દર્શકોને પસંદ આવી રહ્યું છે સાઉથની ફિલ્મ હનુમાનનું ટીઝર, તમે જોયું ફિલ્મનું ટીઝર?


  • Published By :
  • Published Date : 2022-11-23 12:45:57

એક બાદ એક સાઉથની ફિલ્મો સુપરહિટ થઈ રહી છે. ત્યારે વધુ એક સાઉથની મુવીનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. તાજેતરમાં જ પ્રશાંત વર્માની ફિલ્મ હનુમાનનું ટીઝર લોન્ચ થયું છે. ટીઝર લોન્ચ થતા આ ફિલ્મને આદિપુરુષ સાથે સરખાવામાં આવી રહી છે. પૌરાણીક કથાઓના સૌથી શક્તિશાળી ભગવાન એવા હનુમાનજીથી પ્રેરણા લઈ આ ફિલ્મને બનાવવામાં આવી છે.

ટીઝર જોયા બાદ દર્શકો જોઈ રહ્યા છે ફિલ્મની રાહ

આ ફિલ્મમાં પણ વધારે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શુટિંગ ગયા વર્ષે કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેજા સજ્જા મુખ્યભૂમિકામાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે તેજા સજ્જાની એન્ટ્રી થાય છે. અને ટીઝરનો અંતમાં રામ નામનું સ્મરણ કરતા હનુમાનજીથી થાય છે. ટીઝરને જોયા પછી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ શકે છે.

Image

Image

પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સાથે થઈ રહી છે સરખામણી 

આ ફિલ્મનું ટીઝર જ્યારથી રિલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મની તુલના પ્રભાસની સુપરહિટ ફિલ્મ આદિપુરુષ સાથે થવા લાગી હતી. આ ફિલ્મમાં તેજા સજ્જાની એન્ટ્રી એકદમ ધમાકેદાર છે. આ ફિલ્મના પોસ્ટરમાં તેઓ ગદા લઈને દેખાય છે. આ પહેલા પ્રશાંત વર્માએ સુપરહિટ ફિલ્મો લઈને આવ્યા છે. આ વખતે હિંદુ ધર્મથી પ્રેરાઈ તો હનુમાન ફિલ્મ લઈને આવ્યા છે.    




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.