કોલકાત્તા ખાતે મળશે G-20ની પ્રથમ બેઠક, ભારત કરી રહ્યું છે બેઠકની અધ્યક્ષતા


  • Published By :
  • Published Date : 2023-01-09 09:49:38

આ વર્ષે G-20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આજથી બંગાળની રાજધાની કોલકાત્તામાં આ બેઠક યોજાવાની છે. ત્રિ-દિવસીય સત્ર 9થી 11 જાન્યુઆરી સુધી યોજાવાનું છે. આ બેઠકમાં અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે. આ બેઠકોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

 


કોલકાત્તા ખાતે થયું પ્રથમ બેઠકનું આયોજન 

ભારતની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા વિવિધ દેશોના પ્રતિનિધિઓ કોલકાત્તા પહોંચી ચૂક્યા છે. આ બેઠકનું આયોજન કોલકાત્તાના ન્યુટાઉન સ્થિત વિશ્વ બાંગ્લા કન્વેંશન સેંટરમાં કરવામાં આવ્યું છે. બેઠકોને લઈ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે G20 ઈન્ડિયાના ફાઈનાન્સ ટ્રેક હેઠળ દેશમાં ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઈનાન્સિયલ વર્કિંગ ગ્રૂપના આ પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. 


અનેક મુદ્દાઓ પર બેઠકમાં થશે ચર્ચા

આ બેઠકમાં ચર્ચાવાના વિષયોની વાત કરીએ તો આ મિટીંગમાં નાણાકીય વ્યવસ્થાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, રેમિટન્સ ટ્રાન્સફરની કિંમત ઘટાડવા, ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે નીતિઓ બનાવી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા થવાની છે. ઘણા દેશોના પ્રતિનિધિઓ તો આ બેઠકમાં ભાગ લેશે જ પરંતુ IMF, નાબાર્ડ, કેન્દ્રીય નાણામંત્રાલય તેમજ વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ પણ સામેલ થવાના છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.