ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ લખ્યું - આ વખતે ઈમાનદાર સરકાર બનાવવા સૌ ગુજરાતીઓ મક્કમ છે!!


  • Published By :
  • Published Date : 2022-10-22 16:10:04

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં ઉતરી છે. આપ પણ પોતાનો પ્રચાર કરવામાં પાછી નથી પડી રહી. સોશિયલ મીડિયાનો આપ પણ એકદમ એક્ટિવ થઈ ઉપયોગ કરી રહી છે. ત્યારે આ વખતે ભાજપ માટે એવું ચાલી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી. આ વાતનો ફાયદો રાજકીય પાર્ટી ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં રંગોળીમાં એક વ્યક્તિએ આમ આદમી પાર્ટીનો લોગો દોર્યો છે.

  

રંગોળીનો ફોટો શેર કરી ભાજપ પર આડકતરી રીતે કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ માટે આ વખતે લોકો કહી રહ્યા છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ  તારી છેલ્લી દિવાળી. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપને નિશાન સાધતું ટ્વિટ કર્યું હતું. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આપણે ત્યાં રંગોળી કરવામાં આવે છે. રંગોળીમાં અલગ અલગ ડિઝાઈન કરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિએ રંગોળીમાં આપનો લોગોની ડિઝાઈન કરી હતી. જેની આપે ટ્વિટ કરી છે.                     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.