TATની પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત!નવી શિક્ષણનીતિ પ્રમાણે આ તારીખે લેવાશે પરીક્ષા!


  • Published By :
  • Published Date : 2023-05-02 16:27:08

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી ત્યારે હવે ટેટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. નવી શિક્ષણ મુજબ આ પરીક્ષા લેવામાં આવવાની છે. TAT પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આજથી ઓનલાઈન ફોર્મ ભરી શક્શે. ચાર જૂને પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે જ્યારે 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.  



નવી શિક્ષણ પદ્ધતિ મુજબ લેવાશે પરીક્ષા!

શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકોની ભરતી માટે લેવાતી TATની પરીક્ષાના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષકોની ગુણવત્તા વધારવા માટે હવે TATની પરીક્ષા બે વખત લેવામાં આવશે. પહેલાં પ્રિલિમનરી પરીક્ષા અને બાદમાં મુખ્ય પરીક્ષા લેવાશે. આ માટે શિક્ષણ વિભાગે ઠરાવ પસાર પણ કરી દીધો છે. હવેથી નવી શિક્ષણ નીતિ મુજબ બે પરીક્ષાઓ લેવામાં આવશે. પ્રિલિમનરી પરીક્ષા બહુવિકલ્પ હશે જ્યારે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.


શિક્ષકોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કરાયા ફેરફાર!

થોડા દિવસ પેહલા જ સમાચાર આવ્યા હતા કે  શિક્ષણ વિભાગ દ્વારા TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને નવી પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે. 


ઘણા વર્ષો બાદ યોજાઈ હતી ટેટ-2ની પરીક્ષા!

મહત્વનું છે કે ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાઈ હતી. આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષો બાદ ટેટની પરીક્ષા યોજાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ટેટની પરીક્ષા આગામી સમયમાં યોજાવા જઈ રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.