નેશનલ ગેમ્સની તારીખમાં થયા ફેરફાર.. બે દિવસ પાછળ ઠેલાઈ..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 21:20:34

ગુજરાત સરકારે 36મી નેશનલ ગેમ્સ 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લીધો છે. અગાઉ 8 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે નેશનલ ગેમ્સનું આયોજન થશે. પરંતુ હવે નિર્ણય બદલી તારીખો 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


ગુજરાતમાં પહેલીવાર યોજાનાર નેશનલ ગેમ્સમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. દેશના અનેક ખુણેથી રમતવીરો આવતા ગુજરાત એક ખાસ કેન્દ્ર બની રહેશે. ગુજરાતના 6 મહાનગરોમાં 202 ઈવેન્ટસ યોજાવા જઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની અનુમતિ બાદ નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાતા રાજ્યના અને દેશના અનેક ખેલાડીને એક માધ્યમ મળી રહેશે. ગુજરાતના રમતવીરોને નેશનલ ગેમ્સ પ્લેટફોર્મ મળવાથી તેમની પ્રતિભા દેશ અને દુનિયા સામે રાખવાની મદદ મળશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.