પાવાગઢ મહાકાળીના મંદિરમાં વધારાશે સુવિધા, ભક્તોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 15:10:33

પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના દર્શન કરવા ભક્તોએ અનેક સિડી ચઢવી પડતી હોય છે. પરંતુ અનેક ભક્તોને પગથિયા હોવાને કારણે તકલીફ પડતી હોય છે. ત્યારે દર્શનાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. લિફ્ટનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


રોપ-વે પછી પણ ચઢવા પડે છે પગથિયા 

ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. મુખ્યત્વે દરેક શક્તિપીઠ પહાડો પર આવેલા છે. પાવગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે. હજારોની સંખ્યામાં માઈ ભક્તો મંદિરની મુલાકાત લેતા હોય છે. માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓએ અનેક પગથિયા ચઢવા પડે છે. દર્શનાર્થીઓની સુવિધા માટે રોપ-વેની સુવિધા કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ અનેક પગથિયા ચઢવા પડે છે. બે લિફ્ટ બનાવામાં આવશે. 


બે લિફ્ટની કરાશે વ્યવસ્થા

પગથિયાને કારણે વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ તકલીફને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  રોપ-વે બાદ પણ 450 પગથિયા ચઢવા પડે છે પરંતુ લિફ્ટનું નિર્માણ થયા બાદ દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે. અને માત્ર અમુક સેકેન્ડમાં માતાજીના મંદિરે પહોંચી જવાશે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.