અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ઘાટલોડિયા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-13 14:39:18

આગમી વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડવાના છે. ત્યારે મળતી માહિતી મુજબ તેઓ 16 નવેમ્બરના રોજ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જ્યારે તેઓ ફોર્મ ભરશે ત્યારે અમિત શાહ પણ હાજર રહેશે. 

Ahmedabad: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું  આયોજન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત | TV9 Gujarati

અમિત શાહની હાજરીમાં ભરશે ઉમેદવારી ફોર્મ 

ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમિત શાહની હાજરીમાં તેઓ પોતાની દાવેદારી નોંધાવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે અમિત શાહ ગુજરાતમાં આવી પ્રચાર કરશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.