એએમસી દ્વારા ખોદેલાં ખાડામાં પડી કાર, સીટીએમ ચાર રસ્તા પાસે બની ઘટના


  • Published By :
  • Published Date : 2023-02-08 13:11:38

રસ્તાનું નિર્માણ થયા બાદ અનેક વખત તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવે છે. અનેક રસ્તાઓ પર ખોડાયેલા ખાડા જોવા મળતા હોય છે. ખોદકામ થવાને કારણે વાહનચાલકોને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. તો અનેક વખત રસ્તા પર ખોદાયેલા ખાડાને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીટીએમ વિસ્તારમાં એક ઘટના બની છે જેમાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કાર પડી ગઈ છે. 20 ફૂટ ઉંડા ખાડામાં કાર પડી ગઈ હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. 



દોઢ મહિનાથી ખોદવામાં આવ્યો છે ખાડો    

અમદાવાદના અનેક રસ્તાઓ પર ખોદકામ જોવા મળે છે. ખોદકામ થવાને કારણે રસ્તો સાંકડો થઈ જાય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સીટીએમ ચાર રસ્તા પાસે એએમસી દ્વારા પૂર્વદીપ સોસાયટી નજીક છેલ્લા દોઢ મહિનાથી એએમસી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. 

ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી



ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી 

નેશનલ હાઈવે નંબર 8 ઉપર સીટીએમ ચાર રસ્તા પાસે વહેલી સવારે એક કારચાલક હાઈવેના સર્વિસ રોડ પર કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં કાર ખાબકી પડી હતી. 20 ફૂટ ઊંડા ખાડામાં કાર પડી જતા કારને કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ગાડીને બહાર નીકાળી દેવામાં આવી છે પરંતુ પ્રશ્નએ છે કે લોકોને મુશ્કેલી ના પડે તે માટે પતરા લગાવામાં આવ્યા છે. ત્યારે આ ગાડી કઈ રીતે ખાડામાં પડી તે અંગે પ્રશ્ન છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.