Surat Policeની સરાહનીય કામગીરી, ગુમ થયેલી માસુમ બાળકીને પોલીસે આ રીતે શોધી કાઢી, આ વાંચી Police પ્રત્યેનું માન વધી જશે....!


  • Published By :
  • Published Date : 2023-09-09 17:20:39

પોલીસનો એક ચહેરો આપણે જોયો છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતા કામો, દાદાગીરીને લઈ તેમજ અનેક પોલીસ દ્વારા કરવામાં આવતો દુર્વ્યવહારને તો આપણે જોયું છે, આપણામાંથી અનેક લોકોને અનુભવ થયા હશે. પરંતુ આ બધા વચ્ચે પોલીસ દ્વારા અનેક કામો એવા પણ કરવામાં આવે છે જે કદાચ આપણે જોતા નથી. ત્યારે આજે પોલીસના એક ચહેરાની વાત કરવી છે જે કદાચ આપણે નથી જોતા. વાત આજે સુરત પોલીસની કરવી છે જેમણે બે વર્ષની માસુમ બાળકીને શોધવા માટે જમીન આસમાન એક કરી દીધું છે.  શહેરમાં લાગેલા સીસીટીવીની મદદથી પોલીસે બાળકીને શોધી કાઢી હતી.


પોલીસની કામગીરીને કારણે માતા-પિતા બાળકીને મળ્યા 

અનેક વખત આપણી સામે પોલીસના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ પોલીસ વિભાગ પ્રત્યે નફરત થઈ જતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવતા વ્યવહારને કારણે લોકો પોલીસને પોતાના મિત્ર નથી માનતી. પરંતુ ત્યારે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસની પ્રશંસનીય કામગીરીને કારણે માતા પિતાને તેમની દીકરી પરત મળી છે. 


ટીમો બનાવી પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી  

મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા દંપત્તીને તેમની બે વર્ષની દીકરી નથી મળી રહી. માસુમ બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. માતા પિતાએ બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ આસપાસ બાળકીના મળતા પોલીસ સ્ટેશન માતા પિતા પહોંચ્યા હતા. આ ઘટનાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્વરીત બાળકીને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી. પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવા તજવીજ હાથ ધરી હતી. 


શહેરમાં લાગેલા કેમેરા બાળકી માટે આશીર્વાદરૂપ સાબિત થયા 

શહેરમાં લાગેલા સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી. 300 સીસીટીવી પોલીસે ચેક કર્યા અને તે બાદ ગાધા નગર પાંડેસરા ખાતેથી એક દંપત્તિના ઘરેથી  બાળકી મળી આવી હતી. પોલીસે દંપત્તિની પૂછપરછ કરી જેમાં દંપત્તિએ જણાવ્યું કે બાળકી રોડ પર એકલી ઉભી હતી. બાળકીને જ્યારે તેનું નામ, માતા પિતાનું નામ, સરનામું પૂછવામાં આવ્યું ત્યારે જણાવી શકી ન હતી. અનેક સમય સુધી બાળકીને લઈ તેઓ તે જગ્યા પર ઉભા રહ્યા પરંતુ કોઈ ન આવ્યું. જેને લઈ બાળકીને તેઓ પોતાની સાથે લઈ ગયા. બાળકીને શોધવા માટે પોલીસે એકબાદ એક 300 જેટલા સીસીટીવીને ચેક કર્યા હતા અને અંતે પોલીસને બાળકીને શોધવામાં સફળતા મળી હતી. ગણતરીના કલાકોમાં જ બાળકી પોતાના માતા પિતા પાસે પહોંચી ગઈ હતી.


પોલીસ આપણી મિત્ર છે... 

મહત્વનું છે કે આપણે પોલીસને આપણા મિત્ર નહીં પરંતુ દુશ્મન માનીએ છીએ. પોલીસને પોતાની તકલીફ કહેતા અચકાઈએ છીએ. પરંતુ અનેક પોલીસ કર્મીઓ એવા છે જેમને જોઈ લાગે કે પોલીસમાં પણ માનવતા હજી જીવે છે. પોલીસના અનેક વીડિયો સામે આવી રહ્યા છે જે આપણને જણાવે છે કે પોલીસનું એક આ રૂપ પણ છે જે કદાચ આપણે નથી જોતા.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.