કોરોના સંક્રમણના ભય વચ્ચે આજથી ફ્લાવર શોનો થયો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2022-12-31 11:09:21

કોરોના સંક્રમણ ઘટવાને કારણે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ તો હાલ શરૂ જ છે ત્યારે આજથી ફ્લાવર શોનો પણ શુભારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. થોડા સમય બાદ લોકોને પ્રવેશ આપવામાં આવશે.  આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના ફૂલો રાખવામાં આવશે. આ શો 12 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. અંદાજ પ્રમાણે આ શોમાં હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ શકે છે.



મુખ્યમંત્રીના હસ્તે થયું ઉદ્ધાટન

દેશમાં તેમજ રાજ્યમાં એક તરફ કોરોના કેસ વધવાની ભીતી સેવાઈ રહી છે. સતર્ક રહેવા, ભીડ ભેગી ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે. લાખોની સંખ્યામાં લોકોએ કાંકરિયા કાર્નિવલની મુલાકાત લીધી છે. અનેક બાળકો તેમજ વડીલો દ્વારા મુલાકાત લેવામાં આવી છે. ત્યારે આજથી ફરી એક વખત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ફ્લાવર શોમાં વયસ્ક માટે 30 રુપિયાની ટિકિટ રાખવામાં આવી છે. 


શું સાચે થાય છે નિયમોનું પાલન?

ભારત તેમજ વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણને કારણે ચિંતા વધી છે. અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ભારતમાં પણ કોરોના કેસ ન વધે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના કેસને પહોંચી વળવા ગુજરાત સરકાર પણ કાર્ય કરી રહી છે. પરંતુ કોરોના સંક્રમણના ભય વચ્ચે મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. સરકારના નિયમો પ્રમાણે ભીડભાળ વાળી જગ્યાઓ પર માસ્ક વગર એન્ટ્રી આપવામાં નહીં આવે. કાંકરિયા કાર્નિવલમાં પણ માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે શું સાચે નિયમોનું પાલન થાય છે. લોકો કોરોનાને લઈ ગંભીર બન્યા છે??  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.