અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ઘાટલોડિયા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-13 14:39:18

આગમી વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડવાના છે. ત્યારે મળતી માહિતી મુજબ તેઓ 16 નવેમ્બરના રોજ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જ્યારે તેઓ ફોર્મ ભરશે ત્યારે અમિત શાહ પણ હાજર રહેશે. 

Ahmedabad: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું  આયોજન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત | TV9 Gujarati

અમિત શાહની હાજરીમાં ભરશે ઉમેદવારી ફોર્મ 

ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમિત શાહની હાજરીમાં તેઓ પોતાની દાવેદારી નોંધાવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે અમિત શાહ ગુજરાતમાં આવી પ્રચાર કરશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.