ફેબ્રુઆરી મહિનામાં જ થઈ રહ્યો છે ઉનાળાનો અહેસાસ, આ વર્ષે ભૂજમાં તૂટ્યો અનેક વર્ષોનો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2023-02-18 13:04:26

આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષાને કારણે આપણે ત્યાં તાપમાનનો પારો સતત ગગડતો હતો. ત્યારે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે જેમ ઠંડીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે તેમ ગરમી પણ આ વર્ષે રેકોર્ડ તોડશે. વાત સાચી પણ પડતી લાગી રહી છે. ફેબ્રુઆરીમાં રાજ્યના અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી પર પહોંચી ગયું છે. 


તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર 

આ વર્ષે હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોનો રેકોર્ડ આ વખતે તૂટ્યો છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. ગુરૂવારે અમદાવાદમાં 37.5 ડિગ્રી નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનામાં આવો તાપ અનેક વર્ષો બાદ પડી રહ્યો છે. ફેબ્રુઆરીની બપોર જાણે ઉનાળાના મહિનાની બપોર હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. કચ્છ ભૂજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. જો ફેબ્રુઆરીમાં આ હાલ છે તો ઉનાળાના મહિના શું હાલત થશે તેવો ડર લોકોને સતાવી રહ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.