આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ મેડલને લઈ કરી મોટી જાહેરાત, હવે જંતર-મંતર પર નહીં પરંતુ આ જગ્યાએ કરશે ધરણા?


  • Published By :
  • Published Date : 2023-05-30 13:53:04

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા.  WFIના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ પહેલવાનો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો જતા રહ્યા હતા. આંદોલન વચ્ચે કુસ્તીબાજોએ એક મહત્વની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર કુસ્તીબાજોએ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, અમે આ મેડલ ગંગામાં વહાવી દઈશું. ઉપરાંત આમરણ અનશનની પણ વાત કરવામાં આવી હતી.  સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


ઈન્ડિયા ગેટ ખાતે કુસ્તીબાજો કરશે આમરણ અનશન!

બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા દિવસોથી જંતરમંતર ખાતે ધરણા કરી રહ્યા હતા. યૌન શોષણના આરોપો કુસ્તીબાજો લગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રવિવારે કુસ્તીબાજોએ માર્ચનું આયોજન કર્યું હતું પરંતુ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી પહેલવાનો નીકળી ગયા હતા. આંદોલન વચ્ચે મેડલને લઈ પહેલવાનોએ જાહેરાત કરી કે સાંજે 6 વાગે પોતાના મેડલ ગંગામાં વહાવી દેશે. તે સિવાય સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ઈંડિયા ગેટ પર આમરણ અનશન કરશે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.