Chaitar Vasavaને કોર્ટે આપ્યો મોટો ઝટકો, નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે, આ કારણોસર કરી હતી કોર્ટમાં અરજી પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-19 13:09:16

લોકસભા ચૂંટણીને લઈ જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે અને તે મુજબ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. નર્મદા કોર્ટમાં ચૈતર વસાવાએ અરજી કરી હતી કે પ્રચાર માટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે પરંતુ કોર્ટે પ્રચાર માટે જામીનની શરતો રદ કરવાની અરજીને ફગાવી દીધી છે અને તે મુજબ ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે.   


કોર્ટમાં કરી હતી અરજી પરંતુ... 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારો વચ્ચે શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક એવી હતી જ્યાં તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતો જંગ અનેક વખત જોવા મળે છે. નિવેદનને કારણે આ બેઠકને લઈ ચર્ચા થતી રહે છે. ચૈતર વસાવા મનસુખ વસાવા માટે બોલે છે તો મનસુખ વસાવા ચૈતર વસાવા માટે બોલે છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે પરંતુ ચૈતર વસાવાને મોટો ઝટકો પડ્યો છે. પરંતુ નર્મદા કોર્ટે ચૈતર વસાવાને મોટો ઝટકો આપ્યો છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ નથી કરી શકતા જેને લઈ તેમણે નર્મદા કોર્ટમાં અરજી કરી હતી. પ્રચાર માટે જામીનની શરતો રદ કરવામાં આવે તેવી અરજી કરી હતી પરંતુ કોર્ટે તે અરજીને રદ્દ કરી દીધી છે. 



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..