TET-TAT પાસ ઉમેદવારોએ લીધો Social Mediaનો સહારો, Video સામે આવ્યો જેમાં કહેવાયું કે 11 મહિનાના કરાર સાથે...


  • Published By :
  • Published Date : 2023-12-27 09:27:39

ગુજરાતમાં ભાવિ શિક્ષકો કાયમી શિક્ષકોની ભરતી થાય તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. 11 મહિનાના કરાર આધાર પર રાખવાના નિર્ણયનો વિરોધ ઉમેદવારો અલગ અલગ માધ્યમો દ્વારા કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા અનેક વખત ગાંધીનગર ગયા છે પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક નાટક કર્યું હતું અને હવે એક નાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ઉમેદવારો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.

અનેક મહિનાઓથી ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર શિક્ષકોની ભરતી નથી કરી રહી. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી થાય. 11 મહિનાના કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ઉમેદવારો અડીખમ છે. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે અનેક વખત તેઓ ગાંધીનગર ગયા, અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી. મિટીંગ પણ થઈ સાંત્વના પણ આપી પરંતુ હજી સુધી તેમની માગનો નિવેડો નથી આવ્યો. 


સોશિયલ મીડિયાનો ઉમેદવારોએ લીધો સહારો 

ગાંધીનગર ખાતે જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ઉમેદવારો જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા જે વ્યવહાર કરવામાં આવે છે તેના વીડિયો આપણે જોયા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયમ માધ્યમનો ઉમેદવારો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ રીતે આ જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. કોઈ વખત ડિગ્રીની આરતી ઉતારતો વીડિયો સામે આવે છે તો કોઈ વખત નાટક કરી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.