ગરમીની અસર દેખાઈ રસ્તા પર! વડોદરામાં ગરમીને કારણે રસ્તો પીગળી ગયો જેને લઈ સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન!


  • Published By :
  • Published Date : 2023-04-17 16:38:22

ગુજરાતમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. અનેક વખત એવા અનેક રોડ આપણે જોતા હોઈએ છીએ જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. અનેક એવા બ્રિજ છે એવા અનેક રોડ છે જેની ગુણવત્તાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરાનો એક રસ્તો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય ગરમી પડતા  રસ્તો પીગળી ગયો છે. એક મહિના પહેલા જ આ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારે રસ્તો પીગળી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 

વડોદરામાં ગરમી પડતા રોડ પીગળ્યો

એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી ગયો!

ઉનાળાની શરૂઆત ધીરે ધીરે રાજ્યમાં થઈ રહી છે. તાપમાન 40 ડિગ્રીને આસપાસ પહોંચવા આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ તાપમાનનો પારો વધારે ઉચકાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીની અસર રસ્તાઓ પર પડતી અનેક વખત દેખાઈ છે. ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે જ્યારે ઉનાળામાં ગરમીને કારણે રસ્તાઓ પીગળી જતા હોય છે. ત્યારે રસ્તો પીગળવાની ઘટના વડોદરાથી સામે આવી છે. ભાયલીથી રાયપુરા જવાના રસ્તા પર એક મહિના પહેલા ડામર વાળો રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગરમીને કારણે એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી રહ્યો છે.      


ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ મારવા પડશે વલખા!

અંદાજીત એક મહિના પહેલા બનેલા રસ્તાની આવી દશા જોઈ રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શંકા ઉભી થઈ રહી છે. રોડ બનાવવાના બદલે માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોડ પીગળી જવાને કારણે વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. રોડ પીગળી જતા એવા દ્રશ્યો સર્જાયા હતા જાણે કેમિકલ ઢોળાયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ગેરરીતિનો ભોગ સામાન્ય લોકોને બનવું પડશે? ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ વલખા મારવા પડશે?  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.