કોલકાત્તા ખાતે મળશે G-20ની પ્રથમ બેઠક, ભારત કરી રહ્યું છે બેઠકની અધ્યક્ષતા


  • Published By :
  • Published Date : 2023-01-09 09:49:38

આ વર્ષે G-20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આજથી બંગાળની રાજધાની કોલકાત્તામાં આ બેઠક યોજાવાની છે. ત્રિ-દિવસીય સત્ર 9થી 11 જાન્યુઆરી સુધી યોજાવાનું છે. આ બેઠકમાં અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે. આ બેઠકોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

 


કોલકાત્તા ખાતે થયું પ્રથમ બેઠકનું આયોજન 

ભારતની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા વિવિધ દેશોના પ્રતિનિધિઓ કોલકાત્તા પહોંચી ચૂક્યા છે. આ બેઠકનું આયોજન કોલકાત્તાના ન્યુટાઉન સ્થિત વિશ્વ બાંગ્લા કન્વેંશન સેંટરમાં કરવામાં આવ્યું છે. બેઠકોને લઈ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે G20 ઈન્ડિયાના ફાઈનાન્સ ટ્રેક હેઠળ દેશમાં ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઈનાન્સિયલ વર્કિંગ ગ્રૂપના આ પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. 


અનેક મુદ્દાઓ પર બેઠકમાં થશે ચર્ચા

આ બેઠકમાં ચર્ચાવાના વિષયોની વાત કરીએ તો આ મિટીંગમાં નાણાકીય વ્યવસ્થાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, રેમિટન્સ ટ્રાન્સફરની કિંમત ઘટાડવા, ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે નીતિઓ બનાવી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા થવાની છે. ઘણા દેશોના પ્રતિનિધિઓ તો આ બેઠકમાં ભાગ લેશે જ પરંતુ IMF, નાબાર્ડ, કેન્દ્રીય નાણામંત્રાલય તેમજ વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ પણ સામેલ થવાના છે.     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.