બિપોરજોય વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક! તંત્રની તૈયારીઓ અંગે મેળવી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-06-14 12:36:05

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ હાઈલેવલની મિટીંગ બોલાવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાવાઝોડાને લઈ તંત્રની શું તૈયારી છે તે અંગેની પણ સમીક્ષા કરી હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સીએમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મહત્વનું છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો કોઈ જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

 

મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક!

બિપોરજોય તેજગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે ગતિથી વાવાઝોડું આગળ આવી રહ્યું છે તેમ તેમ ગુજરાત પર ખતરો પણ વધી રહ્યો છે. તેજ પવન અનેક જિલ્લાઓમાં વહી રહ્યો છે તેમજ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે વાવાઝોડાની તીવ્રતા જોઈ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.પોતાના વિસ્તારમાં મંત્રીઓ પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિને જોતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. 


NDRF તેમજ SDRFની ટીમને કરાઈ છે તૈનાત!

ગુજરાત પર તોળાઈ રહેલા સંકટને નિપટવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ તેમજ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અનેક જગ્યાઓ પર તેમને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વધતી ગભીર પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મહત્વનું છે NDRFની 15 તથા SDRFની 12 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.  વાવાઝોડું આવે તે પહેલા અગમચેતીના ભાગરૂપે હોર્ડિંગને ઉતારી દેવામાં આવ્યા છે. ગઈકાલે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.