પાવાગઢ મંદિર ટ્રસ્ટના નિર્ણયનો આજથી થશે અમલ, છોલેલા શ્રીફળને લઈ જવા પર મૂકાયો છે પ્રતિબંધ, આ નિર્ણયનો ભક્તો કરી શકે છે વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-03-20 11:36:05

થોડા દિવસો પહેલા અંબાજીમાં મોહનથાળ પ્રસાદને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પાવાગઢ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં છોલેલું શ્રીફળ નહીં લઈ જવાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી એક વખત અંબાજીમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે. 

  

આજથી પાવાગઢ મંદિરમાં નહીં લઈ જવાય છોલેલુ શ્રીફળ 

અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા પ્રસાદમાં અપાતા મોહનથાળનું વિતરણ બંધ કરી ચિક્કી પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયને લઈ માઈભક્તોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી હતી. નિર્ણયનો અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વધતા વિરોધને જોતા પ્રસાદ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે.  મોહનથાળ પ્રસાદ વિવાદનો ઉકેલ આવ્યો ન હતો તે દરમિયાન પાવાગઢ ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કોઈ પણ ભક્ત શ્રીફળ લઈને મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે સિક્યોરિટીને પણ તૈનાત કરી દેવામાં આવી છે.       


માઈભક્તોમાં અને વેપારીઓમાં ભારે રોષ 

મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેવી વાત ટસ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી તે મુજબ આ નિર્ણયની અમલી આજથી કરવામાં આવી રહી છે. આજથી ભક્તો પાવાગઢ મંદિરમાં છોલેલુ શ્રીફળ નહીં લઈ જઈ શકે. મંદિરમાં કોઈ પણ વ્યક્તિ છોલેલુ શ્રીફળ લાવી શકશે નહીં. ઉપરાંત જે કોઈ વેપારી છોલેલું શ્રીફળ રાખશે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે માઈભક્તોમાં તેમજ દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. 


શ્રીફળ પ્રસાદને લઈ શરૂ થશે વિવાદ!

નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. નવરાત્રી દરમિયાન અનેક ભક્તો શ્રીફળને લઈ માન્યતા રાખતા હોય છે. ત્યારે થોડા દિવસો બાદ નવરાત્રી પર્વનો પ્રારંભ થવાનો છે. તે સમયે આ નિર્ણયની અમલી થતાં અંબાજી મંદિરમાં પ્રસાદને લઈ જેવો વિરોધ થયો હતો તેવો વિરોધ આમાં પણ થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.