એએમસી દ્વારા ખોદેલાં ખાડામાં પડી કાર, સીટીએમ ચાર રસ્તા પાસે બની ઘટના


  • Published By :
  • Published Date : 2023-02-08 13:11:38

રસ્તાનું નિર્માણ થયા બાદ અનેક વખત તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવે છે. અનેક રસ્તાઓ પર ખોડાયેલા ખાડા જોવા મળતા હોય છે. ખોદકામ થવાને કારણે વાહનચાલકોને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. તો અનેક વખત રસ્તા પર ખોદાયેલા ખાડાને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીટીએમ વિસ્તારમાં એક ઘટના બની છે જેમાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કાર પડી ગઈ છે. 20 ફૂટ ઉંડા ખાડામાં કાર પડી ગઈ હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. 



દોઢ મહિનાથી ખોદવામાં આવ્યો છે ખાડો    

અમદાવાદના અનેક રસ્તાઓ પર ખોદકામ જોવા મળે છે. ખોદકામ થવાને કારણે રસ્તો સાંકડો થઈ જાય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સીટીએમ ચાર રસ્તા પાસે એએમસી દ્વારા પૂર્વદીપ સોસાયટી નજીક છેલ્લા દોઢ મહિનાથી એએમસી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. 

ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી



ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી 

નેશનલ હાઈવે નંબર 8 ઉપર સીટીએમ ચાર રસ્તા પાસે વહેલી સવારે એક કારચાલક હાઈવેના સર્વિસ રોડ પર કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં કાર ખાબકી પડી હતી. 20 ફૂટ ઊંડા ખાડામાં કાર પડી જતા કારને કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ગાડીને બહાર નીકાળી દેવામાં આવી છે પરંતુ પ્રશ્નએ છે કે લોકોને મુશ્કેલી ના પડે તે માટે પતરા લગાવામાં આવ્યા છે. ત્યારે આ ગાડી કઈ રીતે ખાડામાં પડી તે અંગે પ્રશ્ન છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.