પાવાગઢ મહાકાળીના મંદિરમાં વધારાશે સુવિધા, ભક્તોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 15:10:33

પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના દર્શન કરવા ભક્તોએ અનેક સિડી ચઢવી પડતી હોય છે. પરંતુ અનેક ભક્તોને પગથિયા હોવાને કારણે તકલીફ પડતી હોય છે. ત્યારે દર્શનાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. લિફ્ટનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


રોપ-વે પછી પણ ચઢવા પડે છે પગથિયા 

ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. મુખ્યત્વે દરેક શક્તિપીઠ પહાડો પર આવેલા છે. પાવગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે. હજારોની સંખ્યામાં માઈ ભક્તો મંદિરની મુલાકાત લેતા હોય છે. માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓએ અનેક પગથિયા ચઢવા પડે છે. દર્શનાર્થીઓની સુવિધા માટે રોપ-વેની સુવિધા કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ અનેક પગથિયા ચઢવા પડે છે. બે લિફ્ટ બનાવામાં આવશે. 


બે લિફ્ટની કરાશે વ્યવસ્થા

પગથિયાને કારણે વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ તકલીફને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  રોપ-વે બાદ પણ 450 પગથિયા ચઢવા પડે છે પરંતુ લિફ્ટનું નિર્માણ થયા બાદ દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે. અને માત્ર અમુક સેકેન્ડમાં માતાજીના મંદિરે પહોંચી જવાશે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.