વિધાનસભામાં આજે રજૂ થશે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-24 09:51:55

ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવાના છે. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં બજેટ ઉપરાંત અનેક વિધેયક રજૂ કરવાના છે. સવારે 11થી 11.30 વાગ્યાની આસપાસ કનુ દેસાઈ બજેટ પેશ કરવાના છે. આ બજેટ 2.90 લાખ કરોડનું રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રો માટે જંગી રકમ ફાળવવામાંઆવી હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આત્મનિર્ભર થીમ પર હોઈ શકે છે બજેટ! 

ગઈ કાલથી વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો હતો. પ્રથમ દિવસે અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે આજે નાણા મંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રના બજેટ બાદ સૌ કોઈની નજર રાજ્યના બજેટ પર છે. લોકોને આશા છે કે આ બજેટમાં તેમને મોટી રાહત મળી શકે છે. કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભરતા અંગે વાત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર પણ આ પ્રમાણે બજેટ આત્મનિર્ભર થીમ પર રજૂ કરી શકે છે. મોંઘવારીનો માર પ્રજાને ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવી શકે છે. 


બજેટની રકમમાં દર વર્ષે કરાય છે વધારો  

ગુજરાતમાં ભાજપને ઐતિહાસિત જીત હાંસલ થઈ છે. 182માંથી 156 બેઠકો પર જીત હાંસલ કરી છે. સમયાંતરે સરકાર દ્વારા બજેટની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું, 2022-23માં 2.43 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2023-24નું બજેટ આજે રજૂ થવાનું છે. એવું કહી શકાય કે દર વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો થાય છે તો આ બજેટમાં પણ વધારો કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. લોકોનું માનવું છે કે આ બજેટમાં પેટ્રોલ ડિઝલમાં રાહત મળી શકે છે. તે ઉપરાંત સરકાર વેટમાં વધારો કરી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.