છત્તીસગઢમાં સર્જાયેલો અકસ્માત આટલા લોકો માટે કાળ સાબિત થયો! બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ!


  • Published By :
  • Published Date : 2023-05-04 11:22:13

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે છત્તીસગઢમાં એક ભયંકર અકસ્માત થયો છે જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે એક બાળકીની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બાલોદ જિલ્લાના જગતારા પાસે સર્જાયો હતો. ટ્રક અને બોલેરો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બોલેરોના ભૂક્કા બોલી ગયા હતા.

   

બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં થયા 10 લોકોના મોત!

બુધવાર રાત્રે છત્તીસગઢમાં એક ભયંકર રોડ અકસ્માત થયો હતો જેમાં ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ટક્કર એટલી ભયાનક હતી કે આ અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કાંકેર જિલ્લાના મરકાટોલા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આ તમામ લોકો ધમતારી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત!

આ અકસ્માતમાં બોલેરોની હાલત એકદમ ભયંકર થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મરનાર એક જ પરિવારના સભ્યો હતા. આ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પણ દુખ વ્યક્ત કર્યું છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. તેમજ ઘાયલ બાળકી સારી થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.