ગણપતિ પંડાલમાં TET TAT પાસ શિક્ષકોએ BJPના ધારાસભ્યોને કરી રજૂઆત, ગઈકાલે ગણેશજીને કરી હતી રજૂઆત જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-23 14:31:11

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને વિવિધ પ્રકારે રજૂઆત કરી રહ્યા છે. સરકાર પોતાની વાત પર મક્કમ છે તો ઉમેદવારો પોતાના આંદોલન પર મક્કમ છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં પોતાના માગની રજૂઆત શંકર ભગવાન સામે ઉમેદવારોએ કરી હતી. ત્યારે હમણાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. આ સમયે ઉમેદવારોએ વિધ્નહર્તાના રજૂઆત કરી હતી. ગણેશ પંડાલમાં આજે ઉમેદવારોએ રમેશ ટિલાળા અને ભાનૂબેન બાબરિયા સાથે મુલાકાત કરી હતી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારોએ રજૂઆત કરી હતી. ગઈકાલે ગણપતિ બાપાના ન્યાયાલયમાં ટેટ ટાટ પાસ શિક્ષકોએ ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે ફરિયાદ કરી છે. 


ગણપતિ બાપ્પાની અદાલતમાં ઉમેદવારોએ કરી રજૂઆત 

ગણપતિ બાપ્પાને વિધ્નહર્તા દેવ કહેવામાં આવે છે. ભક્તોના વિધ્નો બાપ્પા દૂર કરે છે. ત્યારે ટેટ-ટાટના ઉમેદવારોએ ભગવાન ગણેશ આગળ પોતાના મુદ્દાને રજૂ કર્યો હતો. વિવિધ સ્થળો પર ગણેશ પંડાલનું આયોજન થતું હોય છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલમાં ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ટેટ-ટાટના ઉમેદવારો ગણપતિ બાપ્પાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગણપતિ બાપાના મંડપમાં જો કે એ મંડપ ન હતો ન્યાયાલય હતી જેમાં તેમણે ગુજરાત સરકાર સામે ફરિયાદ નોંધાવી છે. આ સિવાય વિરોધ નોંધાવી પૂજા કરીને તેમણે પોતાની રજૂઆત બાપ્પાને કરી હતી. 


અનેક વખત શિક્ષણ મંત્રીને કરી છે આ અંગે રજૂઆત 

મહત્વનું છે કે શિક્ષણ વિભાગની પરિસ્થિતિ કથળી રહી છે. ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગ અપનાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રી સહિતના પદાધિકારીઓને પત્ર લખ્યો હતો. પરંતુ તેમની રજૂઆત કોઈએ સાંભળી ન હતી. સંતોના શરણે પણ ઉમેદવારો ગયા હતા. શિવજીને પણ તેમણે પત્ર લખી રજૂઆત કરી હતી. પંરતુ તેમની રજૂઆતનો કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે હવે ઉમેદવારો ગણપતિ દાદાની કોર્ટમાં પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ઉમેદવારો ગણેશ પંડાલમાં મળ્યા હતા અને રજૂઆત કરી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.