નેશનલ ગેમ્સની તારીખમાં થયા ફેરફાર.. બે દિવસ પાછળ ઠેલાઈ..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 21:20:34

ગુજરાત સરકારે 36મી નેશનલ ગેમ્સ 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લીધો છે. અગાઉ 8 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે નેશનલ ગેમ્સનું આયોજન થશે. પરંતુ હવે નિર્ણય બદલી તારીખો 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


ગુજરાતમાં પહેલીવાર યોજાનાર નેશનલ ગેમ્સમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. દેશના અનેક ખુણેથી રમતવીરો આવતા ગુજરાત એક ખાસ કેન્દ્ર બની રહેશે. ગુજરાતના 6 મહાનગરોમાં 202 ઈવેન્ટસ યોજાવા જઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની અનુમતિ બાદ નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાતા રાજ્યના અને દેશના અનેક ખેલાડીને એક માધ્યમ મળી રહેશે. ગુજરાતના રમતવીરોને નેશનલ ગેમ્સ પ્લેટફોર્મ મળવાથી તેમની પ્રતિભા દેશ અને દુનિયા સામે રાખવાની મદદ મળશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .