અજય દેવગણની ફિલ્મ ભોલા’નું રોમેન્ટિક ટ્રેક ‘નજર લગ જાયેગી’ થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-02-20 16:41:24

પોતાની આગામી ફિલ્મ ભોલાને લઈ બોલિવુડ એક્ટર અજય દેવગણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા ભોલા ફિલ્મનું ટીઝર રીલિઝ થયું હતું, જેમાં અજય દેવગણ હાથમાં શ્રીમદ્ ભગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવેલા જોવા મળ્યા હતા. અજયનો પ્રથમ લૂક ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક  ટ્રેક નઝર લગ જાયેગી રિલીઝ થઈ ગયું છે.


30 માર્ચે રિલીઝ થવાની છે મુવી  

30 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં અજય દેવગણની ફિલ્મ ભોલા રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે તબ્બુ, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ જેવા કલાકારો જોવા મળવાના છે, મોશન પોસ્ટર રિલીઝ કરતા અજય દેવગણે લખ્યું હતું કે એક ચટ્ટાન, સૌ શૈતાન. ઈસ કલિયુગ મેં આ રહા હૈ ભોલા, 30 માર્ચ 2023. 

અલગ અંદાજમાં જોવા મળ્યા અજય 

ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારથી લોકો ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ટ્રેક નજર લગ જાયેગી રિલીઝ થયું છે જેમાં  અજય અલગ લૂકમાં જોવા મળ્યા છે. આ ગીતને જાવેદ અલીએ ગાયું છે જ્યારે ઈર્શાદ કામિલે આ સોન્ગના લખ્યું છે. જ્યારે આ ગીતને રવિ બસરૂરે કંપોઝ કર્યું છે.    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી