Gir Somnathના કલેક્ટરે બહાર પડાયું લોકોની સલામતી માટે જાહેરનામું, એવો નિર્ણય લીધો કે તમે પણ કહેશો આવો નિર્ણય બધે લેવાવો જોઈએ..


  • Published By :
  • Published Date : 2024-05-28 17:56:19

આપણે એવું માનતા હોઈએ છીએ કે બોલવાથી સિસ્ટમમાં કઈ નથી બદલાતું.. સિસ્ટમમાં રહેતા લોકોને પરવાજ નથી કે આપણે જીવીએ કે મરીએ. આપણે અનેક વખત આવું કહીએ છીએ પરંતુ આજે પણ એવા અધિકારીઓ છે જેમને જોઈ આપણને લાગે કે સિસ્ટમ પર ભરોસો કરવા જેવો છે હજી પણ.. સિસ્ટમમાં કોઈ તો એવું બેઠું છે જેને ફરક પડે છે કે આપણાં જીવવા કે મરવાથી.. અમે આવું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણય પર કહી રહ્યા છીએ.. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મુજબ હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગત જોઈ શકશે.. 

આપણે જે જગ્યા પર જઈએ છીએ ત્યાં કેવી સુરક્ષા છે તેનો વિચાર ક્યારેય કર્યો છે?  

આપણે કોઈ પણ સ્થળ પર જઈએ છીએ ત્યારે ત્યાં સેફ્ટીના પ્રિકોશન લેવાયા છે કે નહીં, સેફ્ટીના સાધનો છે કે નહીં તે વિશે જાણવાની દરકાર નથી કરતા. કોઈ મોલમાં કે કોઈ જગ્યા પર જઈએ છીએ ત્યાં આપણી સુરક્ષા માટે કયા પગલા લેવાયા છે તેની જાણકારી હોતી નથી. જો ફાયર સેફ્ટીના સાધનો છે તો તેની વિગતો આપણી પાસે નથી હોતી. તેના લાયસન્સની વિગતો સામાન્ય માણસો જોઈ શકે તેવી રીતે રાખવામાં આવતી નથી.. 


ગીર સોમનાથના કલેક્ટરની એક સુંદર પહેલ  

આ બધા વચ્ચે સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાએ એક મહત્વનું પગલું લીધું છે. પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મુજબ હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગત જોઈ શકશે.. ચારેય બાજુ ફેલાયેલા અવિશ્વાસના વાતાવરણની વચ્ચે અમુક સમાચારથી ભરોસો આવે છે આ તંત્ર પર, એવું થાય છે કે સિસ્ટમમાં ક્યાંક તો કોઈક તો એવું બેસેલું છે જેને ફરક પડે છે આપણાં જીવવા કે મરવાથી, અને એટલે જ એમને થેંક્યુ કહેવાનો અને બીજાને વિનંતી કરવાનો આ સમય છે... 



સાહેબને થેંક્યું કારણ કે...  

સૌથી પહેલા તો ગીર સોમનાથના કલેક્ટર ડી ડી જાડેજા... તમને થેંક્યું સો મચ. તમે એ નિર્ણય કર્યો છે જેનાંથી અમને ભરોસો આવી રહ્યો છે કે નાગરીકના જીવવા કે મરવાથી કોઈક તો છે જેને ફરક પડે છે, જે અમને ખદબદતી જીવાત નહીં પણ દેશના નાગરિક માને છે, એમણે નિર્ણય કર્યો છે કે હવેથી દરેક જાહેર સ્થળો પર સેફ્ટીના લાઈસન્સના સર્ટીફીકેટ લગાવવામાં આવશે, જેથી કોઈ પણ જગ્યાએ જતા પહેલા નાગરીકોને ખબર પડે કે એ જગ્યા મોજ માટે છે કે મોત માટે.. 



અમે પણ વિનંતી કરી રહ્યા છીએ કે.. 

ડી ડી જાડેજાએ ગીરસોમનાથમાં આ શરૂઆત કરી છે, પણ હવે રાજ્યના દરેક કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે પણ પ્લીઝ સામાન્ય નાગરીકની સુરક્ષા માટે આ શરૂઆત કરો, અમે નાગરીકોને પણ આ વિનંતી કરી રહ્યા છીએ કે તમે પણ તમારા વિસ્તારના પ્રતિનિધી અને અધિકારીઓને વિનંતી કરો.ત્યારે કલેક્ટર દ્વારા લેવાયેલા આ નિર્ણય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.