વિરાટ-ગંભીરના ઝઘડા પર સામે આવી પોલીસની ક્રિયેટિવિટી! ઉત્તરપ્રદેશ પોલીસની ટ્વિટ થઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-03 13:21:03

પહેલી મેના રોજ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપરજાયન્ટ અને રોયલ ચૈલેંજર્સની મેચ હતી. એ મેચને આરસીબીએ જીતી લીધી હતી. આ મેચની જેટલી ચર્ચા ન થઈ હતી તેના કરતા અનેક ઘણી વધારે ચર્ચા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી બબાલની થઈ હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ. બહેસ મેચ ન પતી ત્યાં સુધી ચાલી અને એ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્ટેડિયમમાં થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  

छवि

ઉત્તરપ્રદેશ પોલીસે આપી પ્રતિક્રિયા!

વાયરલ થયેલા વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. અલગ અલગ મિમ્સ બન્યા છે અને અલગ અલગ કમેન્ટસ આવી છે. ત્યારે આ બબાલના વીડિયો પર ઉત્તરપ્રદેશ પોલીસે વ્યંગ કર્યો છે.ઉત્તરપ્રદેશ પોલીસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પોસ્ટ મૂકી અને એક મેસેજ લખ્યો અને સાથે જ એક કેપ્શન પણ લખ્યું હતું. પોલીસે કેપ્શનમાં લખ્યું કે कोई भी मसला हमारे लिए "विराट" और "गंभीर" नहीं. किसी भी आकस्मिक परिस्थिति में तुरंत 112 डायल करें.. ઉપરાંત ફોટો ટ્વિટ કરતા પોલીસે લખ્યું કે बहस से परहेज़ करें, हमें कॉल करने में नहीं. किसी भी आपात स्थिति में 112 डायल करें.


કોલકાત્તા પોલીસે પણ બતાવી પોતાની ક્રિયેટીવીટી!

ઉત્તરપ્રદેશ પોલીસ સિવાય કોલકાત્તા પોલીસની ક્રિયેટીવીટી સામે આવી છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની તસવીરનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડથી લોકોને સાવચેત કરવા રહેવા માટે કર્યું છે. મીમમાં બતાવવામાં આવ્યું છે કે મની હિસ્ટ વેબ સિરિઝના પ્રોઝેસર ફોન પર પૂછી રહ્યા છે, મને તમારા ફોન પર આવેલો ઓટીપી બતાવો. તેની નીચે વિરાટ અને ગંભીરની તસવીર મૂકવામાં આવી છે. બંને ખેલાડીઓનો એ ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં હાથ પર આંગળી રાખી છે. પોસ્ટ શેર થયા બાદ આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.