ખંભાળિયાના ભંડારિયા ગામની શાળાનું બાંધકામ નબળું, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-03 22:46:48

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અનેક શાળાઓમાં નવા ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ રાજ્યની 6 હજાર જેટલી શાળાઓમાં નવું બાંધકામ થઈ રહ્યું છે. જો કે વિદ્યાર્થીઓની શાળાઓના બાંધકામમાં પણ ભ્ર્ષ્ટાચાર થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાનમાં આવતા સરકારના મંત્રીઓ પણ એક્શનમાં આવ્યા છે. જેમ કે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખંભાળિયાના ભંડારિયા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ ગામની શાળાનું નવું બાંધકામ ચાલી રહ્યું છે તે સ્થળની સરપ્રાઈઝ વિઝીટ લેવા પહોંચેલા શિક્ષણ મંત્રીને બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાનું જણાયું હતું.


પ્રફુલ પાનસેરિયાનો બાંધકામ તોડી પાડવા આદેશ


શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ પાનસેરિયા દ્વારકાના ખંભાળિયા તાલુકાનાના ભંડારિયા ગામમાં શાળાનું નવું બાંધકામ ચાલતું હતું તેની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા. શિક્ષણ રાજ્યમંત્રીને ભંડારિયા ગામમાં નવ નિર્માણ થઈ રહેલા શિક્ષણ ભવનના કામમાં ક્ષતિ જણાઈ હતી. તેમણે જે જોયું તે દુખદાયક હતું, પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો, શિક્ષણ રાજ્યમંત્રીએ પણ સ્વીકાર્યું કે આવી કામગીરી કોઈ સંજોગોમાં ન ચાલે. આ બાંધકામ તાત્કાલિક જમીનદોસ્ત કરો અને નવેસરથી બાંધકામ કરો. તેમનો સ્પષ્ટ ઈશારો નબળી ગુણવત્તાના મટીરીયલ સામે હતો. પ્રફુલ પાનસેરિયાએ તાકિદ કરી કે તેઓ ફરી આ શાળાની મુલાકાત લેશે. પ્રફુલ પાનસેરિયાએ એવું પણ કહ્યું કે પૂરતા રૂપિયા આપવામાં આવ્યા છે. ભંડારિયા ગામની શાળાના નબળા બાંધકામ અંગે અગાઉ રજૂઆત કરાઈ હતી. પૂરતા રૂપિયા વસૂલ્યા હોવા છતા પણ નબળું બાંધકામ કેમ થયું તે સૌથી મોટો સવાલ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.