અમદાવાદમાં જોવા મળી બિપોરજોય વાવાઝોડાની અસર! અમદાવાદમાં શરૂ થયો વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-06-14 14:32:39

બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળી રહ્યો છે. બોડકદેવ, શિવરંજની,વેજલપુલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સિવાય બીજા અનેક જગ્યાઓ પર વરસાદ થઈ રહ્યો છે.


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

ગુજરાત તરફ વાવાઝોડું તેજગતિથી આગળ વધી રહ્યું છે. કચ્છ ખાતે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ આગાહી સાચી સાબિત થતી દેખાઈ પણ રહી છે. વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. દ્વારકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ વાવાઝોડાને કારણે પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.    

 

17 જૂન સુધી આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ! 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે 16 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ કચ્છ, ઉપરાંત મહેસાણામાં અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ શ્રેણીમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા જિલ્લાઓની વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.