ભારતમાં આ જગ્યાઓ પર જોવા મળ્યું વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ


  • Published By :
  • Published Date : 2022-11-08 18:01:31

વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં શરૂ થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં પૂર્વ ગ્રહણ સાથે ચંદ્રોદય જોવા મળ્યો હતો. કોલકાતા, કોહિમા, પટના, પૂરી, રાંચીમાં ચંદ્રગ્રહણ જોવા મળશે.

 

વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ

મુંબઈમાં છ વાગ્યા બાદ આંશિક ચંદ્ર ગ્રહણ શરૂ થશે જે 6.19 કલાકે પૂર્ણ થઈ જશે. આગામી વર્ષે 2023માં કુલ ચાર ચંદ્રગ્રહણ જોવા મળશે. વર્ષ 2023માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ જોવી મળશે. જો કે ભારતમાં તો માત્ર આંશિક ચંદ્રગ્રહણ જ જોવા મળશે.

Lunar Eclipse 2022 LIVE Updates: The last total Chandra Grahan of 2022  begins in India, watch the live streaming online | Hindustan Times

સૌથી પહેલા પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ અમેરિકા થઈને ઑસ્ટ્રેલિયા અને જાપાનમાં પણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં બ્લડમૂન જોવા મળ્યું હતું. ભારત અને જાપાનમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્વાટેમાલામાં અડધું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.