રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈ ચૂંટણી પંચે કરી રાજકીય પક્ષો સાથે બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-16 15:30:20

આગામી સમયમાં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી દૂર હોવાને કારણે પોતાના અધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદાતા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન લાવવાનું વિચારી રહી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષ અને મહાસચિવો સાથે બેઠક કરી હતી અને આ મશીનનો પ્રોટોટાઈપ બતાવ્યો હતો.

  ચૂંટણી પંચે રાજકીય પક્ષો સમક્ષ રજૂ કર્યું પ્રોટોટાઈપ

ભારતમાં મતદાનને લોકશાહીનો પર્વ માનવામાં આવે છે. પરંતુ અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી બહાર હોવાને કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદારો વોટિંગ કરી શકે તે માટે ચૂંટણી પંચ નવી સીસ્ટમ લાવવા જઈ રહ્યું છે. રિમોર્ટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગથી મતદાર કોઈ પણ સ્થળેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અનેક મતદારો મતદાનનો ઉપયોગ નથી કરી શક્તા તે કારણોસર વોટિંગ પણ ઓછું થાય છે. ત્યારે આ સીસ્ટમનો ઉપયોગ કરવાથી મતદાનના ટકા વધે તેવી આશા ચૂંટણી પંચ રાખી રહી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.