આવનાર દિવસોમાં વધશે ઠંડીનું પ્રમાણ, હાડકા થીજવી દે તેવી પડશે ઠંડી


  • Published By :
  • Published Date : 2023-01-01 11:41:19

ગુજરાતમાં થોડા દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો નીચે આવતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના 12 શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે જેમાં અમદાવાદમાં ઠંડી હવાનો પણ અનુભવ થશે. આબુમાં થોડા સમય બાદ શૂન્યએ તાપમાન પહોંચી શકે છે. નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. 


અનેક શહેરોમાં વધશે ઠંડીનું પ્રમાણ

ધીરે-ધીરે શિયાળાની ઠંડીનો રાજ્યમાં અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અનેક શહેરોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે અનેક શહેરોમાં થવાનો છે. આગામી દિવસોમાં તાપમાન હજી નીચે જઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ઠંડા પવનને કારણે વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ડીસા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ઠંડીનો વધારે અનુભવ થઈ રહ્યો છે. 


અમદાવાદમાં પણ ઘટી શકે છે તાપમાન

પોષ મહિનાની શરૂઆત થતા ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હતો. ડિસેમ્બર, જાન્યુઆરીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. અનેક શહેરોમાં તાપમાન નીચે જવાને કારણે વધારે ઠંડીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આવનાર 48 કલાકમાં તાપમાન ઘટી શકે છે.                 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.