Pakistanની કમાન હવે શાહબાઝ શરીફના હાથમાં! વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફે લીધા શપથ, PM Modiએ પાઠવ્યા અભિનંદન


  • Published By :
  • Published Date : 2024-03-05 11:26:41

પાકિસ્તાનમાં થોડા સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાઈ. પ્રધાનમંત્રીને લઈ, પાકિસ્તાનમાં કોની સરકાર બનશે તેને લઈ પ્રશ્નો થયા હતા. ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફે શપથ લીધા છે. શાહબાઝ શરીફને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ લખ્યું તે "શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન." શહબાઝ શરીફે વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તેમને પીએમ તરીકેના શપથ લેવડાવ્યા હતા. 

પીએમ મોદીએ પાઠવ્યા શહબાઝ શરીફને અભિનંદન! 

અટલ બિહારી વાજપૈયી કહેતા હતા કે આપણે મિત્ર બદલી શકીએ છીએ પરંતુ પાડોશી નહીં. વાત સાચી પણ છે આપણે ત્યાં કહેવાય છે કે પહેલો સગો પાડોશી. ભારતના પાડોશી મિત્રો સાથે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. પાકિસ્તાન સાથે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફે શપથ લીધા છે. સોમવારે તેમણે શપથ લીધા છે અને પીએમ મોદીએ તેમને પીએમ બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. એપ્રિલ 2022માં શહબાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારે પણ પીએમ મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. શહબાઝ એવા સમયે પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળી રહ્યા છે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા એકદમ બેહાલ થઈ રહી છે.       



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.