બિપોરજોય વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક! તંત્રની તૈયારીઓ અંગે મેળવી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-06-14 12:36:05

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ હાઈલેવલની મિટીંગ બોલાવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાવાઝોડાને લઈ તંત્રની શું તૈયારી છે તે અંગેની પણ સમીક્ષા કરી હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સીએમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મહત્વનું છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો કોઈ જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

 

મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક!

બિપોરજોય તેજગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે ગતિથી વાવાઝોડું આગળ આવી રહ્યું છે તેમ તેમ ગુજરાત પર ખતરો પણ વધી રહ્યો છે. તેજ પવન અનેક જિલ્લાઓમાં વહી રહ્યો છે તેમજ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે વાવાઝોડાની તીવ્રતા જોઈ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.પોતાના વિસ્તારમાં મંત્રીઓ પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિને જોતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. 


NDRF તેમજ SDRFની ટીમને કરાઈ છે તૈનાત!

ગુજરાત પર તોળાઈ રહેલા સંકટને નિપટવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ તેમજ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અનેક જગ્યાઓ પર તેમને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વધતી ગભીર પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મહત્વનું છે NDRFની 15 તથા SDRFની 12 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.  વાવાઝોડું આવે તે પહેલા અગમચેતીના ભાગરૂપે હોર્ડિંગને ઉતારી દેવામાં આવ્યા છે. ગઈકાલે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.