ગરમીની અસર દેખાઈ રસ્તા પર! વડોદરામાં ગરમીને કારણે રસ્તો પીગળી ગયો જેને લઈ સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન!


  • Published By :
  • Published Date : 2023-04-17 16:38:22

ગુજરાતમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. અનેક વખત એવા અનેક રોડ આપણે જોતા હોઈએ છીએ જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. અનેક એવા બ્રિજ છે એવા અનેક રોડ છે જેની ગુણવત્તાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરાનો એક રસ્તો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય ગરમી પડતા  રસ્તો પીગળી ગયો છે. એક મહિના પહેલા જ આ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારે રસ્તો પીગળી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 

વડોદરામાં ગરમી પડતા રોડ પીગળ્યો

એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી ગયો!

ઉનાળાની શરૂઆત ધીરે ધીરે રાજ્યમાં થઈ રહી છે. તાપમાન 40 ડિગ્રીને આસપાસ પહોંચવા આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ તાપમાનનો પારો વધારે ઉચકાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીની અસર રસ્તાઓ પર પડતી અનેક વખત દેખાઈ છે. ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે જ્યારે ઉનાળામાં ગરમીને કારણે રસ્તાઓ પીગળી જતા હોય છે. ત્યારે રસ્તો પીગળવાની ઘટના વડોદરાથી સામે આવી છે. ભાયલીથી રાયપુરા જવાના રસ્તા પર એક મહિના પહેલા ડામર વાળો રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગરમીને કારણે એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી રહ્યો છે.      


ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ મારવા પડશે વલખા!

અંદાજીત એક મહિના પહેલા બનેલા રસ્તાની આવી દશા જોઈ રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શંકા ઉભી થઈ રહી છે. રોડ બનાવવાના બદલે માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોડ પીગળી જવાને કારણે વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. રોડ પીગળી જતા એવા દ્રશ્યો સર્જાયા હતા જાણે કેમિકલ ઢોળાયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ગેરરીતિનો ભોગ સામાન્ય લોકોને બનવું પડશે? ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ વલખા મારવા પડશે?  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે