ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના સરકાર પર પ્રહાર, વીજળી સવારે આપવામાં આવે કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-28 12:46:38

ઈસુદાન ગઢવી અનેક વખત સરકાર પર આકરા પ્રહાર કરતા રહે છે. ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખેડૂતો માટે સવારના સમયે પાણી આપવાની માગ કરી છે. તે સિવાય ભાજપ સરકાર પર ખેડૂતોની જમીન પડાવી લેવા એક કાયદો બનાવ્યો છે તેવા આક્ષેપો કર્યા છે. 


વીજળી સવારે આપવા કરાઈ માગ 

સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારના સમયે ખેડૂતોને પાણી નથી મળતું જેને કારણે રાતના સમયે તેઓ ખેતરમાં જતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા ઠંડીને કારણે ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી છે.  


આમ આદમી પાર્ટીએ કર્યા સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં 5 સીટો જીતી હતી. ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. જ્યારથી તેમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ આક્રામક રૂપમાં દેખાયા છે. સરકાર પર અનેક વખત આકરા પ્રહાર કર્યા છે ત્યારે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. જો માગ નહીં સ્વીકારવામાં આવે તો આગમી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.