છત્તીસગઢમાં સર્જાયેલો અકસ્માત આટલા લોકો માટે કાળ સાબિત થયો! બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ!


  • Published By :
  • Published Date : 2023-05-04 11:22:13

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે છત્તીસગઢમાં એક ભયંકર અકસ્માત થયો છે જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે એક બાળકીની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બાલોદ જિલ્લાના જગતારા પાસે સર્જાયો હતો. ટ્રક અને બોલેરો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બોલેરોના ભૂક્કા બોલી ગયા હતા.

   

બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં થયા 10 લોકોના મોત!

બુધવાર રાત્રે છત્તીસગઢમાં એક ભયંકર રોડ અકસ્માત થયો હતો જેમાં ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ટક્કર એટલી ભયાનક હતી કે આ અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કાંકેર જિલ્લાના મરકાટોલા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આ તમામ લોકો ધમતારી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત!

આ અકસ્માતમાં બોલેરોની હાલત એકદમ ભયંકર થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મરનાર એક જ પરિવારના સભ્યો હતા. આ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પણ દુખ વ્યક્ત કર્યું છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. તેમજ ઘાયલ બાળકી સારી થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.