એએમસી દ્વારા ખોદેલાં ખાડામાં પડી કાર, સીટીએમ ચાર રસ્તા પાસે બની ઘટના


  • Published By :
  • Published Date : 2023-02-08 13:11:38

રસ્તાનું નિર્માણ થયા બાદ અનેક વખત તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવે છે. અનેક રસ્તાઓ પર ખોડાયેલા ખાડા જોવા મળતા હોય છે. ખોદકામ થવાને કારણે વાહનચાલકોને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. તો અનેક વખત રસ્તા પર ખોદાયેલા ખાડાને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીટીએમ વિસ્તારમાં એક ઘટના બની છે જેમાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કાર પડી ગઈ છે. 20 ફૂટ ઉંડા ખાડામાં કાર પડી ગઈ હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. 



દોઢ મહિનાથી ખોદવામાં આવ્યો છે ખાડો    

અમદાવાદના અનેક રસ્તાઓ પર ખોદકામ જોવા મળે છે. ખોદકામ થવાને કારણે રસ્તો સાંકડો થઈ જાય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સીટીએમ ચાર રસ્તા પાસે એએમસી દ્વારા પૂર્વદીપ સોસાયટી નજીક છેલ્લા દોઢ મહિનાથી એએમસી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. 

ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી



ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી 

નેશનલ હાઈવે નંબર 8 ઉપર સીટીએમ ચાર રસ્તા પાસે વહેલી સવારે એક કારચાલક હાઈવેના સર્વિસ રોડ પર કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં કાર ખાબકી પડી હતી. 20 ફૂટ ઊંડા ખાડામાં કાર પડી જતા કારને કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ગાડીને બહાર નીકાળી દેવામાં આવી છે પરંતુ પ્રશ્નએ છે કે લોકોને મુશ્કેલી ના પડે તે માટે પતરા લગાવામાં આવ્યા છે. ત્યારે આ ગાડી કઈ રીતે ખાડામાં પડી તે અંગે પ્રશ્ન છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.