દિલ્હીના મુખ્યમંત્રી હોળીના દિવસે કરી રહ્યા છે ધ્યાન, ધ્યાન કરી દેશ માટે કરી રહ્યા છે પ્રાર્થના!


  • Published By :
  • Published Date : 2023-03-08 14:41:24

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ ધૂળેટીની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધ્યાન પર બેઠા છે. આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ લખવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે દેશ માટે અરવિંદ કેજરીવાલ પ્રાર્થના કરશે. સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સતત ધ્યાન કરશે. ધ્યાનમાં બેસે તે પહેલા અરવિંદ કેજરીવાલે રાજઘાટની મુલાકાત લીધી હતી.

      

અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે ધ્યાન 

અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની ધરપકડના પગલે તેઓ બુધવારે ધ્યાન કરશે. ઉપરાંત હોળીની ઉજવણી પણ નહીં કરે. કેજરીવાલે કહ્યું હતું કે તે દેશની સ્થિતિને લીધે ચિંતામાં છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીના આરોગ્ય અને શિક્ષા ક્ષેત્રને અનેક વર્ષોથી નજર અંદાજ કરવામાં આવ્યા છે.ત્યારે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈને મહેનત કરી ગરીબો માટે સારા આરોગ્ય અને સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે.     

વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન 

કેજરીવાલે કહ્યું કે સ્કૂલ, હોસ્પિટલ બનાવનારાને વડાપ્રધાન જેલ ભેગા કરી રહ્યા છે. લૂંટારાઓને વડાપ્રધાન મોદી ભેટી રહ્યા છે. દેશની આવી સ્થિતિને લીધે હું ચિંતિત છું. ઉપરાંત આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે મનીષ સિસોદિયાને કેન્દ્ર સરકારે એક ષડયંત્ર અંતર્ગત જેલમાં રાખ્યા છે. જે જેલમાં તેમને રાખવામાં આવ્યા છે તે જેલમાં સૌથી ખતરનાક, હિંસક આરોપી કેદ હોય છે. જેલ નંબર એકમાં એવા ક્રિમિનલ હોય છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.