મહિસાગરમાં મળ્યો યુવકનો મૃતદેહ! ફાંસો ખાધેલી હાલતમાં હોર્ડિંગ્સ પર લટકેલી મળી લાશ, પોલીસે આરંભી તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-29 13:31:31

વહેલી સવારે મહિસાગરના બાલાસિનોર શહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ રોડ પર એક જાહેરાતના હોર્ડિંગ્સ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ મૃતદેહ અંગેની જાણ પોલીસને કરી હતી. લટકતી લાશ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. હોર્ડિંગ્સ પરથી યુવકની લાશ ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી દીધી. સરકારી હોસ્પિટલ ખસેડી યુવક ક્યાંનો છે, કેવી રીતે ત્યાં પહોંચ્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.  


હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે આરંભી તપાસ 

જાહેરાત માટે રસ્તાઓ પર અનેક હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. ત્યારે મહિસાગરના બાલાસિનોરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ હોર્ડિંગ્સ પરથી મળી આવ્યો હતો. શહેરના અમદાવાદ રોડ પર આવેલા હોર્ડિંગ્સ પર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લોકોએ જોયો હતો. મૃતદેહ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ આરંભી છે. મળતી માહિતી અનુસાર યુવક અરવલ્લીનો હોય તેવી વાત સામે આવી હતી. મૃતદેહ કોનો છે તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં  આવી રહી છે. મૃતકના પરિવારને શોધવાની તજવીજ પોલીસે આરંભી છે. તપાસ બાદ ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા?           




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.