અજય દેવગણની ફિલ્મ ભોલા’નું રોમેન્ટિક ટ્રેક ‘નજર લગ જાયેગી’ થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-02-20 16:41:24

પોતાની આગામી ફિલ્મ ભોલાને લઈ બોલિવુડ એક્ટર અજય દેવગણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા ભોલા ફિલ્મનું ટીઝર રીલિઝ થયું હતું, જેમાં અજય દેવગણ હાથમાં શ્રીમદ્ ભગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવેલા જોવા મળ્યા હતા. અજયનો પ્રથમ લૂક ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક  ટ્રેક નઝર લગ જાયેગી રિલીઝ થઈ ગયું છે.


30 માર્ચે રિલીઝ થવાની છે મુવી  

30 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં અજય દેવગણની ફિલ્મ ભોલા રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે તબ્બુ, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ જેવા કલાકારો જોવા મળવાના છે, મોશન પોસ્ટર રિલીઝ કરતા અજય દેવગણે લખ્યું હતું કે એક ચટ્ટાન, સૌ શૈતાન. ઈસ કલિયુગ મેં આ રહા હૈ ભોલા, 30 માર્ચ 2023. 

અલગ અંદાજમાં જોવા મળ્યા અજય 

ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારથી લોકો ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ટ્રેક નજર લગ જાયેગી રિલીઝ થયું છે જેમાં  અજય અલગ લૂકમાં જોવા મળ્યા છે. આ ગીતને જાવેદ અલીએ ગાયું છે જ્યારે ઈર્શાદ કામિલે આ સોન્ગના લખ્યું છે. જ્યારે આ ગીતને રવિ બસરૂરે કંપોઝ કર્યું છે.    




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .