દર્શકોને પસંદ આવી રહ્યું છે સાઉથની ફિલ્મ હનુમાનનું ટીઝર, તમે જોયું ફિલ્મનું ટીઝર?


  • Published By :
  • Published Date : 2022-11-23 12:45:57

એક બાદ એક સાઉથની ફિલ્મો સુપરહિટ થઈ રહી છે. ત્યારે વધુ એક સાઉથની મુવીનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. તાજેતરમાં જ પ્રશાંત વર્માની ફિલ્મ હનુમાનનું ટીઝર લોન્ચ થયું છે. ટીઝર લોન્ચ થતા આ ફિલ્મને આદિપુરુષ સાથે સરખાવામાં આવી રહી છે. પૌરાણીક કથાઓના સૌથી શક્તિશાળી ભગવાન એવા હનુમાનજીથી પ્રેરણા લઈ આ ફિલ્મને બનાવવામાં આવી છે.

ટીઝર જોયા બાદ દર્શકો જોઈ રહ્યા છે ફિલ્મની રાહ

આ ફિલ્મમાં પણ વધારે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શુટિંગ ગયા વર્ષે કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેજા સજ્જા મુખ્યભૂમિકામાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે તેજા સજ્જાની એન્ટ્રી થાય છે. અને ટીઝરનો અંતમાં રામ નામનું સ્મરણ કરતા હનુમાનજીથી થાય છે. ટીઝરને જોયા પછી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ શકે છે.

Image

Image

પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સાથે થઈ રહી છે સરખામણી 

આ ફિલ્મનું ટીઝર જ્યારથી રિલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મની તુલના પ્રભાસની સુપરહિટ ફિલ્મ આદિપુરુષ સાથે થવા લાગી હતી. આ ફિલ્મમાં તેજા સજ્જાની એન્ટ્રી એકદમ ધમાકેદાર છે. આ ફિલ્મના પોસ્ટરમાં તેઓ ગદા લઈને દેખાય છે. આ પહેલા પ્રશાંત વર્માએ સુપરહિટ ફિલ્મો લઈને આવ્યા છે. આ વખતે હિંદુ ધર્મથી પ્રેરાઈ તો હનુમાન ફિલ્મ લઈને આવ્યા છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.