વિધાનસભામાં આજે રજૂ થશે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-24 09:51:55

ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવાના છે. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં બજેટ ઉપરાંત અનેક વિધેયક રજૂ કરવાના છે. સવારે 11થી 11.30 વાગ્યાની આસપાસ કનુ દેસાઈ બજેટ પેશ કરવાના છે. આ બજેટ 2.90 લાખ કરોડનું રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રો માટે જંગી રકમ ફાળવવામાંઆવી હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આત્મનિર્ભર થીમ પર હોઈ શકે છે બજેટ! 

ગઈ કાલથી વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો હતો. પ્રથમ દિવસે અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે આજે નાણા મંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રના બજેટ બાદ સૌ કોઈની નજર રાજ્યના બજેટ પર છે. લોકોને આશા છે કે આ બજેટમાં તેમને મોટી રાહત મળી શકે છે. કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભરતા અંગે વાત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર પણ આ પ્રમાણે બજેટ આત્મનિર્ભર થીમ પર રજૂ કરી શકે છે. મોંઘવારીનો માર પ્રજાને ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવી શકે છે. 


બજેટની રકમમાં દર વર્ષે કરાય છે વધારો  

ગુજરાતમાં ભાજપને ઐતિહાસિત જીત હાંસલ થઈ છે. 182માંથી 156 બેઠકો પર જીત હાંસલ કરી છે. સમયાંતરે સરકાર દ્વારા બજેટની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું, 2022-23માં 2.43 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2023-24નું બજેટ આજે રજૂ થવાનું છે. એવું કહી શકાય કે દર વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો થાય છે તો આ બજેટમાં પણ વધારો કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. લોકોનું માનવું છે કે આ બજેટમાં પેટ્રોલ ડિઝલમાં રાહત મળી શકે છે. તે ઉપરાંત સરકાર વેટમાં વધારો કરી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.