કોલકાત્તા ખાતે મળશે G-20ની પ્રથમ બેઠક, ભારત કરી રહ્યું છે બેઠકની અધ્યક્ષતા


  • Published By :
  • Published Date : 2023-01-09 09:49:38

આ વર્ષે G-20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આજથી બંગાળની રાજધાની કોલકાત્તામાં આ બેઠક યોજાવાની છે. ત્રિ-દિવસીય સત્ર 9થી 11 જાન્યુઆરી સુધી યોજાવાનું છે. આ બેઠકમાં અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે. આ બેઠકોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

 


કોલકાત્તા ખાતે થયું પ્રથમ બેઠકનું આયોજન 

ભારતની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા વિવિધ દેશોના પ્રતિનિધિઓ કોલકાત્તા પહોંચી ચૂક્યા છે. આ બેઠકનું આયોજન કોલકાત્તાના ન્યુટાઉન સ્થિત વિશ્વ બાંગ્લા કન્વેંશન સેંટરમાં કરવામાં આવ્યું છે. બેઠકોને લઈ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે G20 ઈન્ડિયાના ફાઈનાન્સ ટ્રેક હેઠળ દેશમાં ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઈનાન્સિયલ વર્કિંગ ગ્રૂપના આ પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. 


અનેક મુદ્દાઓ પર બેઠકમાં થશે ચર્ચા

આ બેઠકમાં ચર્ચાવાના વિષયોની વાત કરીએ તો આ મિટીંગમાં નાણાકીય વ્યવસ્થાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, રેમિટન્સ ટ્રાન્સફરની કિંમત ઘટાડવા, ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે નીતિઓ બનાવી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા થવાની છે. ઘણા દેશોના પ્રતિનિધિઓ તો આ બેઠકમાં ભાગ લેશે જ પરંતુ IMF, નાબાર્ડ, કેન્દ્રીય નાણામંત્રાલય તેમજ વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ પણ સામેલ થવાના છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.