રાજ્યમાં ઘટ્યું ઠંડીનું પ્રમાણ, 12 જાન્યુઆરી બાદ આવશે હવામાનમાં બદલાવ


  • Published By :
  • Published Date : 2023-01-07 08:49:59

સમગ્ર રાજ્યમાં તેમજ દેશમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તેમજ શહેરોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી અનુભવાઈ રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ભારે પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થતો હતો. પરંતુ કાલથી પવન ઓછો વહી રહ્યો છે અને ઠંડીમાં પણ રાહત અનુભવાઈ રહી છે. પરંતુ ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ 15 જાન્યુઆરી આસપાસ અનુભવાશે. 


હાલ ઓછી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ 

ઉત્તરભારતમાં સતત ઠંડી વધી રહી છે. ઠંડા પવનને કારણે તાપમાન ગગડી રહ્યું છે.  ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી વધતા ગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી ભારે પવન વહી રહ્યો છે તેમજ ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીથી રાહત મળી શકે છે. ઠંડીનો ચમકારો ઓછો થઈ શકે છે.


ઉત્તરાયણ સમયે મળશે પવનનો સાથ  

દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી હવા ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળવાની સંભાવના છે પરંતુ ઉત્તરાયણ સમયે ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 14 જાન્યુઆરીએ ઠંડો પવન ફૂંકાશે અને ઠંડીનું પ્રમાણ વધશે. ઠંડીની સાથે સાથે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.