અજય દેવગણની ફિલ્મ ભોલા’નું રોમેન્ટિક ટ્રેક ‘નજર લગ જાયેગી’ થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-02-20 16:41:24

પોતાની આગામી ફિલ્મ ભોલાને લઈ બોલિવુડ એક્ટર અજય દેવગણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા ભોલા ફિલ્મનું ટીઝર રીલિઝ થયું હતું, જેમાં અજય દેવગણ હાથમાં શ્રીમદ્ ભગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવેલા જોવા મળ્યા હતા. અજયનો પ્રથમ લૂક ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક  ટ્રેક નઝર લગ જાયેગી રિલીઝ થઈ ગયું છે.


30 માર્ચે રિલીઝ થવાની છે મુવી  

30 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં અજય દેવગણની ફિલ્મ ભોલા રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે તબ્બુ, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ જેવા કલાકારો જોવા મળવાના છે, મોશન પોસ્ટર રિલીઝ કરતા અજય દેવગણે લખ્યું હતું કે એક ચટ્ટાન, સૌ શૈતાન. ઈસ કલિયુગ મેં આ રહા હૈ ભોલા, 30 માર્ચ 2023. 

અલગ અંદાજમાં જોવા મળ્યા અજય 

ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારથી લોકો ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ટ્રેક નજર લગ જાયેગી રિલીઝ થયું છે જેમાં  અજય અલગ લૂકમાં જોવા મળ્યા છે. આ ગીતને જાવેદ અલીએ ગાયું છે જ્યારે ઈર્શાદ કામિલે આ સોન્ગના લખ્યું છે. જ્યારે આ ગીતને રવિ બસરૂરે કંપોઝ કર્યું છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.