વિધાનસભામાં આજે રજૂ થશે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-24 09:51:55

ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવાના છે. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં બજેટ ઉપરાંત અનેક વિધેયક રજૂ કરવાના છે. સવારે 11થી 11.30 વાગ્યાની આસપાસ કનુ દેસાઈ બજેટ પેશ કરવાના છે. આ બજેટ 2.90 લાખ કરોડનું રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રો માટે જંગી રકમ ફાળવવામાંઆવી હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આત્મનિર્ભર થીમ પર હોઈ શકે છે બજેટ! 

ગઈ કાલથી વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો હતો. પ્રથમ દિવસે અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે આજે નાણા મંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રના બજેટ બાદ સૌ કોઈની નજર રાજ્યના બજેટ પર છે. લોકોને આશા છે કે આ બજેટમાં તેમને મોટી રાહત મળી શકે છે. કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભરતા અંગે વાત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર પણ આ પ્રમાણે બજેટ આત્મનિર્ભર થીમ પર રજૂ કરી શકે છે. મોંઘવારીનો માર પ્રજાને ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવી શકે છે. 


બજેટની રકમમાં દર વર્ષે કરાય છે વધારો  

ગુજરાતમાં ભાજપને ઐતિહાસિત જીત હાંસલ થઈ છે. 182માંથી 156 બેઠકો પર જીત હાંસલ કરી છે. સમયાંતરે સરકાર દ્વારા બજેટની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું, 2022-23માં 2.43 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2023-24નું બજેટ આજે રજૂ થવાનું છે. એવું કહી શકાય કે દર વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો થાય છે તો આ બજેટમાં પણ વધારો કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. લોકોનું માનવું છે કે આ બજેટમાં પેટ્રોલ ડિઝલમાં રાહત મળી શકે છે. તે ઉપરાંત સરકાર વેટમાં વધારો કરી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.