ગરમીની અસર દેખાઈ રસ્તા પર! વડોદરામાં ગરમીને કારણે રસ્તો પીગળી ગયો જેને લઈ સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન!


  • Published By :
  • Published Date : 2023-04-17 16:38:22

ગુજરાતમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. અનેક વખત એવા અનેક રોડ આપણે જોતા હોઈએ છીએ જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. અનેક એવા બ્રિજ છે એવા અનેક રોડ છે જેની ગુણવત્તાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરાનો એક રસ્તો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય ગરમી પડતા  રસ્તો પીગળી ગયો છે. એક મહિના પહેલા જ આ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારે રસ્તો પીગળી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 

વડોદરામાં ગરમી પડતા રોડ પીગળ્યો

એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી ગયો!

ઉનાળાની શરૂઆત ધીરે ધીરે રાજ્યમાં થઈ રહી છે. તાપમાન 40 ડિગ્રીને આસપાસ પહોંચવા આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ તાપમાનનો પારો વધારે ઉચકાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીની અસર રસ્તાઓ પર પડતી અનેક વખત દેખાઈ છે. ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે જ્યારે ઉનાળામાં ગરમીને કારણે રસ્તાઓ પીગળી જતા હોય છે. ત્યારે રસ્તો પીગળવાની ઘટના વડોદરાથી સામે આવી છે. ભાયલીથી રાયપુરા જવાના રસ્તા પર એક મહિના પહેલા ડામર વાળો રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગરમીને કારણે એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી રહ્યો છે.      


ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ મારવા પડશે વલખા!

અંદાજીત એક મહિના પહેલા બનેલા રસ્તાની આવી દશા જોઈ રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શંકા ઉભી થઈ રહી છે. રોડ બનાવવાના બદલે માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોડ પીગળી જવાને કારણે વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. રોડ પીગળી જતા એવા દ્રશ્યો સર્જાયા હતા જાણે કેમિકલ ઢોળાયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ગેરરીતિનો ભોગ સામાન્ય લોકોને બનવું પડશે? ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ વલખા મારવા પડશે?  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.