અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ઘાટલોડિયા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-13 14:39:18

આગમી વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડવાના છે. ત્યારે મળતી માહિતી મુજબ તેઓ 16 નવેમ્બરના રોજ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જ્યારે તેઓ ફોર્મ ભરશે ત્યારે અમિત શાહ પણ હાજર રહેશે. 

Ahmedabad: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું  આયોજન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત | TV9 Gujarati

અમિત શાહની હાજરીમાં ભરશે ઉમેદવારી ફોર્મ 

ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમિત શાહની હાજરીમાં તેઓ પોતાની દાવેદારી નોંધાવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે અમિત શાહ ગુજરાતમાં આવી પ્રચાર કરશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.