Pakistanની કમાન હવે શાહબાઝ શરીફના હાથમાં! વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફે લીધા શપથ, PM Modiએ પાઠવ્યા અભિનંદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-05 11:26:41

પાકિસ્તાનમાં થોડા સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાઈ. પ્રધાનમંત્રીને લઈ, પાકિસ્તાનમાં કોની સરકાર બનશે તેને લઈ પ્રશ્નો થયા હતા. ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફે શપથ લીધા છે. શાહબાઝ શરીફને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ લખ્યું તે "શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન." શહબાઝ શરીફે વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તેમને પીએમ તરીકેના શપથ લેવડાવ્યા હતા. 

પીએમ મોદીએ પાઠવ્યા શહબાઝ શરીફને અભિનંદન! 

અટલ બિહારી વાજપૈયી કહેતા હતા કે આપણે મિત્ર બદલી શકીએ છીએ પરંતુ પાડોશી નહીં. વાત સાચી પણ છે આપણે ત્યાં કહેવાય છે કે પહેલો સગો પાડોશી. ભારતના પાડોશી મિત્રો સાથે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. પાકિસ્તાન સાથે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફે શપથ લીધા છે. સોમવારે તેમણે શપથ લીધા છે અને પીએમ મોદીએ તેમને પીએમ બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. એપ્રિલ 2022માં શહબાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારે પણ પીએમ મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. શહબાઝ એવા સમયે પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળી રહ્યા છે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા એકદમ બેહાલ થઈ રહી છે.       



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.