આગથી બસનું ભડથું થઈ ગયું , રાજકોટની સિટી બસમાં લાગી આગ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:13:14

રાજકોટ શહેરના મવડીથી કણકોટ જતી સિટિ બસમાં આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટના બાદ બસના કર્મચારીએ પાણી નાખી આગ બુજાવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ તો ના ઓલવાઈ પણ આગ વધુ વિકરાળ સ્વરૂપ લીધો હતો. હાલ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહયો છે.

 

વિડિયોમાં કઈ ઘટના છે ?

વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસમાં આગ વિકરાળ બની છે અને આખી બસ સળગી ઉઠી છે સમયે સિટી બસના કર્મચારી દ્વારા પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બસનો આખો આગળનો ભાગ સળગી ગયો હતો. ત્યારે બસમાં આગ લાગવાને પગલે લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

 

આગથી બસનું ભડથું થઈ ગયું !!!!

આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે બસનું માઇન્ટેનએન્સ કરવામાં આવતું નથી કદાચ તેના કારણે આવી ઘટના બનતી હોય છે. અને આવી ઘટનાઓ ન બને તેના માટે ધ્યાન રાખવું જરૂરી છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .