Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, આનંદનગરમાં તથ્યવાળી થતા બચી, જાણો ક્યાં ક્યાં સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-08-17 11:08:01

અમદાવાદમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો  છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ નામના નબીરાએ પોતાની ગાડીથી 10 નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા, 10 નિર્દોષ લોકોના મોત થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં ફરી ફૂલસ્પીડમાં આવી રહેલી ગાડીએ અકસ્માત સર્જ્યો છે. આનંદનગર રોડ નજીક આવેલા ટાઈટેનિટમ સિટી સેન્ટર મોલ પાસે આ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કાર ચાલકે બે રિક્ષાવાળાને અડફેટે લીધા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર મળ્યા નથી. અમદાવાદ સિવાય આણંદમાં પણ અકસ્માત સર્જાયો છે.  


આનંદનગર નજીક સર્જાયો અકસ્માત

તથ્ય પટેલ વાળો અકસ્માત દરેકને યાદ હશે. 10 નિર્દોષ લોકોને તથ્ય પટેલે અડફેટે લીધા હતા અને અકસ્માતમાં ભોગ બનેલા 10 લોકોના મોત થઈ ગયા હતા. રાજ્યમાં જાણે અકસ્માતની વણઝાર હોય તેવું લાગી રહ્યું છે. તથ્ય જેવો અકસ્માત ફરી એક વખત અમદાવાદમાં જોવા મળ્યો છે. આનંદનગર રોડ નજીક સર્જાયેલા અકસ્માત અંગેની વાત કરીએ તો એક કાર ચાલકે એક ટેમ્પો, ગાડી તેમજ બે રિક્ષાને પોતાની અડફેટમાં લીધી હતી. મહત્વનું છે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે નથી આવ્યા. પરંતુ મહત્વનું છે કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. 


ગઈકાલે અકસ્માતને કારણે થયા હતા અનેક લોકોના મોત 

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. અનેક લોકોના મોત આ અકસ્માતોને કારણે થતાં હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે. અમદાવાદમાં થયેલા અકસ્માત એટલે કે તથ્યકાંડ બાદ અનેક અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે જ બે અકસ્માતો થયા હતા જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. એક અકસ્માત બનસકાંઠામાં થયો હતો જ્યારે બીજો અકસ્માત ભરૂચ નજીક થયો હતો. પહેલા અકસ્માતમાં  દાદા અને પૌત્રનું મૃત્યુ ઘટના સ્થળ પર થયું હતું જ્યારે બીજા અકસ્માતમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. બે ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ગાડીમાં સવાર લોકોના મોત થઈ ગયા હતા.


નિર્દોષ વ્યક્તિઓએ બનવું પડતું હોય છે અકસ્માતનો ભોગ 

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા હશે. અનેક હસતા રમતા પરિવાર વિખેરાયા હશે. કોઈ વખત બીજા દ્વારા કરવામાં આવતી ભૂલની સજા કોઈ બીજા વ્યક્તિને ચૂકવવી પડતી હોય છે. સોશિયલ મીડિયા પર રોલો પાડવા માટે લોકો સ્ટંટ કરતા હોય છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને કારણે કોઈ વખત અકસ્માત સર્જાય છે અને ભોગ સામાન્ય વ્યક્તિ બને છે. ઝડપની મજા બીજા માટે મોતની સજા સાબિત ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી