બાળતસ્કરીનો ભોગ બનનાર બાળકનું Policeએ પરિવાર સાથે કરાવ્યું મિલન, સર્જાયા ભાવુક દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-09 12:17:29

થોડા સમય પહેલા એક બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો હતો. સીસીટીવી મારફતે એક બાળ તસ્કરીનો આંતરરાજ્ય કૌભાંડ સામે આવ્યો હતો. જેમાં કાર્યવાહી કરવામાં આવી તો પોલીસને ખબર પડી કે એક છોકરો રાજસ્થાનનો છે. ગુજરાત પોલીસે રાજસ્થાન માહિતી પહોંચાડી કે તમારે ત્યાંથી બાળક ગુમ થઈ ગયું હતું તે અમારા રાજ્યમાં છે તેમના માતા પિતા સાથે આવી જાવ. રાજસ્થાન પોલીસ બાળકના પિતા અને દાદીને સાથે લઈને દાહોદ પહોંચ્યા હતા અને દાદીએ ચાર વર્ષ બાદ પૌત્રનું મોઢું જોયું તો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. 

બાળક મળશે તેવી પરિવારે છોડી દીધી હતી આશા 

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા અને બાળકનો સંબંધ જ અનન્ય છે તેને દુનિયામાં પેદા થયેલા મોટા કવિઓ પણ વર્ણન કરવા અસમર્થ થયા છે. એમાંય જો દાદા દાદી હોય તો એવું કહેવાય કે મુડી કરતા વ્યાજ વ્હાલુ હોય, અહીં મુડી એટલે દિકરા અને વ્યાજ એટલે પૌત્ર. એ પૌત્ર દાદીની પાસે હોય તો તો સારી વાત કહેવાય પણ વર્ષો બાદ ખોવાયેલા પૌત્રનું મોઢું દાદી જુએ તો તેના દ્રશ્યો કંઈક આવા હોય છે. જુઓ આ દ્રશ્ય દાદી હરખના આંસુએ રડી રહ્યા છે કે ચાર વર્ષ બાદ તેમને પોતાના ખોવાયેલા દીકરાનું મોઢું જોવા મળ્યું છે. એ આસ ખોઈ બેઠા હતા કે હવે તે ક્યારેય તેમના પૌત્રનું મોઢું નહીં જોઈ શકે આજે એ તેમના ખોળામાં રમતો હતો. 

સીસીટીવીએ ખોલ્યો હતો બાળતસ્કરીનું કૌભાંડ

વાત એમ છે કે બે દિવસ પહેલા ગુજરાત પોલીસે સીસીટીવી મારફતે બાળતસ્કરીમાં એક મહિલા અને પુરુષને પકડ્યા હતા. જેની તપાસ થતા ખબર પડી કે પુરુષ અને સ્ત્રી આંતરરાજ્ય કૌભાંડ ચલાવે છે અને લગ્ન કર્યા વગર સાથે રહે છે. દાહોદ પોલીસે બંનેની પૂછપરછ કરતા ખબર પડી હતી કે બાળકોમાંથી એક બાળક જોધપુરથી ચોરી કરવામાં આવ્યું હતું. આથી ગુજરાત પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાળકને તેમના મા બાપથી ભેટો કરાવ્યો હતો. 


પોલીસે ચોકલેટ અને બિસ્કીટ આપી બાળકને વિદાય આપી 

દાહોદ બી ડિવિઝન પોલીસે મહિલા અને પુરુષને ઝડપ્યા ત્યારે ખબર પડી કે તેમણે ત્રણેય બાળકો અલગ અલગ રાજ્યોમાંથી પકડ્યા હતા અને ત્રણેય પાસે ભીખ મગાવતા હતા. પછી પોલીસે બંને લોકોને પકડી લીધા હતા અને જેલ ભેગા કરી દીધા હતા. આ છોકરાનું અપહરણ 2019માં જોધપુરમાંથી કરવામાં આવ્યુ હતું અને ત્યાંથી ગુજરાત લઈ આવવામાં આવ્યું હતું. પોલીસે બાળકને ચોકલેટ અને બિસ્કિટ આપીને પોતાના ઘરે વિદાય આપી હતી. દાદી અને દિકરાને મળ્યા બાદનો જે કરૂણ ઘટના થઈ હતી તે જોઈ પોલીસના આંખમાં પણ ઝળઝળિયા આવી ગયા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.