પૂર્વોત્તર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી


  • Published By :
  • Published Date : 2023-01-08 12:56:56

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેંડમાં આ વર્ષે ચૂંટણી યોજાવાવી છે જેને લઈ ચૂંટણી પંચ આ રાજ્યોની મુલાકાત લેવાની છે. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી પંચની ટીમ રાજ્યોની મુલાકાત લેશે. અને રાજ્યોની મુલાકાત લીધા બાદ દિલ્હી ખાતે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ટીમ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રાજ્યોની મુલાકાત લેશે. 


આ રાજ્યોમાં યોજાવાની છે ચૂંટણી 

મળતી માહિતી અનુસાર ત્રિપુરાની મુલાકાત ચૂંટણી પંચની ટીમ 11 જાન્યુઆરીએ લેશે જેમાં અનૂપ ચંદ્ર પાંડે, અરૂણ ગોયલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ રાજ્યની મુલાકાત લેશે. ત્રિપુરા બાદ ટીમ નાગાલેન્ડ અને મેઘાલયની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ટીમ વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓની તપાસ કરશે. ઉપરાંત  રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે ચૂંટણી સંપન્ન થાય તે અંગે તપાસ કરશે. 


સર્વે કર્યા બાદ જાહેર કરવામાં આવશે તારીખની જાહેરાત 

ત્રણેય રાજ્યોની મુલાકાત લીધા બાદ ટીમ જ્યારે દિલ્હી પહોંચશે તે બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી સમયે શાંતિ જાળવવા માટે અર્ધ સૈન્ય બળને પણ તૈનાત કરી દેવામાં આવશે. તમામ સર્વે તેમજ તપાસ કર્યા બાદ ત્રણેય રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.