જોશીમઠની પરિસ્થિતિને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-13 11:28:19

ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.  ભૂસ્ખલન થવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. જોશીમઠની પરિસ્થિતિને લઈ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 


કેન્દ્રની ટીમે પણ લીધી સ્થળની મુલાકાત 

જોશીમઠમાં જમીન ધસી રહી છે. જેને કારણે લોકોને ઘર ખાલી કરવા પડી રહ્યા છે. ત્યાં રહેતા લોકોને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જોશીમઠની પરિસ્થિતિ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રીની તેમજ કેન્દ્ર સરકારની નજર રહેલી છે. ઘરમાં તિરાડો પડવાને કારણે ઠંડીમાં પણ લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા. કેન્દ્રની ટીમે પણ જોશીમઠની મુલાકાત લીધી હતી. 


મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક 

જોશીમઠમાં પ્રભાવિત થયેલા લોકો માટે ઉત્તરાખંડ સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે. જોશીમઠને લઈ ભવિષ્યમાં કઈ યોજના બનાવી ઉપરાંત જોશીમઠને ફરી વિકસીત કરવું તે અંગે ચર્ચા કરવામાં માટે કેબિનેટ બેઠક બોલાવી છે. રાહત પેકેજ પણ સરકાર જાહેર કરી શકે છે. નવું જોશીમઠ ક્યાં વસાવું તે અંગે પણ તંત્ર સ્થળ શોધી રહ્યું છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.