આવનાર દિવસોમાં વધશે ઠંડીનું પ્રમાણ, હાડકા થીજવી દે તેવી પડશે ઠંડી


  • Published By :
  • Published Date : 2023-01-01 11:41:19

ગુજરાતમાં થોડા દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો નીચે આવતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના 12 શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે જેમાં અમદાવાદમાં ઠંડી હવાનો પણ અનુભવ થશે. આબુમાં થોડા સમય બાદ શૂન્યએ તાપમાન પહોંચી શકે છે. નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. 


અનેક શહેરોમાં વધશે ઠંડીનું પ્રમાણ

ધીરે-ધીરે શિયાળાની ઠંડીનો રાજ્યમાં અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અનેક શહેરોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે અનેક શહેરોમાં થવાનો છે. આગામી દિવસોમાં તાપમાન હજી નીચે જઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ઠંડા પવનને કારણે વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ડીસા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ઠંડીનો વધારે અનુભવ થઈ રહ્યો છે. 


અમદાવાદમાં પણ ઘટી શકે છે તાપમાન

પોષ મહિનાની શરૂઆત થતા ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હતો. ડિસેમ્બર, જાન્યુઆરીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. અનેક શહેરોમાં તાપમાન નીચે જવાને કારણે વધારે ઠંડીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આવનાર 48 કલાકમાં તાપમાન ઘટી શકે છે.                 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.