દિલ્હીના મુખ્યમંત્રી હોળીના દિવસે કરી રહ્યા છે ધ્યાન, ધ્યાન કરી દેશ માટે કરી રહ્યા છે પ્રાર્થના!


  • Published By :
  • Published Date : 2023-03-08 14:41:24

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ ધૂળેટીની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધ્યાન પર બેઠા છે. આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ લખવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે દેશ માટે અરવિંદ કેજરીવાલ પ્રાર્થના કરશે. સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સતત ધ્યાન કરશે. ધ્યાનમાં બેસે તે પહેલા અરવિંદ કેજરીવાલે રાજઘાટની મુલાકાત લીધી હતી.

      

અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે ધ્યાન 

અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની ધરપકડના પગલે તેઓ બુધવારે ધ્યાન કરશે. ઉપરાંત હોળીની ઉજવણી પણ નહીં કરે. કેજરીવાલે કહ્યું હતું કે તે દેશની સ્થિતિને લીધે ચિંતામાં છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીના આરોગ્ય અને શિક્ષા ક્ષેત્રને અનેક વર્ષોથી નજર અંદાજ કરવામાં આવ્યા છે.ત્યારે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈને મહેનત કરી ગરીબો માટે સારા આરોગ્ય અને સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે.     

વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન 

કેજરીવાલે કહ્યું કે સ્કૂલ, હોસ્પિટલ બનાવનારાને વડાપ્રધાન જેલ ભેગા કરી રહ્યા છે. લૂંટારાઓને વડાપ્રધાન મોદી ભેટી રહ્યા છે. દેશની આવી સ્થિતિને લીધે હું ચિંતિત છું. ઉપરાંત આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે મનીષ સિસોદિયાને કેન્દ્ર સરકારે એક ષડયંત્ર અંતર્ગત જેલમાં રાખ્યા છે. જે જેલમાં તેમને રાખવામાં આવ્યા છે તે જેલમાં સૌથી ખતરનાક, હિંસક આરોપી કેદ હોય છે. જેલ નંબર એકમાં એવા ક્રિમિનલ હોય છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.