બિપોરજોય વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક! તંત્રની તૈયારીઓ અંગે મેળવી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-06-14 12:36:05

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ હાઈલેવલની મિટીંગ બોલાવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાવાઝોડાને લઈ તંત્રની શું તૈયારી છે તે અંગેની પણ સમીક્ષા કરી હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સીએમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મહત્વનું છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો કોઈ જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

 

મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક!

બિપોરજોય તેજગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે ગતિથી વાવાઝોડું આગળ આવી રહ્યું છે તેમ તેમ ગુજરાત પર ખતરો પણ વધી રહ્યો છે. તેજ પવન અનેક જિલ્લાઓમાં વહી રહ્યો છે તેમજ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે વાવાઝોડાની તીવ્રતા જોઈ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.પોતાના વિસ્તારમાં મંત્રીઓ પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિને જોતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. 


NDRF તેમજ SDRFની ટીમને કરાઈ છે તૈનાત!

ગુજરાત પર તોળાઈ રહેલા સંકટને નિપટવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ તેમજ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અનેક જગ્યાઓ પર તેમને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વધતી ગભીર પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મહત્વનું છે NDRFની 15 તથા SDRFની 12 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.  વાવાઝોડું આવે તે પહેલા અગમચેતીના ભાગરૂપે હોર્ડિંગને ઉતારી દેવામાં આવ્યા છે. ગઈકાલે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.