રિક્ષાવાળા બાદ સફાઈકર્મીએ કેજરીવાલને આપ્યું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 19:44:28



દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજ્યો હતો. સફાઈ કામદારો સાથે ટાઉનહોલ કરવા દરમિયાન એક સફાઈ કર્મચારીને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. 


કેજરીવાલના ઘરે જવા કાલે રવાના થશે સફાઈકર્મી

આવતીકાલે હર્ષ નામના સફાઈ કર્મચારીનો પૂરો પરિવાર દિલ્લી જવા રવાના થશે. સફાઈ કર્મચારીના પૂરા પરિવારના આવવા જવાનો ખર્ચ અરવિંદ કેજરીવાલ ઉઠાવશે. હર્ષનો પરિવાર દિલ્લીમાં પંજાબ ભવનમાં રહેશે. 


પહેલા સફાઈકર્મચારીએ આપ્યું હતું આમંત્રણ 

અગાઉ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે હતા ત્યારે રિક્ષાવાળાએ અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. બાદમાં અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. હવે સફાઈ કર્મચારીએ અરવિંદ કેજરીવાલને પોતાને ત્યાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલે તેને કહ્યું હતું કે, પહેલા તમે આવો પછી હું તમારે ત્યાં જમવા માટે આવીશ. 


મધ્ય વર્ગને આકર્ષવા માગે છે અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પંજાબમાં પણ મોબાઈલ રીપેર કરવાવાળાએ જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાથે મોબાઈલ રીપેર કરવાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. મોબાઈલવાળો સામાન્ય ઘરનો માણસ હતો આથી આમ આદમી પાર્ટી પંજાબના મધ્ય વર્ગના લોકોને આકર્ષવામાં સફળ રહી હતી. ગુજરાતમાં પણ અગાઉની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ઘરે જમવા ગયા હતા અને હવે સફાઈકર્મચારીને ત્યાં જમવા માટે તેમને આમંત્રણ મળ્યું છે. આથી કહી શકાય કે અરવિંદ કેજરીવાલ આવું કરીને મધ્યમ વર્ગના લોકોને આકર્ષી રહ્યા છે.  

    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .