Chaitar Vasavaને કોર્ટે આપ્યો મોટો ઝટકો, નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે, આ કારણોસર કરી હતી કોર્ટમાં અરજી પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-03-19 13:09:16

લોકસભા ચૂંટણીને લઈ જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે અને તે મુજબ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. નર્મદા કોર્ટમાં ચૈતર વસાવાએ અરજી કરી હતી કે પ્રચાર માટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે પરંતુ કોર્ટે પ્રચાર માટે જામીનની શરતો રદ કરવાની અરજીને ફગાવી દીધી છે અને તે મુજબ ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે.   


કોર્ટમાં કરી હતી અરજી પરંતુ... 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારો વચ્ચે શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક એવી હતી જ્યાં તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતો જંગ અનેક વખત જોવા મળે છે. નિવેદનને કારણે આ બેઠકને લઈ ચર્ચા થતી રહે છે. ચૈતર વસાવા મનસુખ વસાવા માટે બોલે છે તો મનસુખ વસાવા ચૈતર વસાવા માટે બોલે છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે પરંતુ ચૈતર વસાવાને મોટો ઝટકો પડ્યો છે. પરંતુ નર્મદા કોર્ટે ચૈતર વસાવાને મોટો ઝટકો આપ્યો છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ નથી કરી શકતા જેને લઈ તેમણે નર્મદા કોર્ટમાં અરજી કરી હતી. પ્રચાર માટે જામીનની શરતો રદ કરવામાં આવે તેવી અરજી કરી હતી પરંતુ કોર્ટે તે અરજીને રદ્દ કરી દીધી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.