ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ અને પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદ માંકડનું નિધન


  • Published By :
  • Published Date : 2022-11-06 10:26:54

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક મોહમ્મદ માંકડે  93 વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયની બિમારી સામે સંઘર્ષ કર્યા બાદ શનિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લોકપ્રિય વાર્તાકાર તેમજ પત્રકારિત્વ ક્ષેત્રે તેમનું અમુલ્ય યોગદાન છે. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018થી સન્માનિત કરાયા હતા.

મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર | gaurav puraskar-abhiyaan - Abhiyaan

ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ હતા 

લોકપ્રિય નવલકાર અને કટાક્ષકાર મોહમ્મદ માંકડની અનેક નવલકથાઓ ખૂબ પ્રખ્યાત છે. તેમાં ધુમાસ, મોરપિંચ્છના રંગ, અજાણ્યાં બે જણ, રાતવાસો, ખેલ, મંદારવૃક્ષ ખૂબ પ્રખ્યાત છે. ઉપરાંત કેલિડોસ્કોપ (ભાગ 1-4), આનંદની વાત એ છે કે આપણે મનુષ્યોને ખૂબ પ્રસિદ્ધિ મળી છે.  તેમનો જન્મ 13 ફ્રેબ્રુઆરી 1928ના રોજ પળિયાદ એટલે કે હાલના બોટાદમાં થયો હતો. બી.એ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ સુરેન્દ્રનગર સ્થાયી થઈ ગયા હતા. તે બાદ 1982થી1992 સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવા કરી હતી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.