વિધાનસભામાં આજે રજૂ થશે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-24 09:51:55

ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવાના છે. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં બજેટ ઉપરાંત અનેક વિધેયક રજૂ કરવાના છે. સવારે 11થી 11.30 વાગ્યાની આસપાસ કનુ દેસાઈ બજેટ પેશ કરવાના છે. આ બજેટ 2.90 લાખ કરોડનું રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રો માટે જંગી રકમ ફાળવવામાંઆવી હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આત્મનિર્ભર થીમ પર હોઈ શકે છે બજેટ! 

ગઈ કાલથી વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો હતો. પ્રથમ દિવસે અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે આજે નાણા મંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રના બજેટ બાદ સૌ કોઈની નજર રાજ્યના બજેટ પર છે. લોકોને આશા છે કે આ બજેટમાં તેમને મોટી રાહત મળી શકે છે. કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભરતા અંગે વાત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર પણ આ પ્રમાણે બજેટ આત્મનિર્ભર થીમ પર રજૂ કરી શકે છે. મોંઘવારીનો માર પ્રજાને ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવી શકે છે. 


બજેટની રકમમાં દર વર્ષે કરાય છે વધારો  

ગુજરાતમાં ભાજપને ઐતિહાસિત જીત હાંસલ થઈ છે. 182માંથી 156 બેઠકો પર જીત હાંસલ કરી છે. સમયાંતરે સરકાર દ્વારા બજેટની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું, 2022-23માં 2.43 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2023-24નું બજેટ આજે રજૂ થવાનું છે. એવું કહી શકાય કે દર વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો થાય છે તો આ બજેટમાં પણ વધારો કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. લોકોનું માનવું છે કે આ બજેટમાં પેટ્રોલ ડિઝલમાં રાહત મળી શકે છે. તે ઉપરાંત સરકાર વેટમાં વધારો કરી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.