ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના સરકાર પર પ્રહાર, વીજળી સવારે આપવામાં આવે કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-28 12:46:38

ઈસુદાન ગઢવી અનેક વખત સરકાર પર આકરા પ્રહાર કરતા રહે છે. ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખેડૂતો માટે સવારના સમયે પાણી આપવાની માગ કરી છે. તે સિવાય ભાજપ સરકાર પર ખેડૂતોની જમીન પડાવી લેવા એક કાયદો બનાવ્યો છે તેવા આક્ષેપો કર્યા છે. 


વીજળી સવારે આપવા કરાઈ માગ 

સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારના સમયે ખેડૂતોને પાણી નથી મળતું જેને કારણે રાતના સમયે તેઓ ખેતરમાં જતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા ઠંડીને કારણે ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી છે.  


આમ આદમી પાર્ટીએ કર્યા સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં 5 સીટો જીતી હતી. ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. જ્યારથી તેમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ આક્રામક રૂપમાં દેખાયા છે. સરકાર પર અનેક વખત આકરા પ્રહાર કર્યા છે ત્યારે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. જો માગ નહીં સ્વીકારવામાં આવે તો આગમી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.