એક તરફી પ્રેમમાં પાગલ શિક્ષકનું પરાક્રમ, શિક્ષિકાને બદનામ કરવા ભુલકાઓને કામે લગાવી દીધા


  • Published By :
  • Published Date : 2023-09-23 18:20:58

આમ તો શાળા એ સરસ્વતીનું ધામ કહેવાય છે અને શિક્ષક ભગવાન સમાન હોય એ અત્યાર સધી આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ આ સરસ્વતીના ધામને કેટલાક હેવાનો લાંછન લગાવવા બેઠા છે ગાંધીનગરના માણસાની શાળામાં શિક્ષકે એક એવી કરતૂત કરી છે કે માનવામાં ન આવે..

વાત જાણે એમ છે કે એક શિક્ષક શિક્ષિકાના એકતરફી પ્રેમમાં પાગલ થઇ ગયો અને હદ વટાવી નાખી...આ શિક્ષક એક તરફી પ્રેમમાં એટલી હદે પહોંચી ગયો કે શિક્ષિકાને બદનામ કરવા શાળાની આજુબાજુમાં શિક્ષિકા વિષે બિભસ્ત લખાણ વાળા પોસ્ટર લગાવી દીધા 

માણસાની એક વિદ્યાલયના લંપટ અશોક પ્રજાપતિ નામનો શિક્ષક એક તરફી પ્રેમમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષિકાને હેરાન કરી તેને પ્રપોઝ કરતો હતો પરંતુ શિક્ષિકા આ લંપટનો ઈરાદો સમજી ગઈ હતી અને પ્રપોઝનો ઇન્કાર કરી દીધો હતો જેને લઇ આ શિક્ષક બોખલાઈ ગયો હતો અને શિક્ષિકાને બદનામ કરવાનો કારસો રચ્યો અને શિક્ષિકાના વિષે બિભસ્ત લખાણો લખી પત્રિકાઓ છપાવી હતી પત્રિકામાં શિક્ષિકાનું નામ અને અન્ય સહ પુરુષના નામ જોડી શાળાની પરબ, શાળાની બહારની દીવાલો પર લગાવી હતી 


વિદ્યાર્થીઓને ધમકાવી પોસ્ટરો લગાવડાવ્યા 

અંગ્રેજી વિષયનો અશોક નામનો શિક્ષક એક તરફી પ્રેમમાં એટલી હદે પહોંચી ગયો કે તેણે ભુલકાઓને પણ ન છોડ્યા શાળાના વિદ્યાર્થીઓને નપાસ કરવાની ધમકી આપીને વિદ્યાર્થીઓ પાસે પત્રિકાઓ વહેંચાવડાવી હતી..પત્રિકાઓ જોઈ ચોંકી ગયેલી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પુછપરછ કરી હતી કે આ પત્રિકાઓ કોણે આપી તો ભાંડો ફૂટ્યો હતો કે અશોક વિદ્યાર્થીઓને ધમકાવી ડરાવી આ પત્રિકાઓ વહેંચવાનું કહ્યં હતું 


શિક્ષિકાએ કંટાળીને હિંમત બતાવી 

છેલ્લા ઘણા વર્ષોથી અંગ્રેજી વિષય ભણાવતો શિક્ષક આ શિક્ષિકાને હેરાન પરેશાન કરતો હતો પંરતુ શિક્ષિકા દ્વારા આ બાબતને જતું કરતી હતી પરંતુ આ પોસ્ટર જોયા બાદ શિક્ષિકા હતાશ થઈ ગઈ હતી જોકે ત્યારબાદ આ શિક્ષિકાએ હિંમત બતાવી અને પોલીસ પાસે પહોંચી હતી માણસા પોલીસે આ બાબતને ગંભીરતાએ લઈને આરોપીની ધરપકડ કરી લીધી અને જેલ હવાલે કરી દીધો હતો 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.