બાળતસ્કરીનો ભોગ બનનાર બાળકનું Policeએ પરિવાર સાથે કરાવ્યું મિલન, સર્જાયા ભાવુક દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-09 12:17:29

થોડા સમય પહેલા એક બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો હતો. સીસીટીવી મારફતે એક બાળ તસ્કરીનો આંતરરાજ્ય કૌભાંડ સામે આવ્યો હતો. જેમાં કાર્યવાહી કરવામાં આવી તો પોલીસને ખબર પડી કે એક છોકરો રાજસ્થાનનો છે. ગુજરાત પોલીસે રાજસ્થાન માહિતી પહોંચાડી કે તમારે ત્યાંથી બાળક ગુમ થઈ ગયું હતું તે અમારા રાજ્યમાં છે તેમના માતા પિતા સાથે આવી જાવ. રાજસ્થાન પોલીસ બાળકના પિતા અને દાદીને સાથે લઈને દાહોદ પહોંચ્યા હતા અને દાદીએ ચાર વર્ષ બાદ પૌત્રનું મોઢું જોયું તો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. 

બાળક મળશે તેવી પરિવારે છોડી દીધી હતી આશા 

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા અને બાળકનો સંબંધ જ અનન્ય છે તેને દુનિયામાં પેદા થયેલા મોટા કવિઓ પણ વર્ણન કરવા અસમર્થ થયા છે. એમાંય જો દાદા દાદી હોય તો એવું કહેવાય કે મુડી કરતા વ્યાજ વ્હાલુ હોય, અહીં મુડી એટલે દિકરા અને વ્યાજ એટલે પૌત્ર. એ પૌત્ર દાદીની પાસે હોય તો તો સારી વાત કહેવાય પણ વર્ષો બાદ ખોવાયેલા પૌત્રનું મોઢું દાદી જુએ તો તેના દ્રશ્યો કંઈક આવા હોય છે. જુઓ આ દ્રશ્ય દાદી હરખના આંસુએ રડી રહ્યા છે કે ચાર વર્ષ બાદ તેમને પોતાના ખોવાયેલા દીકરાનું મોઢું જોવા મળ્યું છે. એ આસ ખોઈ બેઠા હતા કે હવે તે ક્યારેય તેમના પૌત્રનું મોઢું નહીં જોઈ શકે આજે એ તેમના ખોળામાં રમતો હતો. 

સીસીટીવીએ ખોલ્યો હતો બાળતસ્કરીનું કૌભાંડ

વાત એમ છે કે બે દિવસ પહેલા ગુજરાત પોલીસે સીસીટીવી મારફતે બાળતસ્કરીમાં એક મહિલા અને પુરુષને પકડ્યા હતા. જેની તપાસ થતા ખબર પડી કે પુરુષ અને સ્ત્રી આંતરરાજ્ય કૌભાંડ ચલાવે છે અને લગ્ન કર્યા વગર સાથે રહે છે. દાહોદ પોલીસે બંનેની પૂછપરછ કરતા ખબર પડી હતી કે બાળકોમાંથી એક બાળક જોધપુરથી ચોરી કરવામાં આવ્યું હતું. આથી ગુજરાત પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાળકને તેમના મા બાપથી ભેટો કરાવ્યો હતો. 


પોલીસે ચોકલેટ અને બિસ્કીટ આપી બાળકને વિદાય આપી 

દાહોદ બી ડિવિઝન પોલીસે મહિલા અને પુરુષને ઝડપ્યા ત્યારે ખબર પડી કે તેમણે ત્રણેય બાળકો અલગ અલગ રાજ્યોમાંથી પકડ્યા હતા અને ત્રણેય પાસે ભીખ મગાવતા હતા. પછી પોલીસે બંને લોકોને પકડી લીધા હતા અને જેલ ભેગા કરી દીધા હતા. આ છોકરાનું અપહરણ 2019માં જોધપુરમાંથી કરવામાં આવ્યુ હતું અને ત્યાંથી ગુજરાત લઈ આવવામાં આવ્યું હતું. પોલીસે બાળકને ચોકલેટ અને બિસ્કિટ આપીને પોતાના ઘરે વિદાય આપી હતી. દાદી અને દિકરાને મળ્યા બાદનો જે કરૂણ ઘટના થઈ હતી તે જોઈ પોલીસના આંખમાં પણ ઝળઝળિયા આવી ગયા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.