ચૂંટણી નજીક આવતા ટૂંક સમયમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ કરશે જાહેર


  • Published By :
  • Published Date : 2022-10-25 18:07:41

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. નવેમ્બર અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો જાહેર કરી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ત્યારે સ્ક્રીંનિંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હાઈકમાન્ડની મોહર લાગ્યા બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 

ગુજરાતમાં કોંગ્રેસ 25 વર્ષનો વનવાસ પુરો કરવા માટે રણનીતિકાર પ્રશાંત કિશોરની  મદદ લેશે ! – Revoi.in

હાઈકમાન્ડ ઉમેદવારોના નામ પર લગાડશે મોહર

લાભપાંચમની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડશે તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. જ્યાં ઉમેદવારોના નામો પર મોહર લાગી શકે છે. આ બેઠક મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં મળવાની છે જેમાં જગદીશ ઠાકોર, રઘુ શર્મા સહિત અનેક આગેવાનો હાજર રહેવાના છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.