વિરાટ-ગંભીરના ઝઘડા પર સામે આવી પોલીસની ક્રિયેટિવિટી! ઉત્તરપ્રદેશ પોલીસની ટ્વિટ થઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-03 13:21:03

પહેલી મેના રોજ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપરજાયન્ટ અને રોયલ ચૈલેંજર્સની મેચ હતી. એ મેચને આરસીબીએ જીતી લીધી હતી. આ મેચની જેટલી ચર્ચા ન થઈ હતી તેના કરતા અનેક ઘણી વધારે ચર્ચા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી બબાલની થઈ હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ. બહેસ મેચ ન પતી ત્યાં સુધી ચાલી અને એ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્ટેડિયમમાં થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  

छवि

ઉત્તરપ્રદેશ પોલીસે આપી પ્રતિક્રિયા!

વાયરલ થયેલા વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. અલગ અલગ મિમ્સ બન્યા છે અને અલગ અલગ કમેન્ટસ આવી છે. ત્યારે આ બબાલના વીડિયો પર ઉત્તરપ્રદેશ પોલીસે વ્યંગ કર્યો છે.ઉત્તરપ્રદેશ પોલીસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પોસ્ટ મૂકી અને એક મેસેજ લખ્યો અને સાથે જ એક કેપ્શન પણ લખ્યું હતું. પોલીસે કેપ્શનમાં લખ્યું કે कोई भी मसला हमारे लिए "विराट" और "गंभीर" नहीं. किसी भी आकस्मिक परिस्थिति में तुरंत 112 डायल करें.. ઉપરાંત ફોટો ટ્વિટ કરતા પોલીસે લખ્યું કે बहस से परहेज़ करें, हमें कॉल करने में नहीं. किसी भी आपात स्थिति में 112 डायल करें.


કોલકાત્તા પોલીસે પણ બતાવી પોતાની ક્રિયેટીવીટી!

ઉત્તરપ્રદેશ પોલીસ સિવાય કોલકાત્તા પોલીસની ક્રિયેટીવીટી સામે આવી છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની તસવીરનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડથી લોકોને સાવચેત કરવા રહેવા માટે કર્યું છે. મીમમાં બતાવવામાં આવ્યું છે કે મની હિસ્ટ વેબ સિરિઝના પ્રોઝેસર ફોન પર પૂછી રહ્યા છે, મને તમારા ફોન પર આવેલો ઓટીપી બતાવો. તેની નીચે વિરાટ અને ગંભીરની તસવીર મૂકવામાં આવી છે. બંને ખેલાડીઓનો એ ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં હાથ પર આંગળી રાખી છે. પોસ્ટ શેર થયા બાદ આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.