રાજ્યમાં ઘટ્યું ઠંડીનું પ્રમાણ, 12 જાન્યુઆરી બાદ આવશે હવામાનમાં બદલાવ


  • Published By :
  • Published Date : 2023-01-07 08:49:59

સમગ્ર રાજ્યમાં તેમજ દેશમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તેમજ શહેરોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી અનુભવાઈ રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ભારે પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થતો હતો. પરંતુ કાલથી પવન ઓછો વહી રહ્યો છે અને ઠંડીમાં પણ રાહત અનુભવાઈ રહી છે. પરંતુ ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ 15 જાન્યુઆરી આસપાસ અનુભવાશે. 


હાલ ઓછી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ 

ઉત્તરભારતમાં સતત ઠંડી વધી રહી છે. ઠંડા પવનને કારણે તાપમાન ગગડી રહ્યું છે.  ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી વધતા ગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી ભારે પવન વહી રહ્યો છે તેમજ ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીથી રાહત મળી શકે છે. ઠંડીનો ચમકારો ઓછો થઈ શકે છે.


ઉત્તરાયણ સમયે મળશે પવનનો સાથ  

દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી હવા ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળવાની સંભાવના છે પરંતુ ઉત્તરાયણ સમયે ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 14 જાન્યુઆરીએ ઠંડો પવન ફૂંકાશે અને ઠંડીનું પ્રમાણ વધશે. ઠંડીની સાથે સાથે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.