ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના સરકાર પર પ્રહાર, વીજળી સવારે આપવામાં આવે કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-28 12:46:38

ઈસુદાન ગઢવી અનેક વખત સરકાર પર આકરા પ્રહાર કરતા રહે છે. ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખેડૂતો માટે સવારના સમયે પાણી આપવાની માગ કરી છે. તે સિવાય ભાજપ સરકાર પર ખેડૂતોની જમીન પડાવી લેવા એક કાયદો બનાવ્યો છે તેવા આક્ષેપો કર્યા છે. 


વીજળી સવારે આપવા કરાઈ માગ 

સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારના સમયે ખેડૂતોને પાણી નથી મળતું જેને કારણે રાતના સમયે તેઓ ખેતરમાં જતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા ઠંડીને કારણે ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી છે.  


આમ આદમી પાર્ટીએ કર્યા સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં 5 સીટો જીતી હતી. ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. જ્યારથી તેમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ આક્રામક રૂપમાં દેખાયા છે. સરકાર પર અનેક વખત આકરા પ્રહાર કર્યા છે ત્યારે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. જો માગ નહીં સ્વીકારવામાં આવે તો આગમી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.