રાજ્યમાં ઘટ્યું ઠંડીનું પ્રમાણ, 12 જાન્યુઆરી બાદ આવશે હવામાનમાં બદલાવ


  • Published By :
  • Published Date : 2023-01-07 08:49:59

સમગ્ર રાજ્યમાં તેમજ દેશમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તેમજ શહેરોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી અનુભવાઈ રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ભારે પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થતો હતો. પરંતુ કાલથી પવન ઓછો વહી રહ્યો છે અને ઠંડીમાં પણ રાહત અનુભવાઈ રહી છે. પરંતુ ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ 15 જાન્યુઆરી આસપાસ અનુભવાશે. 


હાલ ઓછી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ 

ઉત્તરભારતમાં સતત ઠંડી વધી રહી છે. ઠંડા પવનને કારણે તાપમાન ગગડી રહ્યું છે.  ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી વધતા ગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી ભારે પવન વહી રહ્યો છે તેમજ ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીથી રાહત મળી શકે છે. ઠંડીનો ચમકારો ઓછો થઈ શકે છે.


ઉત્તરાયણ સમયે મળશે પવનનો સાથ  

દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી હવા ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળવાની સંભાવના છે પરંતુ ઉત્તરાયણ સમયે ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 14 જાન્યુઆરીએ ઠંડો પવન ફૂંકાશે અને ઠંડીનું પ્રમાણ વધશે. ઠંડીની સાથે સાથે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.