AMCના પદાધિકારીઓની ઓફિસ બહાર લાગતા નેમ પ્લેટના કલરમાં કરાયો બદલાવ! જાણો શું છે સમગ્ર મામલો અને આ મામલે શું કહ્યું મેયરે?


  • Published By :
  • Published Date : 2023-09-16 11:15:46

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગાવવામાં આવતી નેમ પ્લેટનો કલર બદલી દેવામાં આવ્યો છે. પહેલા જે નેમ પ્લેટ પર વાદળી રંગ દેખાતો હતો હવે તેને બદલીને ભગવો રંગ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હોદ્દેદારોની ઓફિસની બહાર કેસરી કલરની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. 


નેમ પ્લેટનો વાદળી કલર બદલીને કરાયો કેસરી કલર  

થોડા દિવસો પહેલા રાજ્યના અનેક મહાનગરોમાં નવા મેયરની, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. અમદાવાદ શહેરને પોતાના પ્રથમ નાગરિક મળ્યા હતા. મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જતીન પટેલ ડેપ્યુટી મેયર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફિસ બહાર નેમ પ્લેટ અને ફ્લોર પર દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. તે નેમ પ્લેટ પર પહેલા વાદળી કલર હતો જેને બદલી દેવામાં આવ્યો છે. વાદળી કલરને બદલીને હવે ભગવો કલર નેમ પ્લેટ પર કરી દેવામાં આવ્યો છે. નેમ પ્લેટ પર ભગવો કલર કરવામાં આવતા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 


શું નેમ પ્લેટના કલરને લઈ થઈ શકે છે વિવાદ? 

જે જગ્યાની નંબર પ્લેટ બદલવામાં આવી છે તે જગ્યા પર નાગરિકો પોતાની સમસ્યાને લઈને આવતા હોય છે. ઓફિસમાં વિપક્ષી નેતાઓ પણ આવતા હોય છે. ત્યારે નંબર પ્લેટનો કલર બદલી લેવામાં આવતા ચર્ચાઓ થવા લાગી છે. જ્યારે નેમ પ્લેટના રંગ વિશે મેયરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 'કેસરી રંગ એ શોર્ય અને વીરતાનું પ્રતિક છે. સાથે અમારી ભારતીય જનતા પાર્ટીનો પણ રંગ ભગવો છે. જોકે, નેમ પ્લેટનો કલર બદલી નાખવાનો મુદ્દો કોઈ ચર્ચાનો મુદ્દો નથી.' આ નિવેદન મેયર પ્રતિભા જૈન દ્વારા આપવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે શું નેમ પ્લેટના કલરમાં બદલાવ આવવાથી રાજકારણ શરૂ થાય છે?   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.