વિરાટ-ગંભીરના ઝઘડા પર સામે આવી પોલીસની ક્રિયેટિવિટી! ઉત્તરપ્રદેશ પોલીસની ટ્વિટ થઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-03 13:21:03

પહેલી મેના રોજ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપરજાયન્ટ અને રોયલ ચૈલેંજર્સની મેચ હતી. એ મેચને આરસીબીએ જીતી લીધી હતી. આ મેચની જેટલી ચર્ચા ન થઈ હતી તેના કરતા અનેક ઘણી વધારે ચર્ચા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી બબાલની થઈ હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ. બહેસ મેચ ન પતી ત્યાં સુધી ચાલી અને એ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્ટેડિયમમાં થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  

छवि

ઉત્તરપ્રદેશ પોલીસે આપી પ્રતિક્રિયા!

વાયરલ થયેલા વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. અલગ અલગ મિમ્સ બન્યા છે અને અલગ અલગ કમેન્ટસ આવી છે. ત્યારે આ બબાલના વીડિયો પર ઉત્તરપ્રદેશ પોલીસે વ્યંગ કર્યો છે.ઉત્તરપ્રદેશ પોલીસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પોસ્ટ મૂકી અને એક મેસેજ લખ્યો અને સાથે જ એક કેપ્શન પણ લખ્યું હતું. પોલીસે કેપ્શનમાં લખ્યું કે कोई भी मसला हमारे लिए "विराट" और "गंभीर" नहीं. किसी भी आकस्मिक परिस्थिति में तुरंत 112 डायल करें.. ઉપરાંત ફોટો ટ્વિટ કરતા પોલીસે લખ્યું કે बहस से परहेज़ करें, हमें कॉल करने में नहीं. किसी भी आपात स्थिति में 112 डायल करें.


કોલકાત્તા પોલીસે પણ બતાવી પોતાની ક્રિયેટીવીટી!

ઉત્તરપ્રદેશ પોલીસ સિવાય કોલકાત્તા પોલીસની ક્રિયેટીવીટી સામે આવી છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની તસવીરનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડથી લોકોને સાવચેત કરવા રહેવા માટે કર્યું છે. મીમમાં બતાવવામાં આવ્યું છે કે મની હિસ્ટ વેબ સિરિઝના પ્રોઝેસર ફોન પર પૂછી રહ્યા છે, મને તમારા ફોન પર આવેલો ઓટીપી બતાવો. તેની નીચે વિરાટ અને ગંભીરની તસવીર મૂકવામાં આવી છે. બંને ખેલાડીઓનો એ ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં હાથ પર આંગળી રાખી છે. પોસ્ટ શેર થયા બાદ આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.