આરોપીએ પોલીસને દોડતી કરી, પાટણમાં હોસ્પિટલમાંથી કેદી ફરાર થયો


  • Published By :
  • Published Date : 2023-10-17 14:06:36

પાટણમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કારણ કે પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો છે. પાટણ પોલીસ દ્વારા કાચા કામના કેદીને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં આ આરોપીએ પોલીસને ચકમો આપી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે.

પાટણની ધારપુર હોસ્પિટલમાં કેદીઓ ફરાર થવાના અને આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર પાટણની સુજનીપુર સબજેલમાં કાચા કામના કેદી તરીકે રખાયેલા રાકેશ ઠકકર નામના કેદીને પોલીસ દ્વારા સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના વોર્ડમાંથી આ આરોપી ફરાર થઈ ગયો છે. જોકે આ આરોપીને પકડવા પોલીસ તંત્ર દોડતું થયું છે અને રાકેશ ઠકકરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી નાકાબંધી સહિતની કાર્યવાહી શરૂ કરી છે.


અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

ચાર મહિના આવ્યા પણ આવી ઘટના બની હતી. જેમાં સારવાર અર્થે લાવેલો આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ કર્મચારીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા. ચાર મહિના પહેલા પાટણ સુનજનીપુર જેલમાં રખાયેલ 4 કેદીઓને પાટણ ધારપુર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ માટે લાવવામાં આવેલ દરમ્યાન એક કેદી ઘંટી સિંહ નામનો કેદી પોલીસની નજર ચૂકવી નાસી ગયો હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી