જોશીમઠની પરિસ્થિતિને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-13 11:28:19

ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.  ભૂસ્ખલન થવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. જોશીમઠની પરિસ્થિતિને લઈ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 


કેન્દ્રની ટીમે પણ લીધી સ્થળની મુલાકાત 

જોશીમઠમાં જમીન ધસી રહી છે. જેને કારણે લોકોને ઘર ખાલી કરવા પડી રહ્યા છે. ત્યાં રહેતા લોકોને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જોશીમઠની પરિસ્થિતિ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રીની તેમજ કેન્દ્ર સરકારની નજર રહેલી છે. ઘરમાં તિરાડો પડવાને કારણે ઠંડીમાં પણ લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા. કેન્દ્રની ટીમે પણ જોશીમઠની મુલાકાત લીધી હતી. 


મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક 

જોશીમઠમાં પ્રભાવિત થયેલા લોકો માટે ઉત્તરાખંડ સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે. જોશીમઠને લઈ ભવિષ્યમાં કઈ યોજના બનાવી ઉપરાંત જોશીમઠને ફરી વિકસીત કરવું તે અંગે ચર્ચા કરવામાં માટે કેબિનેટ બેઠક બોલાવી છે. રાહત પેકેજ પણ સરકાર જાહેર કરી શકે છે. નવું જોશીમઠ ક્યાં વસાવું તે અંગે પણ તંત્ર સ્થળ શોધી રહ્યું છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.