નેશનલ ગેમ્સની તારીખમાં થયા ફેરફાર.. બે દિવસ પાછળ ઠેલાઈ..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 21:20:34

ગુજરાત સરકારે 36મી નેશનલ ગેમ્સ 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લીધો છે. અગાઉ 8 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે નેશનલ ગેમ્સનું આયોજન થશે. પરંતુ હવે નિર્ણય બદલી તારીખો 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


ગુજરાતમાં પહેલીવાર યોજાનાર નેશનલ ગેમ્સમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. દેશના અનેક ખુણેથી રમતવીરો આવતા ગુજરાત એક ખાસ કેન્દ્ર બની રહેશે. ગુજરાતના 6 મહાનગરોમાં 202 ઈવેન્ટસ યોજાવા જઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની અનુમતિ બાદ નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાતા રાજ્યના અને દેશના અનેક ખેલાડીને એક માધ્યમ મળી રહેશે. ગુજરાતના રમતવીરોને નેશનલ ગેમ્સ પ્લેટફોર્મ મળવાથી તેમની પ્રતિભા દેશ અને દુનિયા સામે રાખવાની મદદ મળશે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"