TET-TAT પાસ ઉમેદવારોએ લીધો Social Mediaનો સહારો, Video સામે આવ્યો જેમાં કહેવાયું કે 11 મહિનાના કરાર સાથે...


  • Published By :
  • Published Date : 2023-12-27 09:27:39

ગુજરાતમાં ભાવિ શિક્ષકો કાયમી શિક્ષકોની ભરતી થાય તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. 11 મહિનાના કરાર આધાર પર રાખવાના નિર્ણયનો વિરોધ ઉમેદવારો અલગ અલગ માધ્યમો દ્વારા કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા અનેક વખત ગાંધીનગર ગયા છે પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક નાટક કર્યું હતું અને હવે એક નાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ઉમેદવારો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.

અનેક મહિનાઓથી ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર શિક્ષકોની ભરતી નથી કરી રહી. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી થાય. 11 મહિનાના કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ઉમેદવારો અડીખમ છે. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે અનેક વખત તેઓ ગાંધીનગર ગયા, અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી. મિટીંગ પણ થઈ સાંત્વના પણ આપી પરંતુ હજી સુધી તેમની માગનો નિવેડો નથી આવ્યો. 


સોશિયલ મીડિયાનો ઉમેદવારોએ લીધો સહારો 

ગાંધીનગર ખાતે જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ઉમેદવારો જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા જે વ્યવહાર કરવામાં આવે છે તેના વીડિયો આપણે જોયા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયમ માધ્યમનો ઉમેદવારો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ રીતે આ જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. કોઈ વખત ડિગ્રીની આરતી ઉતારતો વીડિયો સામે આવે છે તો કોઈ વખત નાટક કરી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.