Gir Somnathના કલેક્ટરે બહાર પડાયું લોકોની સલામતી માટે જાહેરનામું, એવો નિર્ણય લીધો કે તમે પણ કહેશો આવો નિર્ણય બધે લેવાવો જોઈએ..


  • Published By :
  • Published Date : 2024-05-28 17:56:19

આપણે એવું માનતા હોઈએ છીએ કે બોલવાથી સિસ્ટમમાં કઈ નથી બદલાતું.. સિસ્ટમમાં રહેતા લોકોને પરવાજ નથી કે આપણે જીવીએ કે મરીએ. આપણે અનેક વખત આવું કહીએ છીએ પરંતુ આજે પણ એવા અધિકારીઓ છે જેમને જોઈ આપણને લાગે કે સિસ્ટમ પર ભરોસો કરવા જેવો છે હજી પણ.. સિસ્ટમમાં કોઈ તો એવું બેઠું છે જેને ફરક પડે છે કે આપણાં જીવવા કે મરવાથી.. અમે આવું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણય પર કહી રહ્યા છીએ.. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મુજબ હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગત જોઈ શકશે.. 

આપણે જે જગ્યા પર જઈએ છીએ ત્યાં કેવી સુરક્ષા છે તેનો વિચાર ક્યારેય કર્યો છે?  

આપણે કોઈ પણ સ્થળ પર જઈએ છીએ ત્યારે ત્યાં સેફ્ટીના પ્રિકોશન લેવાયા છે કે નહીં, સેફ્ટીના સાધનો છે કે નહીં તે વિશે જાણવાની દરકાર નથી કરતા. કોઈ મોલમાં કે કોઈ જગ્યા પર જઈએ છીએ ત્યાં આપણી સુરક્ષા માટે કયા પગલા લેવાયા છે તેની જાણકારી હોતી નથી. જો ફાયર સેફ્ટીના સાધનો છે તો તેની વિગતો આપણી પાસે નથી હોતી. તેના લાયસન્સની વિગતો સામાન્ય માણસો જોઈ શકે તેવી રીતે રાખવામાં આવતી નથી.. 


ગીર સોમનાથના કલેક્ટરની એક સુંદર પહેલ  

આ બધા વચ્ચે સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાએ એક મહત્વનું પગલું લીધું છે. પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મુજબ હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગત જોઈ શકશે.. ચારેય બાજુ ફેલાયેલા અવિશ્વાસના વાતાવરણની વચ્ચે અમુક સમાચારથી ભરોસો આવે છે આ તંત્ર પર, એવું થાય છે કે સિસ્ટમમાં ક્યાંક તો કોઈક તો એવું બેસેલું છે જેને ફરક પડે છે આપણાં જીવવા કે મરવાથી, અને એટલે જ એમને થેંક્યુ કહેવાનો અને બીજાને વિનંતી કરવાનો આ સમય છે... 



સાહેબને થેંક્યું કારણ કે...  

સૌથી પહેલા તો ગીર સોમનાથના કલેક્ટર ડી ડી જાડેજા... તમને થેંક્યું સો મચ. તમે એ નિર્ણય કર્યો છે જેનાંથી અમને ભરોસો આવી રહ્યો છે કે નાગરીકના જીવવા કે મરવાથી કોઈક તો છે જેને ફરક પડે છે, જે અમને ખદબદતી જીવાત નહીં પણ દેશના નાગરિક માને છે, એમણે નિર્ણય કર્યો છે કે હવેથી દરેક જાહેર સ્થળો પર સેફ્ટીના લાઈસન્સના સર્ટીફીકેટ લગાવવામાં આવશે, જેથી કોઈ પણ જગ્યાએ જતા પહેલા નાગરીકોને ખબર પડે કે એ જગ્યા મોજ માટે છે કે મોત માટે.. 



અમે પણ વિનંતી કરી રહ્યા છીએ કે.. 

ડી ડી જાડેજાએ ગીરસોમનાથમાં આ શરૂઆત કરી છે, પણ હવે રાજ્યના દરેક કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે પણ પ્લીઝ સામાન્ય નાગરીકની સુરક્ષા માટે આ શરૂઆત કરો, અમે નાગરીકોને પણ આ વિનંતી કરી રહ્યા છીએ કે તમે પણ તમારા વિસ્તારના પ્રતિનિધી અને અધિકારીઓને વિનંતી કરો.ત્યારે કલેક્ટર દ્વારા લેવાયેલા આ નિર્ણય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.