વધતા કોરોના કેસને લઈ દિલ્હીના મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-22 08:44:02

વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાએ ફરી એક વખત મુસીબત સર્જી છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોરોનાના વધતા કેસને લઈ બેઠક યોજી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એક નિર્ણયો લેવાઈ શકે છે. કોરોના અંગે પ્રતિબંધો વધી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.


અરવિંદ કેજરીવાલ આરોગ્ય સુવિધાને લઈ ચર્ચા કરશે 

ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો ન આવે તે માટે બેઠકો કરવામાં આવી રહી છે. વધતા કેસ પર નિયંત્રણ રાખવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. જેમાં અનેક નીતિનિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધતા કોરોના કેસને લઈ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક દરમિયાન સીએમ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા કરશે તેમજ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરશે. 


દિલ્હીમાં કોરોનાની સ્થિતિ

દિલ્હીમાં કોરોના કેસ અંગની વાત કરીએ તો બુધવારે કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મોત થઈ ગયું હતું. ઉપરાંત દિલ્હીમાં કોરોનાના 27 એકટિવ કેસ છે. વધતા કોરોના કેસને જોતા દિલ્હીના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા દિલ્હી સરકાર સજ્જ છે કે નહીં તે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે