મહિસાગરમાં મળ્યો યુવકનો મૃતદેહ! ફાંસો ખાધેલી હાલતમાં હોર્ડિંગ્સ પર લટકેલી મળી લાશ, પોલીસે આરંભી તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-29 13:31:31

વહેલી સવારે મહિસાગરના બાલાસિનોર શહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ રોડ પર એક જાહેરાતના હોર્ડિંગ્સ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ મૃતદેહ અંગેની જાણ પોલીસને કરી હતી. લટકતી લાશ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. હોર્ડિંગ્સ પરથી યુવકની લાશ ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી દીધી. સરકારી હોસ્પિટલ ખસેડી યુવક ક્યાંનો છે, કેવી રીતે ત્યાં પહોંચ્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.  


હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે આરંભી તપાસ 

જાહેરાત માટે રસ્તાઓ પર અનેક હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. ત્યારે મહિસાગરના બાલાસિનોરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ હોર્ડિંગ્સ પરથી મળી આવ્યો હતો. શહેરના અમદાવાદ રોડ પર આવેલા હોર્ડિંગ્સ પર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લોકોએ જોયો હતો. મૃતદેહ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ આરંભી છે. મળતી માહિતી અનુસાર યુવક અરવલ્લીનો હોય તેવી વાત સામે આવી હતી. મૃતદેહ કોનો છે તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં  આવી રહી છે. મૃતકના પરિવારને શોધવાની તજવીજ પોલીસે આરંભી છે. તપાસ બાદ ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા?           




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.