ભારતમાં આ જગ્યાઓ પર જોવા મળ્યું વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ


  • Published By :
  • Published Date : 2022-11-08 18:01:31

વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં શરૂ થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં પૂર્વ ગ્રહણ સાથે ચંદ્રોદય જોવા મળ્યો હતો. કોલકાતા, કોહિમા, પટના, પૂરી, રાંચીમાં ચંદ્રગ્રહણ જોવા મળશે.

 

વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ

મુંબઈમાં છ વાગ્યા બાદ આંશિક ચંદ્ર ગ્રહણ શરૂ થશે જે 6.19 કલાકે પૂર્ણ થઈ જશે. આગામી વર્ષે 2023માં કુલ ચાર ચંદ્રગ્રહણ જોવા મળશે. વર્ષ 2023માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ જોવી મળશે. જો કે ભારતમાં તો માત્ર આંશિક ચંદ્રગ્રહણ જ જોવા મળશે.

Lunar Eclipse 2022 LIVE Updates: The last total Chandra Grahan of 2022  begins in India, watch the live streaming online | Hindustan Times

સૌથી પહેલા પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ અમેરિકા થઈને ઑસ્ટ્રેલિયા અને જાપાનમાં પણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં બ્લડમૂન જોવા મળ્યું હતું. ભારત અને જાપાનમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્વાટેમાલામાં અડધું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.