આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ મેડલને લઈ કરી મોટી જાહેરાત, હવે જંતર-મંતર પર નહીં પરંતુ આ જગ્યાએ કરશે ધરણા?


  • Published By :
  • Published Date : 2023-05-30 13:53:04

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા.  WFIના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ પહેલવાનો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો જતા રહ્યા હતા. આંદોલન વચ્ચે કુસ્તીબાજોએ એક મહત્વની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર કુસ્તીબાજોએ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, અમે આ મેડલ ગંગામાં વહાવી દઈશું. ઉપરાંત આમરણ અનશનની પણ વાત કરવામાં આવી હતી.  સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


ઈન્ડિયા ગેટ ખાતે કુસ્તીબાજો કરશે આમરણ અનશન!

બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા દિવસોથી જંતરમંતર ખાતે ધરણા કરી રહ્યા હતા. યૌન શોષણના આરોપો કુસ્તીબાજો લગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રવિવારે કુસ્તીબાજોએ માર્ચનું આયોજન કર્યું હતું પરંતુ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી પહેલવાનો નીકળી ગયા હતા. આંદોલન વચ્ચે મેડલને લઈ પહેલવાનોએ જાહેરાત કરી કે સાંજે 6 વાગે પોતાના મેડલ ગંગામાં વહાવી દેશે. તે સિવાય સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ઈંડિયા ગેટ પર આમરણ અનશન કરશે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.