ચૂંટણી નજીક આવતા ટૂંક સમયમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ કરશે જાહેર


  • Published By :
  • Published Date : 2022-10-25 18:07:41

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. નવેમ્બર અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો જાહેર કરી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ત્યારે સ્ક્રીંનિંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હાઈકમાન્ડની મોહર લાગ્યા બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 

ગુજરાતમાં કોંગ્રેસ 25 વર્ષનો વનવાસ પુરો કરવા માટે રણનીતિકાર પ્રશાંત કિશોરની  મદદ લેશે ! – Revoi.in

હાઈકમાન્ડ ઉમેદવારોના નામ પર લગાડશે મોહર

લાભપાંચમની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડશે તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. જ્યાં ઉમેદવારોના નામો પર મોહર લાગી શકે છે. આ બેઠક મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં મળવાની છે જેમાં જગદીશ ઠાકોર, રઘુ શર્મા સહિત અનેક આગેવાનો હાજર રહેવાના છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી