આરોપીએ પોલીસને દોડતી કરી, પાટણમાં હોસ્પિટલમાંથી કેદી ફરાર થયો


  • Published By :
  • Published Date : 2023-10-17 14:06:36

પાટણમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કારણ કે પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો છે. પાટણ પોલીસ દ્વારા કાચા કામના કેદીને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં આ આરોપીએ પોલીસને ચકમો આપી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે.

પાટણની ધારપુર હોસ્પિટલમાં કેદીઓ ફરાર થવાના અને આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર પાટણની સુજનીપુર સબજેલમાં કાચા કામના કેદી તરીકે રખાયેલા રાકેશ ઠકકર નામના કેદીને પોલીસ દ્વારા સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના વોર્ડમાંથી આ આરોપી ફરાર થઈ ગયો છે. જોકે આ આરોપીને પકડવા પોલીસ તંત્ર દોડતું થયું છે અને રાકેશ ઠકકરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી નાકાબંધી સહિતની કાર્યવાહી શરૂ કરી છે.


અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

ચાર મહિના આવ્યા પણ આવી ઘટના બની હતી. જેમાં સારવાર અર્થે લાવેલો આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ કર્મચારીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા. ચાર મહિના પહેલા પાટણ સુનજનીપુર જેલમાં રખાયેલ 4 કેદીઓને પાટણ ધારપુર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ માટે લાવવામાં આવેલ દરમ્યાન એક કેદી ઘંટી સિંહ નામનો કેદી પોલીસની નજર ચૂકવી નાસી ગયો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.