ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ લખ્યું - આ વખતે ઈમાનદાર સરકાર બનાવવા સૌ ગુજરાતીઓ મક્કમ છે!!


  • Published By :
  • Published Date : 2022-10-22 16:10:04

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં ઉતરી છે. આપ પણ પોતાનો પ્રચાર કરવામાં પાછી નથી પડી રહી. સોશિયલ મીડિયાનો આપ પણ એકદમ એક્ટિવ થઈ ઉપયોગ કરી રહી છે. ત્યારે આ વખતે ભાજપ માટે એવું ચાલી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી. આ વાતનો ફાયદો રાજકીય પાર્ટી ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં રંગોળીમાં એક વ્યક્તિએ આમ આદમી પાર્ટીનો લોગો દોર્યો છે.

  

રંગોળીનો ફોટો શેર કરી ભાજપ પર આડકતરી રીતે કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ માટે આ વખતે લોકો કહી રહ્યા છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ  તારી છેલ્લી દિવાળી. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપને નિશાન સાધતું ટ્વિટ કર્યું હતું. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આપણે ત્યાં રંગોળી કરવામાં આવે છે. રંગોળીમાં અલગ અલગ ડિઝાઈન કરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિએ રંગોળીમાં આપનો લોગોની ડિઝાઈન કરી હતી. જેની આપે ટ્વિટ કરી છે.                     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે