AMCના પદાધિકારીઓની ઓફિસ બહાર લાગતા નેમ પ્લેટના કલરમાં કરાયો બદલાવ! જાણો શું છે સમગ્ર મામલો અને આ મામલે શું કહ્યું મેયરે?


  • Published By :
  • Published Date : 2023-09-16 11:15:46

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગાવવામાં આવતી નેમ પ્લેટનો કલર બદલી દેવામાં આવ્યો છે. પહેલા જે નેમ પ્લેટ પર વાદળી રંગ દેખાતો હતો હવે તેને બદલીને ભગવો રંગ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હોદ્દેદારોની ઓફિસની બહાર કેસરી કલરની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. 


નેમ પ્લેટનો વાદળી કલર બદલીને કરાયો કેસરી કલર  

થોડા દિવસો પહેલા રાજ્યના અનેક મહાનગરોમાં નવા મેયરની, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. અમદાવાદ શહેરને પોતાના પ્રથમ નાગરિક મળ્યા હતા. મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જતીન પટેલ ડેપ્યુટી મેયર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફિસ બહાર નેમ પ્લેટ અને ફ્લોર પર દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. તે નેમ પ્લેટ પર પહેલા વાદળી કલર હતો જેને બદલી દેવામાં આવ્યો છે. વાદળી કલરને બદલીને હવે ભગવો કલર નેમ પ્લેટ પર કરી દેવામાં આવ્યો છે. નેમ પ્લેટ પર ભગવો કલર કરવામાં આવતા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 


શું નેમ પ્લેટના કલરને લઈ થઈ શકે છે વિવાદ? 

જે જગ્યાની નંબર પ્લેટ બદલવામાં આવી છે તે જગ્યા પર નાગરિકો પોતાની સમસ્યાને લઈને આવતા હોય છે. ઓફિસમાં વિપક્ષી નેતાઓ પણ આવતા હોય છે. ત્યારે નંબર પ્લેટનો કલર બદલી લેવામાં આવતા ચર્ચાઓ થવા લાગી છે. જ્યારે નેમ પ્લેટના રંગ વિશે મેયરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 'કેસરી રંગ એ શોર્ય અને વીરતાનું પ્રતિક છે. સાથે અમારી ભારતીય જનતા પાર્ટીનો પણ રંગ ભગવો છે. જોકે, નેમ પ્લેટનો કલર બદલી નાખવાનો મુદ્દો કોઈ ચર્ચાનો મુદ્દો નથી.' આ નિવેદન મેયર પ્રતિભા જૈન દ્વારા આપવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે શું નેમ પ્લેટના કલરમાં બદલાવ આવવાથી રાજકારણ શરૂ થાય છે?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.