બારડોલીમાં મળી આવ્યો યુવતીનો મૃતદેહ! જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતીની લાશ મળતા ઉભા થયા તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-04-10 12:37:27

ગઈકાલે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર તકલીફ વગર પહોંચી શકે તે માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પરંતું સરતના બાર઼ડોલી તાલુકાના ઉઠરેલ ગામની સીમા પર એક યુવતીનો મૃતહેદ મળી આવ્યો હતો. યુવતી ઘરેથી પરીક્ષા આપવામાં માટે નીકળી હતી પરંતુ ગામની સીમા નજીક ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતી મળી આવી હતી. યુવતીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.  


પોલીસે હાથ ધરી તપાસ 

ઘણા વર્ષો બાદ રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. થોડા સમય પહેલા પેપરનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પેપર ફૂટવાને કારણે પેપર રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાને કારણે શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. ત્યારે સુરતના બારડોલીથી એક યુવતીની લાશ મળી આવી હતી. બાવળના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 


શંકાસ્પદ હાલતમાં મળી આવી યુવતીની લાશ 

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે નિકળેલી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.