ખંભાળિયાના ભંડારિયા ગામની શાળાનું બાંધકામ નબળું, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-03 22:46:48

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અનેક શાળાઓમાં નવા ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ રાજ્યની 6 હજાર જેટલી શાળાઓમાં નવું બાંધકામ થઈ રહ્યું છે. જો કે વિદ્યાર્થીઓની શાળાઓના બાંધકામમાં પણ ભ્ર્ષ્ટાચાર થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાનમાં આવતા સરકારના મંત્રીઓ પણ એક્શનમાં આવ્યા છે. જેમ કે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખંભાળિયાના ભંડારિયા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ ગામની શાળાનું નવું બાંધકામ ચાલી રહ્યું છે તે સ્થળની સરપ્રાઈઝ વિઝીટ લેવા પહોંચેલા શિક્ષણ મંત્રીને બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાનું જણાયું હતું.


પ્રફુલ પાનસેરિયાનો બાંધકામ તોડી પાડવા આદેશ


શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ પાનસેરિયા દ્વારકાના ખંભાળિયા તાલુકાનાના ભંડારિયા ગામમાં શાળાનું નવું બાંધકામ ચાલતું હતું તેની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા. શિક્ષણ રાજ્યમંત્રીને ભંડારિયા ગામમાં નવ નિર્માણ થઈ રહેલા શિક્ષણ ભવનના કામમાં ક્ષતિ જણાઈ હતી. તેમણે જે જોયું તે દુખદાયક હતું, પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો, શિક્ષણ રાજ્યમંત્રીએ પણ સ્વીકાર્યું કે આવી કામગીરી કોઈ સંજોગોમાં ન ચાલે. આ બાંધકામ તાત્કાલિક જમીનદોસ્ત કરો અને નવેસરથી બાંધકામ કરો. તેમનો સ્પષ્ટ ઈશારો નબળી ગુણવત્તાના મટીરીયલ સામે હતો. પ્રફુલ પાનસેરિયાએ તાકિદ કરી કે તેઓ ફરી આ શાળાની મુલાકાત લેશે. પ્રફુલ પાનસેરિયાએ એવું પણ કહ્યું કે પૂરતા રૂપિયા આપવામાં આવ્યા છે. ભંડારિયા ગામની શાળાના નબળા બાંધકામ અંગે અગાઉ રજૂઆત કરાઈ હતી. પૂરતા રૂપિયા વસૂલ્યા હોવા છતા પણ નબળું બાંધકામ કેમ થયું તે સૌથી મોટો સવાલ છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી