આરોપીએ પોલીસને દોડતી કરી, પાટણમાં હોસ્પિટલમાંથી કેદી ફરાર થયો


  • Published By :
  • Published Date : 2023-10-17 14:06:36

પાટણમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કારણ કે પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો છે. પાટણ પોલીસ દ્વારા કાચા કામના કેદીને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં આ આરોપીએ પોલીસને ચકમો આપી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે.

પાટણની ધારપુર હોસ્પિટલમાં કેદીઓ ફરાર થવાના અને આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર પાટણની સુજનીપુર સબજેલમાં કાચા કામના કેદી તરીકે રખાયેલા રાકેશ ઠકકર નામના કેદીને પોલીસ દ્વારા સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના વોર્ડમાંથી આ આરોપી ફરાર થઈ ગયો છે. જોકે આ આરોપીને પકડવા પોલીસ તંત્ર દોડતું થયું છે અને રાકેશ ઠકકરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી નાકાબંધી સહિતની કાર્યવાહી શરૂ કરી છે.


અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

ચાર મહિના આવ્યા પણ આવી ઘટના બની હતી. જેમાં સારવાર અર્થે લાવેલો આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ કર્મચારીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા. ચાર મહિના પહેલા પાટણ સુનજનીપુર જેલમાં રખાયેલ 4 કેદીઓને પાટણ ધારપુર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ માટે લાવવામાં આવેલ દરમ્યાન એક કેદી ઘંટી સિંહ નામનો કેદી પોલીસની નજર ચૂકવી નાસી ગયો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.