ભારતમાં આ જગ્યાઓ પર જોવા મળ્યું વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ


  • Published By :
  • Published Date : 2022-11-08 18:01:31

વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં શરૂ થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં પૂર્વ ગ્રહણ સાથે ચંદ્રોદય જોવા મળ્યો હતો. કોલકાતા, કોહિમા, પટના, પૂરી, રાંચીમાં ચંદ્રગ્રહણ જોવા મળશે.

 

વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ

મુંબઈમાં છ વાગ્યા બાદ આંશિક ચંદ્ર ગ્રહણ શરૂ થશે જે 6.19 કલાકે પૂર્ણ થઈ જશે. આગામી વર્ષે 2023માં કુલ ચાર ચંદ્રગ્રહણ જોવા મળશે. વર્ષ 2023માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ જોવી મળશે. જો કે ભારતમાં તો માત્ર આંશિક ચંદ્રગ્રહણ જ જોવા મળશે.

Lunar Eclipse 2022 LIVE Updates: The last total Chandra Grahan of 2022  begins in India, watch the live streaming online | Hindustan Times

સૌથી પહેલા પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ અમેરિકા થઈને ઑસ્ટ્રેલિયા અને જાપાનમાં પણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં બ્લડમૂન જોવા મળ્યું હતું. ભારત અને જાપાનમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્વાટેમાલામાં અડધું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.