ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ લખ્યું - આ વખતે ઈમાનદાર સરકાર બનાવવા સૌ ગુજરાતીઓ મક્કમ છે!!


  • Published By :
  • Published Date : 2022-10-22 16:10:04

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં ઉતરી છે. આપ પણ પોતાનો પ્રચાર કરવામાં પાછી નથી પડી રહી. સોશિયલ મીડિયાનો આપ પણ એકદમ એક્ટિવ થઈ ઉપયોગ કરી રહી છે. ત્યારે આ વખતે ભાજપ માટે એવું ચાલી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી. આ વાતનો ફાયદો રાજકીય પાર્ટી ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં રંગોળીમાં એક વ્યક્તિએ આમ આદમી પાર્ટીનો લોગો દોર્યો છે.

  

રંગોળીનો ફોટો શેર કરી ભાજપ પર આડકતરી રીતે કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ માટે આ વખતે લોકો કહી રહ્યા છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ  તારી છેલ્લી દિવાળી. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપને નિશાન સાધતું ટ્વિટ કર્યું હતું. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આપણે ત્યાં રંગોળી કરવામાં આવે છે. રંગોળીમાં અલગ અલગ ડિઝાઈન કરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિએ રંગોળીમાં આપનો લોગોની ડિઝાઈન કરી હતી. જેની આપે ટ્વિટ કરી છે.                     




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .