પાવાગઢ મહાકાળીના મંદિરમાં વધારાશે સુવિધા, ભક્તોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 15:10:33

પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના દર્શન કરવા ભક્તોએ અનેક સિડી ચઢવી પડતી હોય છે. પરંતુ અનેક ભક્તોને પગથિયા હોવાને કારણે તકલીફ પડતી હોય છે. ત્યારે દર્શનાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. લિફ્ટનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


રોપ-વે પછી પણ ચઢવા પડે છે પગથિયા 

ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. મુખ્યત્વે દરેક શક્તિપીઠ પહાડો પર આવેલા છે. પાવગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે. હજારોની સંખ્યામાં માઈ ભક્તો મંદિરની મુલાકાત લેતા હોય છે. માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓએ અનેક પગથિયા ચઢવા પડે છે. દર્શનાર્થીઓની સુવિધા માટે રોપ-વેની સુવિધા કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ અનેક પગથિયા ચઢવા પડે છે. બે લિફ્ટ બનાવામાં આવશે. 


બે લિફ્ટની કરાશે વ્યવસ્થા

પગથિયાને કારણે વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ તકલીફને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  રોપ-વે બાદ પણ 450 પગથિયા ચઢવા પડે છે પરંતુ લિફ્ટનું નિર્માણ થયા બાદ દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે. અને માત્ર અમુક સેકેન્ડમાં માતાજીના મંદિરે પહોંચી જવાશે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.