Surat Policeની સરાહનીય કામગીરી, ગુમ થયેલી માસુમ બાળકીને પોલીસે આ રીતે શોધી કાઢી, આ વાંચી Police પ્રત્યેનું માન વધી જશે....!


  • Published By :
  • Published Date : 2023-09-09 17:20:39

પોલીસનો એક ચહેરો આપણે જોયો છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતા કામો, દાદાગીરીને લઈ તેમજ અનેક પોલીસ દ્વારા કરવામાં આવતો દુર્વ્યવહારને તો આપણે જોયું છે, આપણામાંથી અનેક લોકોને અનુભવ થયા હશે. પરંતુ આ બધા વચ્ચે પોલીસ દ્વારા અનેક કામો એવા પણ કરવામાં આવે છે જે કદાચ આપણે જોતા નથી. ત્યારે આજે પોલીસના એક ચહેરાની વાત કરવી છે જે કદાચ આપણે નથી જોતા. વાત આજે સુરત પોલીસની કરવી છે જેમણે બે વર્ષની માસુમ બાળકીને શોધવા માટે જમીન આસમાન એક કરી દીધું છે.  શહેરમાં લાગેલા સીસીટીવીની મદદથી પોલીસે બાળકીને શોધી કાઢી હતી.


પોલીસની કામગીરીને કારણે માતા-પિતા બાળકીને મળ્યા 

અનેક વખત આપણી સામે પોલીસના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ પોલીસ વિભાગ પ્રત્યે નફરત થઈ જતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવતા વ્યવહારને કારણે લોકો પોલીસને પોતાના મિત્ર નથી માનતી. પરંતુ ત્યારે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસની પ્રશંસનીય કામગીરીને કારણે માતા પિતાને તેમની દીકરી પરત મળી છે. 


ટીમો બનાવી પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી  

મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા દંપત્તીને તેમની બે વર્ષની દીકરી નથી મળી રહી. માસુમ બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. માતા પિતાએ બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ આસપાસ બાળકીના મળતા પોલીસ સ્ટેશન માતા પિતા પહોંચ્યા હતા. આ ઘટનાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્વરીત બાળકીને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી. પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવા તજવીજ હાથ ધરી હતી. 


શહેરમાં લાગેલા કેમેરા બાળકી માટે આશીર્વાદરૂપ સાબિત થયા 

શહેરમાં લાગેલા સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી. 300 સીસીટીવી પોલીસે ચેક કર્યા અને તે બાદ ગાધા નગર પાંડેસરા ખાતેથી એક દંપત્તિના ઘરેથી  બાળકી મળી આવી હતી. પોલીસે દંપત્તિની પૂછપરછ કરી જેમાં દંપત્તિએ જણાવ્યું કે બાળકી રોડ પર એકલી ઉભી હતી. બાળકીને જ્યારે તેનું નામ, માતા પિતાનું નામ, સરનામું પૂછવામાં આવ્યું ત્યારે જણાવી શકી ન હતી. અનેક સમય સુધી બાળકીને લઈ તેઓ તે જગ્યા પર ઉભા રહ્યા પરંતુ કોઈ ન આવ્યું. જેને લઈ બાળકીને તેઓ પોતાની સાથે લઈ ગયા. બાળકીને શોધવા માટે પોલીસે એકબાદ એક 300 જેટલા સીસીટીવીને ચેક કર્યા હતા અને અંતે પોલીસને બાળકીને શોધવામાં સફળતા મળી હતી. ગણતરીના કલાકોમાં જ બાળકી પોતાના માતા પિતા પાસે પહોંચી ગઈ હતી.


પોલીસ આપણી મિત્ર છે... 

મહત્વનું છે કે આપણે પોલીસને આપણા મિત્ર નહીં પરંતુ દુશ્મન માનીએ છીએ. પોલીસને પોતાની તકલીફ કહેતા અચકાઈએ છીએ. પરંતુ અનેક પોલીસ કર્મીઓ એવા છે જેમને જોઈ લાગે કે પોલીસમાં પણ માનવતા હજી જીવે છે. પોલીસના અનેક વીડિયો સામે આવી રહ્યા છે જે આપણને જણાવે છે કે પોલીસનું એક આ રૂપ પણ છે જે કદાચ આપણે નથી જોતા.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.