અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ઘાટલોડિયા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-13 14:39:18

આગમી વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડવાના છે. ત્યારે મળતી માહિતી મુજબ તેઓ 16 નવેમ્બરના રોજ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જ્યારે તેઓ ફોર્મ ભરશે ત્યારે અમિત શાહ પણ હાજર રહેશે. 

Ahmedabad: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું  આયોજન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત | TV9 Gujarati

અમિત શાહની હાજરીમાં ભરશે ઉમેદવારી ફોર્મ 

ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમિત શાહની હાજરીમાં તેઓ પોતાની દાવેદારી નોંધાવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે અમિત શાહ ગુજરાતમાં આવી પ્રચાર કરશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે