કોરોના સંક્રમણના ભય વચ્ચે આજથી ફ્લાવર શોનો થયો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2022-12-31 11:09:21

કોરોના સંક્રમણ ઘટવાને કારણે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ તો હાલ શરૂ જ છે ત્યારે આજથી ફ્લાવર શોનો પણ શુભારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. થોડા સમય બાદ લોકોને પ્રવેશ આપવામાં આવશે.  આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના ફૂલો રાખવામાં આવશે. આ શો 12 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. અંદાજ પ્રમાણે આ શોમાં હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ શકે છે.



મુખ્યમંત્રીના હસ્તે થયું ઉદ્ધાટન

દેશમાં તેમજ રાજ્યમાં એક તરફ કોરોના કેસ વધવાની ભીતી સેવાઈ રહી છે. સતર્ક રહેવા, ભીડ ભેગી ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે. લાખોની સંખ્યામાં લોકોએ કાંકરિયા કાર્નિવલની મુલાકાત લીધી છે. અનેક બાળકો તેમજ વડીલો દ્વારા મુલાકાત લેવામાં આવી છે. ત્યારે આજથી ફરી એક વખત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ફ્લાવર શોમાં વયસ્ક માટે 30 રુપિયાની ટિકિટ રાખવામાં આવી છે. 


શું સાચે થાય છે નિયમોનું પાલન?

ભારત તેમજ વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણને કારણે ચિંતા વધી છે. અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ભારતમાં પણ કોરોના કેસ ન વધે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના કેસને પહોંચી વળવા ગુજરાત સરકાર પણ કાર્ય કરી રહી છે. પરંતુ કોરોના સંક્રમણના ભય વચ્ચે મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. સરકારના નિયમો પ્રમાણે ભીડભાળ વાળી જગ્યાઓ પર માસ્ક વગર એન્ટ્રી આપવામાં નહીં આવે. કાંકરિયા કાર્નિવલમાં પણ માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે શું સાચે નિયમોનું પાલન થાય છે. લોકો કોરોનાને લઈ ગંભીર બન્યા છે??  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.