AMCના પદાધિકારીઓની ઓફિસ બહાર લાગતા નેમ પ્લેટના કલરમાં કરાયો બદલાવ! જાણો શું છે સમગ્ર મામલો અને આ મામલે શું કહ્યું મેયરે?


  • Published By :
  • Published Date : 2023-09-16 11:15:46

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગાવવામાં આવતી નેમ પ્લેટનો કલર બદલી દેવામાં આવ્યો છે. પહેલા જે નેમ પ્લેટ પર વાદળી રંગ દેખાતો હતો હવે તેને બદલીને ભગવો રંગ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હોદ્દેદારોની ઓફિસની બહાર કેસરી કલરની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. 


નેમ પ્લેટનો વાદળી કલર બદલીને કરાયો કેસરી કલર  

થોડા દિવસો પહેલા રાજ્યના અનેક મહાનગરોમાં નવા મેયરની, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. અમદાવાદ શહેરને પોતાના પ્રથમ નાગરિક મળ્યા હતા. મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જતીન પટેલ ડેપ્યુટી મેયર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફિસ બહાર નેમ પ્લેટ અને ફ્લોર પર દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. તે નેમ પ્લેટ પર પહેલા વાદળી કલર હતો જેને બદલી દેવામાં આવ્યો છે. વાદળી કલરને બદલીને હવે ભગવો કલર નેમ પ્લેટ પર કરી દેવામાં આવ્યો છે. નેમ પ્લેટ પર ભગવો કલર કરવામાં આવતા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 


શું નેમ પ્લેટના કલરને લઈ થઈ શકે છે વિવાદ? 

જે જગ્યાની નંબર પ્લેટ બદલવામાં આવી છે તે જગ્યા પર નાગરિકો પોતાની સમસ્યાને લઈને આવતા હોય છે. ઓફિસમાં વિપક્ષી નેતાઓ પણ આવતા હોય છે. ત્યારે નંબર પ્લેટનો કલર બદલી લેવામાં આવતા ચર્ચાઓ થવા લાગી છે. જ્યારે નેમ પ્લેટના રંગ વિશે મેયરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 'કેસરી રંગ એ શોર્ય અને વીરતાનું પ્રતિક છે. સાથે અમારી ભારતીય જનતા પાર્ટીનો પણ રંગ ભગવો છે. જોકે, નેમ પ્લેટનો કલર બદલી નાખવાનો મુદ્દો કોઈ ચર્ચાનો મુદ્દો નથી.' આ નિવેદન મેયર પ્રતિભા જૈન દ્વારા આપવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે શું નેમ પ્લેટના કલરમાં બદલાવ આવવાથી રાજકારણ શરૂ થાય છે?   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.