જોશીમઠની પરિસ્થિતિને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-13 11:28:19

ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.  ભૂસ્ખલન થવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. જોશીમઠની પરિસ્થિતિને લઈ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 


કેન્દ્રની ટીમે પણ લીધી સ્થળની મુલાકાત 

જોશીમઠમાં જમીન ધસી રહી છે. જેને કારણે લોકોને ઘર ખાલી કરવા પડી રહ્યા છે. ત્યાં રહેતા લોકોને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જોશીમઠની પરિસ્થિતિ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રીની તેમજ કેન્દ્ર સરકારની નજર રહેલી છે. ઘરમાં તિરાડો પડવાને કારણે ઠંડીમાં પણ લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા. કેન્દ્રની ટીમે પણ જોશીમઠની મુલાકાત લીધી હતી. 


મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક 

જોશીમઠમાં પ્રભાવિત થયેલા લોકો માટે ઉત્તરાખંડ સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે. જોશીમઠને લઈ ભવિષ્યમાં કઈ યોજના બનાવી ઉપરાંત જોશીમઠને ફરી વિકસીત કરવું તે અંગે ચર્ચા કરવામાં માટે કેબિનેટ બેઠક બોલાવી છે. રાહત પેકેજ પણ સરકાર જાહેર કરી શકે છે. નવું જોશીમઠ ક્યાં વસાવું તે અંગે પણ તંત્ર સ્થળ શોધી રહ્યું છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.