ફેબ્રુઆરી મહિનામાં જ થઈ રહ્યો છે ઉનાળાનો અહેસાસ, આ વર્ષે ભૂજમાં તૂટ્યો અનેક વર્ષોનો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2023-02-18 13:04:26

આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષાને કારણે આપણે ત્યાં તાપમાનનો પારો સતત ગગડતો હતો. ત્યારે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે જેમ ઠંડીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે તેમ ગરમી પણ આ વર્ષે રેકોર્ડ તોડશે. વાત સાચી પણ પડતી લાગી રહી છે. ફેબ્રુઆરીમાં રાજ્યના અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી પર પહોંચી ગયું છે. 


તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર 

આ વર્ષે હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોનો રેકોર્ડ આ વખતે તૂટ્યો છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. ગુરૂવારે અમદાવાદમાં 37.5 ડિગ્રી નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનામાં આવો તાપ અનેક વર્ષો બાદ પડી રહ્યો છે. ફેબ્રુઆરીની બપોર જાણે ઉનાળાના મહિનાની બપોર હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. કચ્છ ભૂજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. જો ફેબ્રુઆરીમાં આ હાલ છે તો ઉનાળાના મહિના શું હાલત થશે તેવો ડર લોકોને સતાવી રહ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.