જૂનાગઢના બાલાગામથી પંચાળાના નવા નક્કોર રોડની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ! સાચે વરસાદે કરી રસ્તાની આવી હાલત?


  • Published By :
  • Published Date : 2023-07-26 11:21:23

રાજ્યમાં ખરાબ રોડ રસ્તાની અનેક વખત વાતો કરવામાં આવી હતી. પહેલાનો સમય અલગ હતો જ્યારે વર્ષો સુધી રસ્તો સારી હાલતમાં ટકતો હતો. આપણી સામે એવા અનેક બિલ્ડીંગો છે જે આપણી ધરોહરને સાચવીને બેઠા છે. ઘણા વર્ષો વિતી ગયા હોય પરંતુ બિલ્ડીંગ આજે પણ અડીખમ દેખાતી હોય છે. જેને જોઈ અનેક વખત એવો વિચાર આવતો હોય કે રાજાના સમયમાં બનેલા રસ્તાઓ, ઈમારતો કેવી રીતે આટલા વર્ષો પછી પણ એવી જ પરિસ્થિતિમાં છે જે પરિસ્થિતિમાં તે સમયે હશે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણે જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તાની હાલત એકદમ ખખડધજ થઈ ગઈ છે. અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં પણ રસ્તાઓની હાલત એકદમ ખરાબ છે. તો ગામડાઓની વાત જ ક્યા કરવી? 

રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવે છે હલકી ગુણવત્તાવાળો સામાન

છેલ્લા ઘણા સમયથી અમે ખરાબ રોડ રસ્તાઓની વાતો કરતા હોઈએ છીએ. કોઈ વખત બ્રિજની હોય છે તો કોઈ વખત રસ્તા પર પડતા ખાડાની . એમાં પણ ભૂવાઓને કેવી રીતે ભૂલી શકાય. રસ્તાઓ બનશે અને થોડા સમય બાદ જ રસ્તા પર ખાડા દેખાવવાના શરૂ થઈ જશે, રસ્તા પર પાથરવામાં આવતા ડામર પણ એક હાથથી ઉખડતા હોવાના વીડિયો આપણી સામે આવ્યા છે. અનેક વખત એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે કે નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાવાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે, અવારનવાર એવી તસવીરો પણ સામે આવતા હોય છે. 


બાલાગામથી પંચાળા વચ્ચેનો રસ્તાની છે અતિબિસ્માર હાલત 

ત્યારે ફરી એક વખત રસ્તાની વાત કરવી છે. આ વખતે જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. બાલાગામથી પંચાળા વચ્ચેના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રસ્તાને જોતા એવું લાગે જ નહીં કે આ રસ્તો એક વર્ષ પહેલા જ અવરજવર માટે ખુલ્લો મૂકાયો છે. જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હાલ વરસાદને કારણે રસ્તાની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ ત્યાંના સ્થાનિકોનું તો કંઈક અલગ જ કહેવું છે. સ્થાનિક કહી રહ્યા છે કે આ રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. 


સામાન્ય વરસાદ થતાં જ થાય છે રસ્તાઓનું ધોવાણ

એક તરફ ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન છે, તો બીજી તરફ રસ્તાની હાલત ખુબ સરસ છે તેવા નિવેદનો મંત્રીઓ દ્વારા, સત્તાધારી પક્ષના પ્રવક્તા દ્વારા આપવામાં આવતા હોય છે. પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પહેલા તો રસ્તો બનાવવામાં આવે છે, પછી થોડા સમય બાદ રસ્તાને ખોદવામાં આવે છે. રસ્તો ખોદાયા બાદ તેને વ્યવસ્થિત રીતે પૂરવામાં નથી આવતો જેને લઈ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. ખરાબ રસ્તાને કારણે વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, ઉપરાંત વાહનને પણ નુકસાન થાય છે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.