છત્તીસગઢમાં સર્જાયેલો અકસ્માત આટલા લોકો માટે કાળ સાબિત થયો! બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ!


  • Published By :
  • Published Date : 2023-05-04 11:22:13

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે છત્તીસગઢમાં એક ભયંકર અકસ્માત થયો છે જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે એક બાળકીની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બાલોદ જિલ્લાના જગતારા પાસે સર્જાયો હતો. ટ્રક અને બોલેરો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બોલેરોના ભૂક્કા બોલી ગયા હતા.

   

બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં થયા 10 લોકોના મોત!

બુધવાર રાત્રે છત્તીસગઢમાં એક ભયંકર રોડ અકસ્માત થયો હતો જેમાં ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ટક્કર એટલી ભયાનક હતી કે આ અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કાંકેર જિલ્લાના મરકાટોલા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આ તમામ લોકો ધમતારી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત!

આ અકસ્માતમાં બોલેરોની હાલત એકદમ ભયંકર થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મરનાર એક જ પરિવારના સભ્યો હતા. આ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પણ દુખ વ્યક્ત કર્યું છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. તેમજ ઘાયલ બાળકી સારી થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.