કોરોના સંક્રમણના ભય વચ્ચે આજથી ફ્લાવર શોનો થયો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2022-12-31 11:09:21

કોરોના સંક્રમણ ઘટવાને કારણે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ તો હાલ શરૂ જ છે ત્યારે આજથી ફ્લાવર શોનો પણ શુભારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. થોડા સમય બાદ લોકોને પ્રવેશ આપવામાં આવશે.  આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના ફૂલો રાખવામાં આવશે. આ શો 12 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. અંદાજ પ્રમાણે આ શોમાં હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ શકે છે.



મુખ્યમંત્રીના હસ્તે થયું ઉદ્ધાટન

દેશમાં તેમજ રાજ્યમાં એક તરફ કોરોના કેસ વધવાની ભીતી સેવાઈ રહી છે. સતર્ક રહેવા, ભીડ ભેગી ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે. લાખોની સંખ્યામાં લોકોએ કાંકરિયા કાર્નિવલની મુલાકાત લીધી છે. અનેક બાળકો તેમજ વડીલો દ્વારા મુલાકાત લેવામાં આવી છે. ત્યારે આજથી ફરી એક વખત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ફ્લાવર શોમાં વયસ્ક માટે 30 રુપિયાની ટિકિટ રાખવામાં આવી છે. 


શું સાચે થાય છે નિયમોનું પાલન?

ભારત તેમજ વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણને કારણે ચિંતા વધી છે. અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ભારતમાં પણ કોરોના કેસ ન વધે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના કેસને પહોંચી વળવા ગુજરાત સરકાર પણ કાર્ય કરી રહી છે. પરંતુ કોરોના સંક્રમણના ભય વચ્ચે મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. સરકારના નિયમો પ્રમાણે ભીડભાળ વાળી જગ્યાઓ પર માસ્ક વગર એન્ટ્રી આપવામાં નહીં આવે. કાંકરિયા કાર્નિવલમાં પણ માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે શું સાચે નિયમોનું પાલન થાય છે. લોકો કોરોનાને લઈ ગંભીર બન્યા છે??  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.