ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના સરકાર પર પ્રહાર, વીજળી સવારે આપવામાં આવે કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-28 12:46:38

ઈસુદાન ગઢવી અનેક વખત સરકાર પર આકરા પ્રહાર કરતા રહે છે. ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખેડૂતો માટે સવારના સમયે પાણી આપવાની માગ કરી છે. તે સિવાય ભાજપ સરકાર પર ખેડૂતોની જમીન પડાવી લેવા એક કાયદો બનાવ્યો છે તેવા આક્ષેપો કર્યા છે. 


વીજળી સવારે આપવા કરાઈ માગ 

સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારના સમયે ખેડૂતોને પાણી નથી મળતું જેને કારણે રાતના સમયે તેઓ ખેતરમાં જતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા ઠંડીને કારણે ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી છે.  


આમ આદમી પાર્ટીએ કર્યા સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં 5 સીટો જીતી હતી. ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. જ્યારથી તેમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ આક્રામક રૂપમાં દેખાયા છે. સરકાર પર અનેક વખત આકરા પ્રહાર કર્યા છે ત્યારે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. જો માગ નહીં સ્વીકારવામાં આવે તો આગમી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.