ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ અને પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદ માંકડનું નિધન


  • Published By :
  • Published Date : 2022-11-06 10:26:54

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક મોહમ્મદ માંકડે  93 વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયની બિમારી સામે સંઘર્ષ કર્યા બાદ શનિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લોકપ્રિય વાર્તાકાર તેમજ પત્રકારિત્વ ક્ષેત્રે તેમનું અમુલ્ય યોગદાન છે. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018થી સન્માનિત કરાયા હતા.

મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર | gaurav puraskar-abhiyaan - Abhiyaan

ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ હતા 

લોકપ્રિય નવલકાર અને કટાક્ષકાર મોહમ્મદ માંકડની અનેક નવલકથાઓ ખૂબ પ્રખ્યાત છે. તેમાં ધુમાસ, મોરપિંચ્છના રંગ, અજાણ્યાં બે જણ, રાતવાસો, ખેલ, મંદારવૃક્ષ ખૂબ પ્રખ્યાત છે. ઉપરાંત કેલિડોસ્કોપ (ભાગ 1-4), આનંદની વાત એ છે કે આપણે મનુષ્યોને ખૂબ પ્રસિદ્ધિ મળી છે.  તેમનો જન્મ 13 ફ્રેબ્રુઆરી 1928ના રોજ પળિયાદ એટલે કે હાલના બોટાદમાં થયો હતો. બી.એ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ સુરેન્દ્રનગર સ્થાયી થઈ ગયા હતા. તે બાદ 1982થી1992 સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવા કરી હતી. 




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.