બારડોલીમાં મળી આવ્યો યુવતીનો મૃતદેહ! જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતીની લાશ મળતા ઉભા થયા તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-04-10 12:37:27

ગઈકાલે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર તકલીફ વગર પહોંચી શકે તે માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પરંતું સરતના બાર઼ડોલી તાલુકાના ઉઠરેલ ગામની સીમા પર એક યુવતીનો મૃતહેદ મળી આવ્યો હતો. યુવતી ઘરેથી પરીક્ષા આપવામાં માટે નીકળી હતી પરંતુ ગામની સીમા નજીક ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતી મળી આવી હતી. યુવતીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.  


પોલીસે હાથ ધરી તપાસ 

ઘણા વર્ષો બાદ રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. થોડા સમય પહેલા પેપરનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પેપર ફૂટવાને કારણે પેપર રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાને કારણે શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. ત્યારે સુરતના બારડોલીથી એક યુવતીની લાશ મળી આવી હતી. બાવળના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 


શંકાસ્પદ હાલતમાં મળી આવી યુવતીની લાશ 

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે નિકળેલી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.