પૂર્વોત્તર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી


  • Published By :
  • Published Date : 2023-01-08 12:56:56

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેંડમાં આ વર્ષે ચૂંટણી યોજાવાવી છે જેને લઈ ચૂંટણી પંચ આ રાજ્યોની મુલાકાત લેવાની છે. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી પંચની ટીમ રાજ્યોની મુલાકાત લેશે. અને રાજ્યોની મુલાકાત લીધા બાદ દિલ્હી ખાતે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ટીમ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રાજ્યોની મુલાકાત લેશે. 


આ રાજ્યોમાં યોજાવાની છે ચૂંટણી 

મળતી માહિતી અનુસાર ત્રિપુરાની મુલાકાત ચૂંટણી પંચની ટીમ 11 જાન્યુઆરીએ લેશે જેમાં અનૂપ ચંદ્ર પાંડે, અરૂણ ગોયલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ રાજ્યની મુલાકાત લેશે. ત્રિપુરા બાદ ટીમ નાગાલેન્ડ અને મેઘાલયની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ટીમ વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓની તપાસ કરશે. ઉપરાંત  રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે ચૂંટણી સંપન્ન થાય તે અંગે તપાસ કરશે. 


સર્વે કર્યા બાદ જાહેર કરવામાં આવશે તારીખની જાહેરાત 

ત્રણેય રાજ્યોની મુલાકાત લીધા બાદ ટીમ જ્યારે દિલ્હી પહોંચશે તે બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી સમયે શાંતિ જાળવવા માટે અર્ધ સૈન્ય બળને પણ તૈનાત કરી દેવામાં આવશે. તમામ સર્વે તેમજ તપાસ કર્યા બાદ ત્રણેય રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.