ગરમીની અસર દેખાઈ રસ્તા પર! વડોદરામાં ગરમીને કારણે રસ્તો પીગળી ગયો જેને લઈ સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન!


  • Published By :
  • Published Date : 2023-04-17 16:38:22

ગુજરાતમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. અનેક વખત એવા અનેક રોડ આપણે જોતા હોઈએ છીએ જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. અનેક એવા બ્રિજ છે એવા અનેક રોડ છે જેની ગુણવત્તાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરાનો એક રસ્તો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય ગરમી પડતા  રસ્તો પીગળી ગયો છે. એક મહિના પહેલા જ આ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારે રસ્તો પીગળી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 

વડોદરામાં ગરમી પડતા રોડ પીગળ્યો

એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી ગયો!

ઉનાળાની શરૂઆત ધીરે ધીરે રાજ્યમાં થઈ રહી છે. તાપમાન 40 ડિગ્રીને આસપાસ પહોંચવા આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ તાપમાનનો પારો વધારે ઉચકાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીની અસર રસ્તાઓ પર પડતી અનેક વખત દેખાઈ છે. ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે જ્યારે ઉનાળામાં ગરમીને કારણે રસ્તાઓ પીગળી જતા હોય છે. ત્યારે રસ્તો પીગળવાની ઘટના વડોદરાથી સામે આવી છે. ભાયલીથી રાયપુરા જવાના રસ્તા પર એક મહિના પહેલા ડામર વાળો રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગરમીને કારણે એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી રહ્યો છે.      


ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ મારવા પડશે વલખા!

અંદાજીત એક મહિના પહેલા બનેલા રસ્તાની આવી દશા જોઈ રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શંકા ઉભી થઈ રહી છે. રોડ બનાવવાના બદલે માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોડ પીગળી જવાને કારણે વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. રોડ પીગળી જતા એવા દ્રશ્યો સર્જાયા હતા જાણે કેમિકલ ઢોળાયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ગેરરીતિનો ભોગ સામાન્ય લોકોને બનવું પડશે? ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ વલખા મારવા પડશે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.