પાવાગઢ મંદિર ટ્રસ્ટના નિર્ણયનો આજથી થશે અમલ, છોલેલા શ્રીફળને લઈ જવા પર મૂકાયો છે પ્રતિબંધ, આ નિર્ણયનો ભક્તો કરી શકે છે વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-03-20 11:36:05

થોડા દિવસો પહેલા અંબાજીમાં મોહનથાળ પ્રસાદને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પાવાગઢ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં છોલેલું શ્રીફળ નહીં લઈ જવાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી એક વખત અંબાજીમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે. 

  

આજથી પાવાગઢ મંદિરમાં નહીં લઈ જવાય છોલેલુ શ્રીફળ 

અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા પ્રસાદમાં અપાતા મોહનથાળનું વિતરણ બંધ કરી ચિક્કી પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયને લઈ માઈભક્તોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી હતી. નિર્ણયનો અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વધતા વિરોધને જોતા પ્રસાદ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે.  મોહનથાળ પ્રસાદ વિવાદનો ઉકેલ આવ્યો ન હતો તે દરમિયાન પાવાગઢ ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કોઈ પણ ભક્ત શ્રીફળ લઈને મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે સિક્યોરિટીને પણ તૈનાત કરી દેવામાં આવી છે.       


માઈભક્તોમાં અને વેપારીઓમાં ભારે રોષ 

મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેવી વાત ટસ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી તે મુજબ આ નિર્ણયની અમલી આજથી કરવામાં આવી રહી છે. આજથી ભક્તો પાવાગઢ મંદિરમાં છોલેલુ શ્રીફળ નહીં લઈ જઈ શકે. મંદિરમાં કોઈ પણ વ્યક્તિ છોલેલુ શ્રીફળ લાવી શકશે નહીં. ઉપરાંત જે કોઈ વેપારી છોલેલું શ્રીફળ રાખશે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે માઈભક્તોમાં તેમજ દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. 


શ્રીફળ પ્રસાદને લઈ શરૂ થશે વિવાદ!

નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. નવરાત્રી દરમિયાન અનેક ભક્તો શ્રીફળને લઈ માન્યતા રાખતા હોય છે. ત્યારે થોડા દિવસો બાદ નવરાત્રી પર્વનો પ્રારંભ થવાનો છે. તે સમયે આ નિર્ણયની અમલી થતાં અંબાજી મંદિરમાં પ્રસાદને લઈ જેવો વિરોધ થયો હતો તેવો વિરોધ આમાં પણ થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.