વિરાટ-ગંભીરના ઝઘડા પર સામે આવી પોલીસની ક્રિયેટિવિટી! ઉત્તરપ્રદેશ પોલીસની ટ્વિટ થઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-03 13:21:03

પહેલી મેના રોજ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપરજાયન્ટ અને રોયલ ચૈલેંજર્સની મેચ હતી. એ મેચને આરસીબીએ જીતી લીધી હતી. આ મેચની જેટલી ચર્ચા ન થઈ હતી તેના કરતા અનેક ઘણી વધારે ચર્ચા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી બબાલની થઈ હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ. બહેસ મેચ ન પતી ત્યાં સુધી ચાલી અને એ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્ટેડિયમમાં થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  

छवि

ઉત્તરપ્રદેશ પોલીસે આપી પ્રતિક્રિયા!

વાયરલ થયેલા વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. અલગ અલગ મિમ્સ બન્યા છે અને અલગ અલગ કમેન્ટસ આવી છે. ત્યારે આ બબાલના વીડિયો પર ઉત્તરપ્રદેશ પોલીસે વ્યંગ કર્યો છે.ઉત્તરપ્રદેશ પોલીસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પોસ્ટ મૂકી અને એક મેસેજ લખ્યો અને સાથે જ એક કેપ્શન પણ લખ્યું હતું. પોલીસે કેપ્શનમાં લખ્યું કે कोई भी मसला हमारे लिए "विराट" और "गंभीर" नहीं. किसी भी आकस्मिक परिस्थिति में तुरंत 112 डायल करें.. ઉપરાંત ફોટો ટ્વિટ કરતા પોલીસે લખ્યું કે बहस से परहेज़ करें, हमें कॉल करने में नहीं. किसी भी आपात स्थिति में 112 डायल करें.


કોલકાત્તા પોલીસે પણ બતાવી પોતાની ક્રિયેટીવીટી!

ઉત્તરપ્રદેશ પોલીસ સિવાય કોલકાત્તા પોલીસની ક્રિયેટીવીટી સામે આવી છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની તસવીરનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડથી લોકોને સાવચેત કરવા રહેવા માટે કર્યું છે. મીમમાં બતાવવામાં આવ્યું છે કે મની હિસ્ટ વેબ સિરિઝના પ્રોઝેસર ફોન પર પૂછી રહ્યા છે, મને તમારા ફોન પર આવેલો ઓટીપી બતાવો. તેની નીચે વિરાટ અને ગંભીરની તસવીર મૂકવામાં આવી છે. બંને ખેલાડીઓનો એ ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં હાથ પર આંગળી રાખી છે. પોસ્ટ શેર થયા બાદ આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે.   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.