મહિસાગરમાં મળ્યો યુવકનો મૃતદેહ! ફાંસો ખાધેલી હાલતમાં હોર્ડિંગ્સ પર લટકેલી મળી લાશ, પોલીસે આરંભી તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-29 13:31:31

વહેલી સવારે મહિસાગરના બાલાસિનોર શહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ રોડ પર એક જાહેરાતના હોર્ડિંગ્સ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ મૃતદેહ અંગેની જાણ પોલીસને કરી હતી. લટકતી લાશ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. હોર્ડિંગ્સ પરથી યુવકની લાશ ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી દીધી. સરકારી હોસ્પિટલ ખસેડી યુવક ક્યાંનો છે, કેવી રીતે ત્યાં પહોંચ્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.  


હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે આરંભી તપાસ 

જાહેરાત માટે રસ્તાઓ પર અનેક હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. ત્યારે મહિસાગરના બાલાસિનોરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ હોર્ડિંગ્સ પરથી મળી આવ્યો હતો. શહેરના અમદાવાદ રોડ પર આવેલા હોર્ડિંગ્સ પર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લોકોએ જોયો હતો. મૃતદેહ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ આરંભી છે. મળતી માહિતી અનુસાર યુવક અરવલ્લીનો હોય તેવી વાત સામે આવી હતી. મૃતદેહ કોનો છે તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં  આવી રહી છે. મૃતકના પરિવારને શોધવાની તજવીજ પોલીસે આરંભી છે. તપાસ બાદ ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા?           




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.