ફેબ્રુઆરી મહિનામાં જ થઈ રહ્યો છે ઉનાળાનો અહેસાસ, આ વર્ષે ભૂજમાં તૂટ્યો અનેક વર્ષોનો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2023-02-18 13:04:26

આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષાને કારણે આપણે ત્યાં તાપમાનનો પારો સતત ગગડતો હતો. ત્યારે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે જેમ ઠંડીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે તેમ ગરમી પણ આ વર્ષે રેકોર્ડ તોડશે. વાત સાચી પણ પડતી લાગી રહી છે. ફેબ્રુઆરીમાં રાજ્યના અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી પર પહોંચી ગયું છે. 


તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર 

આ વર્ષે હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોનો રેકોર્ડ આ વખતે તૂટ્યો છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. ગુરૂવારે અમદાવાદમાં 37.5 ડિગ્રી નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનામાં આવો તાપ અનેક વર્ષો બાદ પડી રહ્યો છે. ફેબ્રુઆરીની બપોર જાણે ઉનાળાના મહિનાની બપોર હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. કચ્છ ભૂજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. જો ફેબ્રુઆરીમાં આ હાલ છે તો ઉનાળાના મહિના શું હાલત થશે તેવો ડર લોકોને સતાવી રહ્યો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.