઉમેદવારોને ઢસેડી ઢસેડીને લઈ લઈ જવાયા હતા. 

જમાવટની ઓફિસે પહોંચ્યા ટેટ-ટાટ પાસ ઉમેદવારો 

યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં ઘણા સમયથી આવ્યા છે. ન માત્ર યુવરાજસિંહ પરંતુ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આવી છે. પાર્ટી  દ્વારા અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો સંવાદ કરવા પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તે જોઈ પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ઉમેદવારોના કપડા પોલીસે ફાડી નાખ્યા હતા ઉપરાંત અનેક ઉમેદવારોને ઈજા પણ પહોંચી છે. ફેક્ચર થયું અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવરાજસિંહે આ ઘટના બાદ વીડિયો શેર કર્યો હતો અને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. 

યુવરાજસિંહે સરકાર પર કર્યા આકરા પ્રહાર  

જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ અનેક વખત પોતાની વ્યથા જમાવટ થકી જનતા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારો જમાવટની ઓફિસે પહોંચ્યા હતા અને પોતાની વાત રાખી હતી. ઉમેદવારોએ આ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી વાત પણ કહી હતી. આખા ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોનો રોષ જોવા મળી રહ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે દાદાના ઈશારે વિદ્યાર્થીઓ પર દમન કરવામાં આવ્યું.                



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.