રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈ ચૂંટણી પંચે કરી રાજકીય પક્ષો સાથે બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-16 15:30:20

આગામી સમયમાં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી દૂર હોવાને કારણે પોતાના અધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદાતા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન લાવવાનું વિચારી રહી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષ અને મહાસચિવો સાથે બેઠક કરી હતી અને આ મશીનનો પ્રોટોટાઈપ બતાવ્યો હતો.

  ચૂંટણી પંચે રાજકીય પક્ષો સમક્ષ રજૂ કર્યું પ્રોટોટાઈપ

ભારતમાં મતદાનને લોકશાહીનો પર્વ માનવામાં આવે છે. પરંતુ અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી બહાર હોવાને કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદારો વોટિંગ કરી શકે તે માટે ચૂંટણી પંચ નવી સીસ્ટમ લાવવા જઈ રહ્યું છે. રિમોર્ટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગથી મતદાર કોઈ પણ સ્થળેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અનેક મતદારો મતદાનનો ઉપયોગ નથી કરી શક્તા તે કારણોસર વોટિંગ પણ ઓછું થાય છે. ત્યારે આ સીસ્ટમનો ઉપયોગ કરવાથી મતદાનના ટકા વધે તેવી આશા ચૂંટણી પંચ રાખી રહી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી