ખંભાળિયાના ભંડારિયા ગામની શાળાનું બાંધકામ નબળું, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-03 22:46:48

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અનેક શાળાઓમાં નવા ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ રાજ્યની 6 હજાર જેટલી શાળાઓમાં નવું બાંધકામ થઈ રહ્યું છે. જો કે વિદ્યાર્થીઓની શાળાઓના બાંધકામમાં પણ ભ્ર્ષ્ટાચાર થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાનમાં આવતા સરકારના મંત્રીઓ પણ એક્શનમાં આવ્યા છે. જેમ કે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખંભાળિયાના ભંડારિયા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ ગામની શાળાનું નવું બાંધકામ ચાલી રહ્યું છે તે સ્થળની સરપ્રાઈઝ વિઝીટ લેવા પહોંચેલા શિક્ષણ મંત્રીને બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાનું જણાયું હતું.


પ્રફુલ પાનસેરિયાનો બાંધકામ તોડી પાડવા આદેશ


શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ પાનસેરિયા દ્વારકાના ખંભાળિયા તાલુકાનાના ભંડારિયા ગામમાં શાળાનું નવું બાંધકામ ચાલતું હતું તેની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા. શિક્ષણ રાજ્યમંત્રીને ભંડારિયા ગામમાં નવ નિર્માણ થઈ રહેલા શિક્ષણ ભવનના કામમાં ક્ષતિ જણાઈ હતી. તેમણે જે જોયું તે દુખદાયક હતું, પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો, શિક્ષણ રાજ્યમંત્રીએ પણ સ્વીકાર્યું કે આવી કામગીરી કોઈ સંજોગોમાં ન ચાલે. આ બાંધકામ તાત્કાલિક જમીનદોસ્ત કરો અને નવેસરથી બાંધકામ કરો. તેમનો સ્પષ્ટ ઈશારો નબળી ગુણવત્તાના મટીરીયલ સામે હતો. પ્રફુલ પાનસેરિયાએ તાકિદ કરી કે તેઓ ફરી આ શાળાની મુલાકાત લેશે. પ્રફુલ પાનસેરિયાએ એવું પણ કહ્યું કે પૂરતા રૂપિયા આપવામાં આવ્યા છે. ભંડારિયા ગામની શાળાના નબળા બાંધકામ અંગે અગાઉ રજૂઆત કરાઈ હતી. પૂરતા રૂપિયા વસૂલ્યા હોવા છતા પણ નબળું બાંધકામ કેમ થયું તે સૌથી મોટો સવાલ છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.