જૂનાગઢના બાલાગામથી પંચાળાના નવા નક્કોર રોડની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ! સાચે વરસાદે કરી રસ્તાની આવી હાલત?


  • Published By :
  • Published Date : 2023-07-26 11:21:23

રાજ્યમાં ખરાબ રોડ રસ્તાની અનેક વખત વાતો કરવામાં આવી હતી. પહેલાનો સમય અલગ હતો જ્યારે વર્ષો સુધી રસ્તો સારી હાલતમાં ટકતો હતો. આપણી સામે એવા અનેક બિલ્ડીંગો છે જે આપણી ધરોહરને સાચવીને બેઠા છે. ઘણા વર્ષો વિતી ગયા હોય પરંતુ બિલ્ડીંગ આજે પણ અડીખમ દેખાતી હોય છે. જેને જોઈ અનેક વખત એવો વિચાર આવતો હોય કે રાજાના સમયમાં બનેલા રસ્તાઓ, ઈમારતો કેવી રીતે આટલા વર્ષો પછી પણ એવી જ પરિસ્થિતિમાં છે જે પરિસ્થિતિમાં તે સમયે હશે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણે જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તાની હાલત એકદમ ખખડધજ થઈ ગઈ છે. અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં પણ રસ્તાઓની હાલત એકદમ ખરાબ છે. તો ગામડાઓની વાત જ ક્યા કરવી? 

રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવે છે હલકી ગુણવત્તાવાળો સામાન

છેલ્લા ઘણા સમયથી અમે ખરાબ રોડ રસ્તાઓની વાતો કરતા હોઈએ છીએ. કોઈ વખત બ્રિજની હોય છે તો કોઈ વખત રસ્તા પર પડતા ખાડાની . એમાં પણ ભૂવાઓને કેવી રીતે ભૂલી શકાય. રસ્તાઓ બનશે અને થોડા સમય બાદ જ રસ્તા પર ખાડા દેખાવવાના શરૂ થઈ જશે, રસ્તા પર પાથરવામાં આવતા ડામર પણ એક હાથથી ઉખડતા હોવાના વીડિયો આપણી સામે આવ્યા છે. અનેક વખત એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે કે નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાવાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે, અવારનવાર એવી તસવીરો પણ સામે આવતા હોય છે. 


બાલાગામથી પંચાળા વચ્ચેનો રસ્તાની છે અતિબિસ્માર હાલત 

ત્યારે ફરી એક વખત રસ્તાની વાત કરવી છે. આ વખતે જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. બાલાગામથી પંચાળા વચ્ચેના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રસ્તાને જોતા એવું લાગે જ નહીં કે આ રસ્તો એક વર્ષ પહેલા જ અવરજવર માટે ખુલ્લો મૂકાયો છે. જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હાલ વરસાદને કારણે રસ્તાની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ ત્યાંના સ્થાનિકોનું તો કંઈક અલગ જ કહેવું છે. સ્થાનિક કહી રહ્યા છે કે આ રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. 


સામાન્ય વરસાદ થતાં જ થાય છે રસ્તાઓનું ધોવાણ

એક તરફ ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન છે, તો બીજી તરફ રસ્તાની હાલત ખુબ સરસ છે તેવા નિવેદનો મંત્રીઓ દ્વારા, સત્તાધારી પક્ષના પ્રવક્તા દ્વારા આપવામાં આવતા હોય છે. પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પહેલા તો રસ્તો બનાવવામાં આવે છે, પછી થોડા સમય બાદ રસ્તાને ખોદવામાં આવે છે. રસ્તો ખોદાયા બાદ તેને વ્યવસ્થિત રીતે પૂરવામાં નથી આવતો જેને લઈ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. ખરાબ રસ્તાને કારણે વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, ઉપરાંત વાહનને પણ નુકસાન થાય છે.      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.