Chaitar Vasavaને કોર્ટે આપ્યો મોટો ઝટકો, નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે, આ કારણોસર કરી હતી કોર્ટમાં અરજી પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-03-19 13:09:16

લોકસભા ચૂંટણીને લઈ જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે અને તે મુજબ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. નર્મદા કોર્ટમાં ચૈતર વસાવાએ અરજી કરી હતી કે પ્રચાર માટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે પરંતુ કોર્ટે પ્રચાર માટે જામીનની શરતો રદ કરવાની અરજીને ફગાવી દીધી છે અને તે મુજબ ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે.   


કોર્ટમાં કરી હતી અરજી પરંતુ... 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારો વચ્ચે શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક એવી હતી જ્યાં તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતો જંગ અનેક વખત જોવા મળે છે. નિવેદનને કારણે આ બેઠકને લઈ ચર્ચા થતી રહે છે. ચૈતર વસાવા મનસુખ વસાવા માટે બોલે છે તો મનસુખ વસાવા ચૈતર વસાવા માટે બોલે છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે પરંતુ ચૈતર વસાવાને મોટો ઝટકો પડ્યો છે. પરંતુ નર્મદા કોર્ટે ચૈતર વસાવાને મોટો ઝટકો આપ્યો છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ નથી કરી શકતા જેને લઈ તેમણે નર્મદા કોર્ટમાં અરજી કરી હતી. પ્રચાર માટે જામીનની શરતો રદ કરવામાં આવે તેવી અરજી કરી હતી પરંતુ કોર્ટે તે અરજીને રદ્દ કરી દીધી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .