વધતા કોરોના કેસને લઈ દિલ્હીના મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-22 08:44:02

વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાએ ફરી એક વખત મુસીબત સર્જી છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોરોનાના વધતા કેસને લઈ બેઠક યોજી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એક નિર્ણયો લેવાઈ શકે છે. કોરોના અંગે પ્રતિબંધો વધી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.


અરવિંદ કેજરીવાલ આરોગ્ય સુવિધાને લઈ ચર્ચા કરશે 

ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો ન આવે તે માટે બેઠકો કરવામાં આવી રહી છે. વધતા કેસ પર નિયંત્રણ રાખવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. જેમાં અનેક નીતિનિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધતા કોરોના કેસને લઈ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક દરમિયાન સીએમ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા કરશે તેમજ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરશે. 


દિલ્હીમાં કોરોનાની સ્થિતિ

દિલ્હીમાં કોરોના કેસ અંગની વાત કરીએ તો બુધવારે કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મોત થઈ ગયું હતું. ઉપરાંત દિલ્હીમાં કોરોનાના 27 એકટિવ કેસ છે. વધતા કોરોના કેસને જોતા દિલ્હીના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા દિલ્હી સરકાર સજ્જ છે કે નહીં તે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.