આરોપીએ પોલીસને દોડતી કરી, પાટણમાં હોસ્પિટલમાંથી કેદી ફરાર થયો


  • Published By :
  • Published Date : 2023-10-17 14:06:36

પાટણમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કારણ કે પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો છે. પાટણ પોલીસ દ્વારા કાચા કામના કેદીને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં આ આરોપીએ પોલીસને ચકમો આપી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે.

પાટણની ધારપુર હોસ્પિટલમાં કેદીઓ ફરાર થવાના અને આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર પાટણની સુજનીપુર સબજેલમાં કાચા કામના કેદી તરીકે રખાયેલા રાકેશ ઠકકર નામના કેદીને પોલીસ દ્વારા સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના વોર્ડમાંથી આ આરોપી ફરાર થઈ ગયો છે. જોકે આ આરોપીને પકડવા પોલીસ તંત્ર દોડતું થયું છે અને રાકેશ ઠકકરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી નાકાબંધી સહિતની કાર્યવાહી શરૂ કરી છે.


અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

ચાર મહિના આવ્યા પણ આવી ઘટના બની હતી. જેમાં સારવાર અર્થે લાવેલો આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ કર્મચારીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા. ચાર મહિના પહેલા પાટણ સુનજનીપુર જેલમાં રખાયેલ 4 કેદીઓને પાટણ ધારપુર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ માટે લાવવામાં આવેલ દરમ્યાન એક કેદી ઘંટી સિંહ નામનો કેદી પોલીસની નજર ચૂકવી નાસી ગયો હતો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.