Gir Somnathના કલેક્ટરે બહાર પડાયું લોકોની સલામતી માટે જાહેરનામું, એવો નિર્ણય લીધો કે તમે પણ કહેશો આવો નિર્ણય બધે લેવાવો જોઈએ..


  • Published By :
  • Published Date : 2024-05-28 17:56:19

આપણે એવું માનતા હોઈએ છીએ કે બોલવાથી સિસ્ટમમાં કઈ નથી બદલાતું.. સિસ્ટમમાં રહેતા લોકોને પરવાજ નથી કે આપણે જીવીએ કે મરીએ. આપણે અનેક વખત આવું કહીએ છીએ પરંતુ આજે પણ એવા અધિકારીઓ છે જેમને જોઈ આપણને લાગે કે સિસ્ટમ પર ભરોસો કરવા જેવો છે હજી પણ.. સિસ્ટમમાં કોઈ તો એવું બેઠું છે જેને ફરક પડે છે કે આપણાં જીવવા કે મરવાથી.. અમે આવું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણય પર કહી રહ્યા છીએ.. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મુજબ હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગત જોઈ શકશે.. 

આપણે જે જગ્યા પર જઈએ છીએ ત્યાં કેવી સુરક્ષા છે તેનો વિચાર ક્યારેય કર્યો છે?  

આપણે કોઈ પણ સ્થળ પર જઈએ છીએ ત્યારે ત્યાં સેફ્ટીના પ્રિકોશન લેવાયા છે કે નહીં, સેફ્ટીના સાધનો છે કે નહીં તે વિશે જાણવાની દરકાર નથી કરતા. કોઈ મોલમાં કે કોઈ જગ્યા પર જઈએ છીએ ત્યાં આપણી સુરક્ષા માટે કયા પગલા લેવાયા છે તેની જાણકારી હોતી નથી. જો ફાયર સેફ્ટીના સાધનો છે તો તેની વિગતો આપણી પાસે નથી હોતી. તેના લાયસન્સની વિગતો સામાન્ય માણસો જોઈ શકે તેવી રીતે રાખવામાં આવતી નથી.. 


ગીર સોમનાથના કલેક્ટરની એક સુંદર પહેલ  

આ બધા વચ્ચે સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાએ એક મહત્વનું પગલું લીધું છે. પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મુજબ હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગત જોઈ શકશે.. ચારેય બાજુ ફેલાયેલા અવિશ્વાસના વાતાવરણની વચ્ચે અમુક સમાચારથી ભરોસો આવે છે આ તંત્ર પર, એવું થાય છે કે સિસ્ટમમાં ક્યાંક તો કોઈક તો એવું બેસેલું છે જેને ફરક પડે છે આપણાં જીવવા કે મરવાથી, અને એટલે જ એમને થેંક્યુ કહેવાનો અને બીજાને વિનંતી કરવાનો આ સમય છે... 



સાહેબને થેંક્યું કારણ કે...  

સૌથી પહેલા તો ગીર સોમનાથના કલેક્ટર ડી ડી જાડેજા... તમને થેંક્યું સો મચ. તમે એ નિર્ણય કર્યો છે જેનાંથી અમને ભરોસો આવી રહ્યો છે કે નાગરીકના જીવવા કે મરવાથી કોઈક તો છે જેને ફરક પડે છે, જે અમને ખદબદતી જીવાત નહીં પણ દેશના નાગરિક માને છે, એમણે નિર્ણય કર્યો છે કે હવેથી દરેક જાહેર સ્થળો પર સેફ્ટીના લાઈસન્સના સર્ટીફીકેટ લગાવવામાં આવશે, જેથી કોઈ પણ જગ્યાએ જતા પહેલા નાગરીકોને ખબર પડે કે એ જગ્યા મોજ માટે છે કે મોત માટે.. 



અમે પણ વિનંતી કરી રહ્યા છીએ કે.. 

ડી ડી જાડેજાએ ગીરસોમનાથમાં આ શરૂઆત કરી છે, પણ હવે રાજ્યના દરેક કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે પણ પ્લીઝ સામાન્ય નાગરીકની સુરક્ષા માટે આ શરૂઆત કરો, અમે નાગરીકોને પણ આ વિનંતી કરી રહ્યા છીએ કે તમે પણ તમારા વિસ્તારના પ્રતિનિધી અને અધિકારીઓને વિનંતી કરો.ત્યારે કલેક્ટર દ્વારા લેવાયેલા આ નિર્ણય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."