અમદાવાદમાં જોવા મળી બિપોરજોય વાવાઝોડાની અસર! અમદાવાદમાં શરૂ થયો વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-06-14 14:32:39

બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળી રહ્યો છે. બોડકદેવ, શિવરંજની,વેજલપુલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સિવાય બીજા અનેક જગ્યાઓ પર વરસાદ થઈ રહ્યો છે.


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

ગુજરાત તરફ વાવાઝોડું તેજગતિથી આગળ વધી રહ્યું છે. કચ્છ ખાતે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ આગાહી સાચી સાબિત થતી દેખાઈ પણ રહી છે. વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. દ્વારકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ વાવાઝોડાને કારણે પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.    

 

17 જૂન સુધી આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ! 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે 16 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ કચ્છ, ઉપરાંત મહેસાણામાં અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ શ્રેણીમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા જિલ્લાઓની વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.