રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈ ચૂંટણી પંચે કરી રાજકીય પક્ષો સાથે બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-16 15:30:20

આગામી સમયમાં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી દૂર હોવાને કારણે પોતાના અધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદાતા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન લાવવાનું વિચારી રહી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષ અને મહાસચિવો સાથે બેઠક કરી હતી અને આ મશીનનો પ્રોટોટાઈપ બતાવ્યો હતો.

  ચૂંટણી પંચે રાજકીય પક્ષો સમક્ષ રજૂ કર્યું પ્રોટોટાઈપ

ભારતમાં મતદાનને લોકશાહીનો પર્વ માનવામાં આવે છે. પરંતુ અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી બહાર હોવાને કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદારો વોટિંગ કરી શકે તે માટે ચૂંટણી પંચ નવી સીસ્ટમ લાવવા જઈ રહ્યું છે. રિમોર્ટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગથી મતદાર કોઈ પણ સ્થળેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અનેક મતદારો મતદાનનો ઉપયોગ નથી કરી શક્તા તે કારણોસર વોટિંગ પણ ઓછું થાય છે. ત્યારે આ સીસ્ટમનો ઉપયોગ કરવાથી મતદાનના ટકા વધે તેવી આશા ચૂંટણી પંચ રાખી રહી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.