TET-TAT પાસ ઉમેદવારોએ લીધો Social Mediaનો સહારો, Video સામે આવ્યો જેમાં કહેવાયું કે 11 મહિનાના કરાર સાથે...


  • Published By :
  • Published Date : 2023-12-27 09:27:39

ગુજરાતમાં ભાવિ શિક્ષકો કાયમી શિક્ષકોની ભરતી થાય તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. 11 મહિનાના કરાર આધાર પર રાખવાના નિર્ણયનો વિરોધ ઉમેદવારો અલગ અલગ માધ્યમો દ્વારા કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા અનેક વખત ગાંધીનગર ગયા છે પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક નાટક કર્યું હતું અને હવે એક નાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ઉમેદવારો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.

અનેક મહિનાઓથી ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર શિક્ષકોની ભરતી નથી કરી રહી. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી થાય. 11 મહિનાના કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ઉમેદવારો અડીખમ છે. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે અનેક વખત તેઓ ગાંધીનગર ગયા, અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી. મિટીંગ પણ થઈ સાંત્વના પણ આપી પરંતુ હજી સુધી તેમની માગનો નિવેડો નથી આવ્યો. 


સોશિયલ મીડિયાનો ઉમેદવારોએ લીધો સહારો 

ગાંધીનગર ખાતે જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ઉમેદવારો જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા જે વ્યવહાર કરવામાં આવે છે તેના વીડિયો આપણે જોયા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયમ માધ્યમનો ઉમેદવારો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ રીતે આ જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. કોઈ વખત ડિગ્રીની આરતી ઉતારતો વીડિયો સામે આવે છે તો કોઈ વખત નાટક કરી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.