ચૂંટણી નજીક આવતા ટૂંક સમયમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ કરશે જાહેર


  • Published By :
  • Published Date : 2022-10-25 18:07:41

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. નવેમ્બર અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો જાહેર કરી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ત્યારે સ્ક્રીંનિંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હાઈકમાન્ડની મોહર લાગ્યા બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 

ગુજરાતમાં કોંગ્રેસ 25 વર્ષનો વનવાસ પુરો કરવા માટે રણનીતિકાર પ્રશાંત કિશોરની  મદદ લેશે ! – Revoi.in

હાઈકમાન્ડ ઉમેદવારોના નામ પર લગાડશે મોહર

લાભપાંચમની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડશે તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. જ્યાં ઉમેદવારોના નામો પર મોહર લાગી શકે છે. આ બેઠક મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં મળવાની છે જેમાં જગદીશ ઠાકોર, રઘુ શર્મા સહિત અનેક આગેવાનો હાજર રહેવાના છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.