કોલકાત્તા ખાતે મળશે G-20ની પ્રથમ બેઠક, ભારત કરી રહ્યું છે બેઠકની અધ્યક્ષતા


  • Published By :
  • Published Date : 2023-01-09 09:49:38

આ વર્ષે G-20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આજથી બંગાળની રાજધાની કોલકાત્તામાં આ બેઠક યોજાવાની છે. ત્રિ-દિવસીય સત્ર 9થી 11 જાન્યુઆરી સુધી યોજાવાનું છે. આ બેઠકમાં અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે. આ બેઠકોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

 


કોલકાત્તા ખાતે થયું પ્રથમ બેઠકનું આયોજન 

ભારતની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા વિવિધ દેશોના પ્રતિનિધિઓ કોલકાત્તા પહોંચી ચૂક્યા છે. આ બેઠકનું આયોજન કોલકાત્તાના ન્યુટાઉન સ્થિત વિશ્વ બાંગ્લા કન્વેંશન સેંટરમાં કરવામાં આવ્યું છે. બેઠકોને લઈ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે G20 ઈન્ડિયાના ફાઈનાન્સ ટ્રેક હેઠળ દેશમાં ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઈનાન્સિયલ વર્કિંગ ગ્રૂપના આ પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. 


અનેક મુદ્દાઓ પર બેઠકમાં થશે ચર્ચા

આ બેઠકમાં ચર્ચાવાના વિષયોની વાત કરીએ તો આ મિટીંગમાં નાણાકીય વ્યવસ્થાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, રેમિટન્સ ટ્રાન્સફરની કિંમત ઘટાડવા, ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે નીતિઓ બનાવી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા થવાની છે. ઘણા દેશોના પ્રતિનિધિઓ તો આ બેઠકમાં ભાગ લેશે જ પરંતુ IMF, નાબાર્ડ, કેન્દ્રીય નાણામંત્રાલય તેમજ વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ પણ સામેલ થવાના છે.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.