દર્શકોને પસંદ આવી રહ્યું છે સાઉથની ફિલ્મ હનુમાનનું ટીઝર, તમે જોયું ફિલ્મનું ટીઝર?


  • Published By :
  • Published Date : 2022-11-23 12:45:57

એક બાદ એક સાઉથની ફિલ્મો સુપરહિટ થઈ રહી છે. ત્યારે વધુ એક સાઉથની મુવીનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. તાજેતરમાં જ પ્રશાંત વર્માની ફિલ્મ હનુમાનનું ટીઝર લોન્ચ થયું છે. ટીઝર લોન્ચ થતા આ ફિલ્મને આદિપુરુષ સાથે સરખાવામાં આવી રહી છે. પૌરાણીક કથાઓના સૌથી શક્તિશાળી ભગવાન એવા હનુમાનજીથી પ્રેરણા લઈ આ ફિલ્મને બનાવવામાં આવી છે.

ટીઝર જોયા બાદ દર્શકો જોઈ રહ્યા છે ફિલ્મની રાહ

આ ફિલ્મમાં પણ વધારે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શુટિંગ ગયા વર્ષે કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેજા સજ્જા મુખ્યભૂમિકામાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે તેજા સજ્જાની એન્ટ્રી થાય છે. અને ટીઝરનો અંતમાં રામ નામનું સ્મરણ કરતા હનુમાનજીથી થાય છે. ટીઝરને જોયા પછી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ શકે છે.

Image

Image

પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સાથે થઈ રહી છે સરખામણી 

આ ફિલ્મનું ટીઝર જ્યારથી રિલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મની તુલના પ્રભાસની સુપરહિટ ફિલ્મ આદિપુરુષ સાથે થવા લાગી હતી. આ ફિલ્મમાં તેજા સજ્જાની એન્ટ્રી એકદમ ધમાકેદાર છે. આ ફિલ્મના પોસ્ટરમાં તેઓ ગદા લઈને દેખાય છે. આ પહેલા પ્રશાંત વર્માએ સુપરહિટ ફિલ્મો લઈને આવ્યા છે. આ વખતે હિંદુ ધર્મથી પ્રેરાઈ તો હનુમાન ફિલ્મ લઈને આવ્યા છે.    




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.