વધતા કોરોના કેસને લઈ દિલ્હીના મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-22 08:44:02

વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાએ ફરી એક વખત મુસીબત સર્જી છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોરોનાના વધતા કેસને લઈ બેઠક યોજી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એક નિર્ણયો લેવાઈ શકે છે. કોરોના અંગે પ્રતિબંધો વધી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.


અરવિંદ કેજરીવાલ આરોગ્ય સુવિધાને લઈ ચર્ચા કરશે 

ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો ન આવે તે માટે બેઠકો કરવામાં આવી રહી છે. વધતા કેસ પર નિયંત્રણ રાખવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. જેમાં અનેક નીતિનિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધતા કોરોના કેસને લઈ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક દરમિયાન સીએમ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા કરશે તેમજ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરશે. 


દિલ્હીમાં કોરોનાની સ્થિતિ

દિલ્હીમાં કોરોના કેસ અંગની વાત કરીએ તો બુધવારે કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મોત થઈ ગયું હતું. ઉપરાંત દિલ્હીમાં કોરોનાના 27 એકટિવ કેસ છે. વધતા કોરોના કેસને જોતા દિલ્હીના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા દિલ્હી સરકાર સજ્જ છે કે નહીં તે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.