રિક્ષાવાળા બાદ સફાઈકર્મીએ કેજરીવાલને આપ્યું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 19:44:28



દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજ્યો હતો. સફાઈ કામદારો સાથે ટાઉનહોલ કરવા દરમિયાન એક સફાઈ કર્મચારીને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. 


કેજરીવાલના ઘરે જવા કાલે રવાના થશે સફાઈકર્મી

આવતીકાલે હર્ષ નામના સફાઈ કર્મચારીનો પૂરો પરિવાર દિલ્લી જવા રવાના થશે. સફાઈ કર્મચારીના પૂરા પરિવારના આવવા જવાનો ખર્ચ અરવિંદ કેજરીવાલ ઉઠાવશે. હર્ષનો પરિવાર દિલ્લીમાં પંજાબ ભવનમાં રહેશે. 


પહેલા સફાઈકર્મચારીએ આપ્યું હતું આમંત્રણ 

અગાઉ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે હતા ત્યારે રિક્ષાવાળાએ અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. બાદમાં અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. હવે સફાઈ કર્મચારીએ અરવિંદ કેજરીવાલને પોતાને ત્યાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલે તેને કહ્યું હતું કે, પહેલા તમે આવો પછી હું તમારે ત્યાં જમવા માટે આવીશ. 


મધ્ય વર્ગને આકર્ષવા માગે છે અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પંજાબમાં પણ મોબાઈલ રીપેર કરવાવાળાએ જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાથે મોબાઈલ રીપેર કરવાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. મોબાઈલવાળો સામાન્ય ઘરનો માણસ હતો આથી આમ આદમી પાર્ટી પંજાબના મધ્ય વર્ગના લોકોને આકર્ષવામાં સફળ રહી હતી. ગુજરાતમાં પણ અગાઉની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ઘરે જમવા ગયા હતા અને હવે સફાઈકર્મચારીને ત્યાં જમવા માટે તેમને આમંત્રણ મળ્યું છે. આથી કહી શકાય કે અરવિંદ કેજરીવાલ આવું કરીને મધ્યમ વર્ગના લોકોને આકર્ષી રહ્યા છે.  

    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.