મહિસાગરમાં મળ્યો યુવકનો મૃતદેહ! ફાંસો ખાધેલી હાલતમાં હોર્ડિંગ્સ પર લટકેલી મળી લાશ, પોલીસે આરંભી તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-29 13:31:31

વહેલી સવારે મહિસાગરના બાલાસિનોર શહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ રોડ પર એક જાહેરાતના હોર્ડિંગ્સ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ મૃતદેહ અંગેની જાણ પોલીસને કરી હતી. લટકતી લાશ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. હોર્ડિંગ્સ પરથી યુવકની લાશ ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી દીધી. સરકારી હોસ્પિટલ ખસેડી યુવક ક્યાંનો છે, કેવી રીતે ત્યાં પહોંચ્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.  


હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે આરંભી તપાસ 

જાહેરાત માટે રસ્તાઓ પર અનેક હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. ત્યારે મહિસાગરના બાલાસિનોરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ હોર્ડિંગ્સ પરથી મળી આવ્યો હતો. શહેરના અમદાવાદ રોડ પર આવેલા હોર્ડિંગ્સ પર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લોકોએ જોયો હતો. મૃતદેહ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ આરંભી છે. મળતી માહિતી અનુસાર યુવક અરવલ્લીનો હોય તેવી વાત સામે આવી હતી. મૃતદેહ કોનો છે તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં  આવી રહી છે. મૃતકના પરિવારને શોધવાની તજવીજ પોલીસે આરંભી છે. તપાસ બાદ ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા?           




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.